SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ – ૩૦૧ ધર્મ થાય, જે એમાં (તારામાં) નથી. અને જે અધર્મ છે એનાથી ધર્મ થાય (એ) કેવી રીતે બને? પણ લોકોએ ઘણુંઘણું વિરુદ્ધ કરી નાખ્યું. અહીં તો કહે છે કે, શુદ્ધભાવથી ધર્મ થાય એ શુદ્ધભાવ પણ પર્યાય (છે જે તારા મૂળસ્વરૂપમાં નથી ). (“સમયસાર” ૧૫મી ગાથામાં) એમ કહ્યું ને... “નો પઃિ ગપ્પા” –જે (પુરુષ) આત્માને અબદ્ધસ્પષ્ટ દેખું-જાણે-માને તે જૈનશાસનને દેખે છે. પણ (અહીં) કહે છે કે, જે જૈનશાસન-શુદ્ધઉપયોગ થાય; (એની) શુદ્ધનય ના પાડે છે કે-એ દ્રવ્યમાં નથી. આહા... હા! સમજાણું કાંઈ ? ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. ચારે અનુયોગોમાં કહેવાની વાતનું ફળ વીતરાગતા છે. પણ એ વીતરાગપણે પણ સ્વાશ્રયે થાય માટે નિશ્ચય કહ્યું; છતાં, તે વીતરાગપણું દ્રવ્યમાં નથી. એ તો પરમ વીતરાગમૂર્તિ પ્રભુ છે! ત્યારે કહે કે છે ને..પર્યાયમાં છે. તે વ્યવહારમાર્ગે છે, એમ કહીએ છીએ. હવે, એકકોર ધર્મધ્યાન અને શુક્લધ્યાનને નિશ્ચય કહ્યો. એકકોર વ્યવહાર કહ્યો. બેય (ધ્યાન) ને અંતર્મુખાકાર સ્વાશ્રય નિશ્ચય કહ્યો. અને અહીં કહે છે કે, એ તો વ્યવહારમાર્ગ છે. આહા. હા! (પાઠમાં) એમ છે કે નહીં? હવે, લોકોને આ બેસવું મુશ્કેલ પડે. પોતાની દરકાર કરે નહીં અને શું કહેવું), બાપા? આ રીતે વસ્તુ પૂર્ણ શુદ્ધ છે. જેમાં પર્યાય નથી. એવી જેને દષ્ટિ ન થાય તો તો તેણે આત્માનો સ્વીકાર કર્યો નથી. જે વસ્તુમાં મોક્ષમાર્ગની પર્યાય, ધ્યાનની પર્યાય પણ નથી; એવું જે પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા, એનો સ્વીકાર પર્યાયમાં થાય; જે પર્યાય એમાં નથી; પણ પર્યાયમાં એનો સ્વીકાર થાય; ત્યારે તેને સમ્યગ્દર્શન કહેવાય. છતાંય, એ સમ્યગ્દર્શનની પર્યાય દ્રવ્યમાં નથી, (એમ) શુદ્ધનય કહે છે. આ તો પરમ સત્ય ત્રિલોકનાથ જિનંદ્રના મુખારવિંદથી નીકળેલું છે. માથે (ટકામાં) આવી ગયું છે. “એમ પરમ જિતેંદ્રના મુખારવિંદથી નીકળેલા દ્રવ્યશ્રતમાં કહ્યું છે.” ભગવાન પરમાત્મા, જિનંદ્રદેવ, સર્વજ્ઞ પરમેશ્વર સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. (ત્યાં) કુંદકુંદઆચાર્ય ગયા હતા. તે કહે છે કે ભગવાનના મુખારવિંદથી નીકળેલી આ વાત હું કરીશ અને આ તો હું મારી ભાવના માટે કહું છું. હવે, અહીં (સંપ્રદાયમાં) તો હજી તકરારો-વ્યવહાર, દયા ને દાન ને ભક્તિ ને પૂજાથી કલ્યાણ થાય; નહીંતર એકાંત છે, એમ માનો. અરરર! તું શું કરે છે, ભાઈ ? ભગવાન (– પોતા) ને ભૂલીને તું આ રાંક (થાય છે!) પાપ અને પુણ્યના બેય ભાવ પાપ છે. સ્વરૂપમાંથી પતિત કરે છે. એનાથી તને સ્વરૂપની પ્રાપ્તિ થાય? કોડીએ હીરા-રતન મળે? શું કરે છે તું આ? લીંબોળીએ નીલમણિ મળે? એમ ત્રણલોકનો નાથ ભગવાન એ શુભરાગની લીંબોળીએ પ્રાપ્ત થાય? (-ન થાય). ભાઈ ! અહીં તો ભવચ્છેદ માટે જિનભાવના, જિનભાવના, નિજભાવના એ જિનભાવના વિના તારું જિનલિંગ (ધારવું) નિરર્થક છે. એ બધા (વ્રત-તપ) કરીને અનંતવાર મરી ગયો. વીતરાગી લિંગ-શુદ્ધભાવ વિના, એ તારા દ્રવ્યલિંગ બધા મીંડાં છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy