SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ અહીં તો “પૂન રૂમ” –નિર્ણય કરવાવાળી પર્યાય તો છે. પર્યાય છે! પર્યાય નથી, એમ નથી. (પણ) (“સમયસાર') ૧૧મી ગાથામાં તો એમ કહ્યું કે પયાય અભૂતાર્થ છે. વ્યવહાર અભૂતાર્થ છે. ત્યાં વ્યવહાર એટલે પર્યાય છે. “પર્યાય અભૂતાર્થ છે, જૂઠી છે,” એમ કેમ કહ્યું? (ક) પ્રયોજન સિદ્ધિ (માટે)! (તો) એ પ્રયોજન સિદ્ધિ, ધ્રુવને મુખ્ય કરીને નિશ્ચય કરીને (એનો) આશ્રય કરે તો થાય છે. એ કારણે મુખ્યને નિશ્ચય કહીને ઉપાદેય કહ્યું અને પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને હેય કહી. હેય કહી અથવા અસત્યાર્થ કહી. આહા. હા! આહા.... હા! ગજબ વાત છે! દિગંબર સંતોના એક એક શબ્દમાં અનંત આગમ ભર્યા છે! શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંકઃ ૧૬૬માં એમ) કહે છે: “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે.” આહા.... હા ! પણ એ વાતનો ખુલાસો તો સમ્યગ્દર્શન વિના થઈ શકે નહીં. સમજાણું કાંઈ ? અહીંયાં કહે છે કે: “એવો કારણપરમાત્મા તે ખરેખર આત્મા” છે. ભાષા જુઓ! પર્યાય એ આત્મા છે એનો નકાર કર્યો. આહા... હા! શું કહ્યું કે જે “અનાદિ-અનંત અમર્ત અતીન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ- (સહજ) -પરમ-પારિણામિકભાવ (જેનો સ્વભાવ છે) - એવો કારણપરમાત્માને ખરેખર આત્મા છે.” પર્યાયને આત્મા ન કહ્યો. નિર્ણય કરવાવાળી પર્યાયને આત્મા ન કહ્યો. કારણ કે નિર્ણય કરે છે એ પર્યાય છે. તેને અભતાર્થ કહી અને મુખ્યને નિશ્ચય કહીને (ભતાર્થ કહ્યું). નિર્ણય કરે છે. પર્યાય. બીજી રીતે કહીએ તો નિત્યનો નિર્ણય અનિત્ય કરે છે. આહા.... હા! નિત્યનો નિર્ણય, નિત્ય-ધ્રુવ શું કરે? સમજાણું કાંઈ ? નિત્યનો નિર્ણય અનિત્ય કરે છે. અનિત્ય કહો કે પર્યાય કહો. પર્યાયનો વિષય શું? (ક) કારણપરમાત્મા ! આહા. હા! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-આત્મજ્ઞાન; એનો “વિષય” તે ખરેખર “આત્મા” છે. (કારણ-પરમાત્મા) ને જ આત્મા કહ્યો. તે જ ખરેખર “આત્મા” છે. પર્યાયને વ્યવહાર કહીને અનાત્મા કહ્યો છે. જરા શાંતિથી સાંભળો! કારણ કે, પર્યાયને અભૂતાર્થ કહીને, અસત્યાર્થ કહીને, એ “અનાત્મા” છે એમ કહ્યું. વ્યવહારનયનો વિષય હોં! અને વસ્તુ જે ત્રિકાળ છે તે જ ખરેખર આત્મા છે. પણ, ખરેખર આત્મા છે તેનો નિર્ણય ” સમ્યગ્દર્શનની પર્યાય કરે છે અને સમ્યજ્ઞાન કરે છે (છતાં) એ જ્ઞાનમાં “કારણપરમાત્મા” આવતો નથી. એ શ્રદ્ધાની પર્યાયમાં ‘કારણપરમાત્મા’ આવતો નથી. પણ કારણપરમાત્માનું જેટલું સામર્થ્ય છે એટલું જ્ઞાનમાં અને પ્રતીતિમાં આવી જાય છે. આહા.... હા! એની ગંભીર શૈલી ! આહા... હા! બીજી એક વાત કે દરેક વસ્તુ “ક્રમબદ્ધ' છે! જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે જ સમયે (તે) ઉત્પન્ન થશે! (તો) ત્યાં પુરુષાર્થ ક્યાં રહ્યો? એ પ્રશ્ન ૬ર વર્ષ પહેલાં, સંવત ૧૯૭રમાં ઊઠ્યો હતો. (“સમયસાર') સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં પહેલી ગાથા: “રવિવું નં ૩qgટ્ટ અહિં તેહિં નાગનું UUU _જે દ્રવ્ય જે પર્યાયથી ઊપજે છે તે પર્યાય ક્રમબદ્ધ છે. (અર્થાત્ ) જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે જ સમયે (તે) થશે. એવો અનાદિ-અનંત પર્યાયનો ક્રમબદ્ધ છે. “પ્રવચનસાર” ગાથા-૯૩ (ની ટીકા) માં “ગાયત સમુદ્રાય કહ્યું છે. (કાળ- અપેક્ષિત પ્રવાહ. એક પછી એક પ્રવર્તતો, કમભાવી સમુદાય-). “ગાયત. સમુવાય”—એક પછી એક. એક પછી એક. એક પછી એક (પર્યાય). જેમ હારમાં મોતી છે, તે એક પછી એક હોય છે. આવાં-પાછાં નથી. તેમ ભગવાન આત્મા, ધ્રુવ, કારણપરમાત્મા એની Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy