SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ – ૨૯૫ કહીએ છીએ. આહા.... હા... હા! આમાં કેટલું યાદ રાખવું? કેટલી વાતું ફરે! માર્ગ, બાપુ! (ગહન) છે. એને અભ્યાસ જોઈએ. આ તો (એન) અનંતકાળનો અભ્યાસ નહીં. એનો અભ્યાસ, વારંવાર રટણ, વારંવાર લઢણ, એની વારંવાર લગની લાગવી જોઈએ! અરેરે ! દેહ છૂટી જશે, બાપુ ! ક્યાં જઈશ તું? આહા... હા! અનંતકાળ ભવિષ્યમાં ગાળવો છે; કેમકે એ અવિનાશી તત્ત્વ છે. તો હવે ભવિષ્યમાં અનંતકાળ ક્યાં જઈશ, ભાઈ ? જ રાગના પ્રેમની રુચિમાં પડ્યો તો મિથ્યાત્વમાં તારો અનંતકાળ ભવિષ્યમાં જાશે એટલે કે દુ:ખના ગર્ભમાં જાઈશ, બાપા ! અને જેણે રાગથી રહિત મારું સ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન તો નિષ્ક્રિય છે જ; પણ પરિણતિ કરી, એને પણ અહીંયાં નિષ્ક્રિય-રાગની ક્રિયા વિનાની ગણીને નિષ્ક્રિય-કીધી છે, એ જીવ તો મોક્ષમાં જાય. અને જેને બાકી કાંઈક રાગ રહ્યો તો સ્વર્ગમાં જઈ, પછી મનુષ્ય થઈને મોક્ષે જશે. આહા... હા! જુઓ ને...! સાંભળીએ છીએ કે, નાની નાની ઉંમરનાને ફલાણાને ન્યુમોનિયો થયો (અને મરી ગયો !) ત્યાં જામનગરમાં એક છોકરો હુમણાં મરી ગયો. ૧૯ વર્ષનો જુવાન છોકરો. ભણતો હતો. એકદમ ડબલ ન્યુમોનિયો થઈ ગયો. ઇસ્પિતાલમાં ગોઠવ્યો. આઠ દી '. એ ખલાસ થઈ ગયો બાપુ! એની સ્થિતિ પૂરી થાય ત્યારે કોણ રાખે ? એને વેંકટર ને દવા કોણ રાખે? જુવાન અવસ્થાએ ચાલ્યા જાય છે. દેહ છૂટી જાય છે. આહા.... હા! (આત્મહિત) કરવાનું રહી જાય ! હજી પછી કરશું, પછી કરશું, પછી કરશું. હજી જુવાની છે. હજી તો ભણી લઈએ. રળી લઈએ. -ક્યાં જાય, બાપા? અહીંયાં કહે કે ત્રણ લોકના નાથ શુદ્ધપરિણતિને નિષ્ક્રિય કહે છે. કહે છે કેઃ ઇંદ્રયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત (અર્થાત્ ધ્યાન ને ધ્યેયના વિકલ્પો રહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ શુક્લધ્યાન કહે છે.” શુક્લ (ધ્યાન) અર્થાત ઊજળું-પવિત્ર ધ્યાન. આહા... હા ! [ હવે, આ ૮૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ] (વસંતતિનવ>T) ध्यानावलीमपि च शुद्धनयो न वक्ति व्यक्तं सदाशिवमये परमात्मतत्त्वे। सास्तीत्युवाच सततं व्यवहारमार्गस्तत्त्वं जिनेन्द्र तदहो महदिन्द्रजालम्।। ११९ ।। [ શ્લોકાર્થ:- ] પ્રગટપણે સદાશિવમય (નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વને વિષે ધ્યાનાવલી (-ધ્યાનપંક્તિ, ધ્યાનપરંપરા) હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. “તે છે (અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં છે ) ' એમ (માત્ર ) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હે જિસેંદ્ર ! આવું તે તત્ત્વ ( તેં નય દ્વારા કહેલું વસ્તુસ્વરૂપ), અહો ! મહા ઇંદ્રજાળ છે. ૧૧૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy