SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ આહા... હા! આ ચોરલોકો આવે ને...! પેલો (ઘરઘણી) સૂતો હોય તેને પહેલાં દોરડેથી ખાટલે બાંધે અને પછી (કહે) લાવ માલની કૂંચી ક્યાં છે તારી? માથે બંદૂક રાખીને ઊભા હોય. જુઓ ! આ તને બાંધ્યો છે પણ અહીં બંદૂક જો... રાડ પાડીશ તો...! એ વખતે એને અંદરથી એવો દ્વેષ થઈ જાય-રૌદ્રધ્યાન. હાયહાય! એને (ચોરને) મારી નાખું કે શું કરું? પણ સાધન કંઈ રહે નહીં. આહા. હા! તે બંને ધ્યાનો સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી”_જુઓઅહીં તો પૂર્ણ શુભભાવ મોક્ષમાર્ગમાં હોય છે. અપરિમિત અર્થાત્ ઘણું સુખ છે ને..! સાગરોપરનું. સાગરોપમ: એક પલ્યોપમમાં અસંખ્યાતા અબજ વર્ષ જાય અને એવા એવા દશક્રોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ. એવા એવા ૩૩-૩૩ સાગર સર્વાર્થસિદ્ધના. અહીંયાં અપરિમિત એટલે ઘણા કાળનું સુખ. અને મોક્ષનું અપરિમિત સુખ-બેય ભેગું. મોક્ષનું સુખ વાસ્તવિક છે. અને સ્વર્ગનું (સુખ) એ રાગની મંદતાના ફળ તરીકે આવે અને ત્યાં તો પછી અશુભભાવ છે. એ “પ્રતિપક્ષ”-સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી પ્રતિપક્ષ “સંસાર દુઃખનાં મૂળ હોવાને લીધે આહા... હા ! આર્તધ્યાન અને રૌદ્રધ્યાન (એ) સંસારદુઃખનાં મૂળ છે. “તે બંનેને નિરવશેષપણે (સર્વથા) છોડીને.” –જે કોઈ પ્રાણી આ આર્ત ને રૌદ્રધ્યાનને છોડી અને (૩) “સ્વર્ગ અને મોક્ષના નિ:સીમ સુખનું મૂળ”એટલે અપરિમિત-બેહદ (સુખનું મૂળ ) “એવું જે સ્વાભાશ્રિત નિશ્ચય (-પરમ) ધર્મધ્યાન.” –નિશ્ચયધર્મ-ધ્યાન તો ભગવાન આત્માના આશ્રયે થાય છે. તેનું ફળ તો પવિત્રતા છે. પણ વચમાં સમકિતી ધર્મીને જે રાગ રહી જાય છે; પૂર્ણ ધ્યાન નથી તેથી રાગ રહે છે; તેના ફળ તરીકે સ્વર્ગ છે. એટલે અહીં બેય (સ્વર્ગ અને મોક્ષસુખ) લીધા. આત્માના આશ્રયે નિશ્ચયધર્મધ્યાન એમાં પૂર્ણતા નથી. એથી (જેટલો ) આશ્રય ( આત્માનો) લીધો તેટલી તો પવિત્રતા (તે) મોક્ષનું કારણ. અને જેટલો અંદર મહાવ્રતાદિનો રાગભાવ બાકી રહ્યો છે તેના ફળ તરીકે સ્વર્ગ આવે છે. નિશ્ચય અને વ્યવહાર બેય લીધા. સ્વાત્માશ્રિત છે તે નિશ્ચય છે. અને પૂર્ણ આશ્રય નથી તેટલો, અંદર રાગ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો આવે છે એના ફળ તરીકે એન ( સાધકન ) સ્વર્ગ છે. સમ્યગ્દીષ્ટજીવ મનુષ્ય કે તિર્યંચ હોય (એન) અદર પૂર્ણ-શુક્લધ્યાનની–એકાગ્રતા નથી. તેથી તેને અપૂર્ણ આશ્રય છે. દ્રવ્યનો જેટલો આશ્રય છે એટલી તો પવિત્રતા છે. એનું ફળ તો મોક્ષ જ છે. પણ એની સાથે રહેલો (જે) શભરાગ છે (તે) પૂર્ણ ધર્મધ્યાન નથી. ધર્મધ્યાનની પૂર્ણતા તો શુક્લધ્યાનમાં હોય છે. તેથી એને નિઃસીમ સુખનું કારણ સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન (છે). - હવે, (૪) શુક્લધ્યાનઃ “ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત” ધ્યેય-આત્માનું ધ્યાન કરું છું એવા જે ભેદ પડ્યા છે વિકલ્પ-રાગ, એનાથી–વિકલ્પોથી રહિત-“ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત” “અંતર્મુખાકાર” અંતર્મુખ જેનું સ્વરૂપ છે. એકલું અંતર્મુખ છે, એમ કહેવું છે. ઓલામાં (ધર્મધ્યાનમાં) “સ્વાભાશ્રિત' લીધો હતો પણ ત્યાં હુજી પૂર્ણ અંતર્મુખ નહોતો. સમજાણું કાંઈ ? આહ.... હા! ભગવાન પરમાનંદ, ચિધ્ધન વસ્તુ, જિનસ્વરૂપી, વીતરાગ પરમાત્મસ્વરૂપ આત્મા એનો આશ્રય લીધો એટલે ત્યાં ધર્મધ્યાન કહ્યું. અને અપૂર્ણ છે ત્યાં શુભરાગ (આવે) એ વ્યવહારધર્મધ્યાન; એનું ફળ સ્વર્ગ છે. અહીં તો (જે) તદ્દન અંતર્મુખાકાર' કહ્યું (એ) શુક્લધ્યાન તો અંતરમુખસ્વરૂપ છે. (એમાં) આત્માનો તદ્દન-પૂર્ણ આશ્રય લીધો છે. આહા.... હા! છે ને.. નીચે ( ફૂટનોટમાં) –અંતર્મુખાકાર (એટલે ) અંતર્મુખ જેનો આકાર અર્થાત્ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy