SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ (તેને) સ્વર્ગનું સુખ મળે. અને તે સ્વર્ગનાં સુખ મળ્યાં એટલે સંયોગો મળ્યાં. હવે (તેને) ભોગવવા કાળે કાંઈ પુણ્ય નથી. સામગ્રી મળી એટલી અપેક્ષાએ કહ્યું કે જેટલો આત્માનો આશ્રય હતો એટલું ધર્મધ્યાન તો પવિત્ર છે ને મોક્ષનો માર્ગ છે અને જેટલો આશ્રય અધૂરો છે એટલો રાગભાવ આવે છે, એ રાગનું ફળ સ્વર્ગનાં સુખ છે. એ સ્વર્ગનાં સુખ છે એટલે ત્યાં એ સુખ ભોગવે છે? ત્યાં આગળ સુખની સામગ્રીઓ ઘણી છે. શુભભાવને લઈને ઘણી બધી સામગ્રી મળી છે બસ ! પણ એને ભોગવવા જાય છે ત્યારે તો પાપ જ થાય છે. સમજાણું કાંઈ ? અરે! એણે ઘરની વાતું સાંભળી નહીં. અને ઘર બહાર આવ્યો ને એનાં ફળ શાં? સમકિતી પણ ઘરમાંથી બહાર આવ્યો, એનાં ફળ શાં? કે બહાર શુભભાવમાં આવ્યો તો એનું ફળ સ્વર્ગનું સુખ, એટલે કે સ્વર્ગની અનુકૂળ સામગ્રી. એ ભોગવવાનું લક્ષ જાય છે ત્યારે તો પાપ છે. અને તેથી તો કહ્યું: (“સમયસાર') કર્તા-કર્મ ગાથા-૭૬માં કેઃ શુભભાવ વર્તમાન દુઃખ છે અને ભવિષ્યમાં પણ દુઃખ (નું કારણ ) છે. શું કહ્યું ત્યાં? અને અહીં કહ્યું કે, શુભભાવનું ફળ સુખ છે. એ તો સામગ્રીની અપેક્ષાએ કહ્યું. સમજાણું કાંઈ ? અને અહીં ગુરુ કહે છે કે, ભાઈ ! શુભ અને અશુભભાવ બેય દુઃખનું કારણ છે. વર્તમાન દુ:ખનું કારણ છે. અને ભવિષ્યમાં એટલે સ્વર્ગ મળશે ત્યાં પણ દુઃખ થાશે. કારણ કે એનું લક્ષ જાશે એટલે એને દુઃખ જ થશે. આહા... હા! ગજબ વાત છે ને...! કેટલી અપેક્ષા આવી ગઈ મગજમાં! ક્યાંનું ક્યાં આવ્યું? કોને ખબર એ ક્યાંથી કેમ આવે છે !! આહા... હા ! એ ભગવાન આત્મા, ચૈતન્યભાવ; એનો આશ્રય લઈને જેને ધર્મધ્યાન પ્રગટયું છે, શુદ્ધિ પ્રગટી છે; (પણ હુજી) એને શુદ્ધિ થોડી હોવાને લીધે રાગની-શુભભાવની અશુદ્ધિ છે. તો એક ઠેકાણે એમ કહ્યું કે: (એ) અશુદ્ધિનું ફળ પરંપરાએ મુક્તિ છે. (અને ) અહીંયા કહે છે કે: (એ) અશુદ્ધિનું ફળ સ્ત્રનું સુખ છે. અને બીજે એમ કહ્યું કે શુભનું ફળ ભવિષ્યમાં દુઃખ છે. એ દુઃખ, ભોગવવાની અપેક્ષાએ છે; અપેક્ષાએ શુભભાવની સામગ્રી મળી છે, એટલું. આહા.... હા ! સમજાણું કાંઈ? વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! “આમ” ક્યાં કહ્યું છે? –પરમ જિનંદ્રના મુખારવિંદથી ! જુઓ ત્યાં પણ પાછું એકકોર એમ સિદ્ધાંતમાં (કહ્યું) છે કે ભગવાનની વાણી મુખથી હોય નહીં. હોઠ હાલે નહીં. મુખથી વાણી નહીં. આખા શરીરમાંથી પાણી આવે. અને અહીંયાં “મુખારવિંદથી–મુખરૂપી કમળથી. (કેમકે ) લૌકિક (જનો) એમ જાણે છે કે, ભાષા તો મુખથી નીકળે, એ અપેક્ષાએ (કહ્યું છે). નહીંતર ભગવાનને તો હોઠ બંધ હોય છે, કંઠ હુલે નહીં, હોઠ હલે નહીં; અંદરથી” “3ૐ' ધ્વનિ ઊઠે. આહા.... હા! “મુખ કાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે.” સમજાય છે કાંઈ ? અહીંયાં “મુખારવિંદથી નીકળેલા” એમ કહ્યું. પરમાત્મા જિનંદ્રદેવ, વીતરાગ પરમેશ્વરના મુખકમળ (એટલે મુખરૂપી) અરવિંદ-મુખરૂપીકમળથી નીકળેલી વાણી. વાણી તો આખા શરીરથી નીકળે છે. અહીં તો (કહ્યું) : “મુખમાંથી'. પણ લૌકિક લોકો એમ જાણે, એ અપેક્ષાએ વાત કહી છે. જેમ કે, વાણીનું સાધન તો મુખ છે. (પરંતુ) અને (ભગવાનને ) આ શરીર ક્યાં કોઈ સાધન રહ્યું છે? અને વાણી કરું એ પણ ક્યાં છે? “ૐ'... બોલવું એ પણ ક્યાં છે? સમજાણું? “મુખ. ઓંકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે.” “બનારસીવિલાસ' (જ્ઞાનબાવની) માં છે ને...! “ કાર શબ્દ વિશદ યાકે ઉભયરૂપ, એક આતમીક ભાવ એક પુદ્ગલકો.” – “3ૐ' શબ્દ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy