SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આવે, દુ: શ્રી નિયમસાર શ્લોક ૫૪ - ૩૩ આવે છે; પણ એ રાગ છે, દુ:ખ છે, હેય છે. વાત તો આવી છે! (પ્રશ્ન) તો પછી કેમ આવે છે? (ઉત્તર:) કમજોરી છે તો આવે છે. પણ એ ઉપાદેય નથી. આદરણીય નથી. તે તો (આગળ) કહી ગયા ને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.” (રાગ ) આવે છે પણ ઉપાદેય નથી. (ઉપાદેય) નથી તેને ઉપાદેય કેમ કહે? પ્રશ્ન: વ્યવહાર તો આવે છે ને? ઉત્તરઃ વ્યવહાર ન હોય તો વીતરાગ થઈ જાય! મિથ્યાષ્ટિને પર્યાયમાં અનંત દુઃખ છે, સુખનો અંશ નથી. કેવળજ્ઞાનીને અનંત સુખ છે, દુઃખનો અંશ નથી. (પણ) સાધકને આનંદનો અંશ પણ છે અને દુઃખનો પણ અંશ છે. –બેય છે. નહીંતર (પૂર્ણ વીતરાગ થઈ જાય). (પણ) પૂર્ણ તો નથી. પૂર્ણાનંદ નથી. થોડું દુ:ખ છે. રાગાદિ આવે છે (તેટલું) દુઃખ છે. પણ (સાધક ) એને હેય જાણે છે. સમજાણું? ભગવાનને પૂર્ણ આનંદ છે. મિથ્યાષ્ટિને પૂર્ણ દુઃખ છે. સાધકસમ્યગ્દષ્ટિને પૂર્ણ આનંદ આવ્યો નથી. અપૂર્ણ આનંદનું વેદન છે. જ્યાં પૂર્ણ નથી ત્યાં થોડો રાગ પણ આવે. તો છે તો ખરું, પણ એ હેય તરીકે છે, ઉપાદેય તરીકે નથી. એ તો કહ્યું ને...! “બીજું કાંઈ ઉપાદેય નથી. તો બીજી ચીજ છે તો ખરી. નથી એમ છે નહીં. ખરેખર તો (જેને) સ્વદ્રવ્યનો અનુભવ થયો. સમ્યગ્દર્શન (થયું) એને, જે રાગ આવે છે , કહેવામાં આવે છે. જો નિશ્ચય હોય તો વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યગ્દર્શન ન હોય વ્યવહારાભાસને વ્યવહાર કહેવો, એ કથનમાત્ર છે. વસ્તુ છે જ નહીં. વ્યવહારનો અર્થ છે જ નહીં. બીજી રીતે કહીએ તો વ્યવહાર જે શુભરાગ છે તે આંધળો છે. કારણ કે, રાગ પોતાને જાણતો નથી અને જ્ઞાયકને જાણતો નથી. તે કારણે ભગવાને એને આંધળો અને જડ કહ્યો અને ભગવાન (આત્માને) જાગતો અને ચૈતન્ય (કહ્યો છે. એ બે વસ્તુ ભિન્ન છે. એમ અહીં બતાવવું છે. નહીંતર બે વસ્તુની સિદ્ધિ થતી નથી. આસમીમાંસા' ન્યાયના ગ્રંથમાં એમ કહ્યું: ધર્મી અને ધર્મ-બે ભિન્ન ગયાં છે. ધર્મી અને ધર્મ-એ ભિન્ન છે. બે એક નથી. એક હોય તો ( એવાં ) બે નામ પડે નહીં. બે વાચ્ય ન હોય (તો) બે વાચક ન હોય. પછી વ્યવહારથી કહેવામાં આવે છે કે-આ ધર્મીનો આ ધર્મ અને આ ધર્મનો આ ધર્મી. પણ બેય નિરપેક્ષ ભિન્ન સત્ છે. આહા... હા! એ તો ભગવાનનાં શાસ્ત્ર છે, પ્રભુ! ( એનો) પાર નથી. એક એક શબ્દમાં એટલા આગમનાં રહસ્ય ભર્યા છે કે પાર નહીં. એ તો સંતો પૂરું કરે. ગણધર પૂરું કરી શકે. આહા... હા ! પાર નથી, એવી વાત છે! સંતો એટલે સાચા સંત હોં! ભાવલિંગી હોય એ. અહીંયાં કહે છે કેઃ “જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે.” દૂર છે એટલે કે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. પર્યાયથી દ્રવ્ય ભિન્ન રહે છે. દૂરનો અર્થ આ કાઢયો! એ તો “સમયસાર' સંવર અધિકારમાં લીધું છે ને..! પુણ્ય-પાપના ભાવ છે એ પરવસ્તુ છે, પરક્ષેત્ર અને પરભાવ છે. એનું પરક્ષેત્ર છે. જેટલામાં વિકલ્પઅવસ્થા ઉત્પન્ન થાય છે, એ પર્યાય છે તો અસંખ્યપ્રદેશી પણ એ અસંખ્ય પ્રદેશમાં જેટલામાં છેલ્લા અંશમાં વિકૃત કે અવિકૃત-નિર્વિકારી અવસ્થા ઉત્પન્ન થાય છે–એ બેયનું ક્ષેત્ર ભિન્ન છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy