________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૮ - ૨૭૫ અહીંયાં કહે છે કેઃ નિશ્ચયગુસપણું “જેનું લક્ષણ છે એવા પરમ તપોધનને ” આહા... હા! ધન્ય દશા! મુનિદશા ! એ વિના મુક્તિ નથી. ચારિત્રથી મુક્તિ છે. ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન હોય તો પછી ચારિત્ર આવે. અરે ! ચોર્યાશીના અવતારમાં પ્રાણી દુઃખી છે. રાડરાડ ચારેકોર પાડ બિચારા દુ:ખી (છે ).
અહીંયાં કહે છે: એવા જે પરમ તપોધન. એ (મુનિ) પરમ તપોધન છે. જેણે અમૃતનો સાગર ઉછાળ્યો છે એ પરમ તપોધન છે. એની પાસે તારૂપી લક્ષ્મી છે. આહા. હા! એની પાસે વીતરાગી-નિર્વિકલ્પ સમાધિ, રાગ વિનાનું નિર્વિકલ્પ ચારિત્ર, પરમ તપોરૂપી ધન છે. આહા.... હા ! એ ધન (વાન) કરોડો-અબજોપતિ હોય છતાં એ તો બધા રાંકા ને ભિખારી છે. ( એને) વરાકા કહ્યા છે. આહા.... હા ! એ (પોતાનું સુખ ) પર પાસેથી માગે છે (તેથી) માગણ છે.. માગણ. અને આ (જે) તપોધન (મુનિ ) છે તે બાદશાહુ છે. એને તારૂપી ધન-લક્ષ્મી અંદર પ્રગટી છે. આહા... હા! જેનો અતીન્દ્રિય આનંદ સ્વભાવ; એના ઉપર એકાગ્રતા થતાં, પર્યાયમાં-અવસ્થામાં અતીન્દ્રિય આનંદની ભરતી ઉછાળો મારે છે, તેને પરમ તપોધન કહીએ.
આવું ચારિત્ર અને આ મુનિમણું!! ધન્ય અવતાર છે ને..! આહા... હા! જેણે મનુષ્યપણું પામી, કરવાનું કાર્ય તો આ હતું તે કર્યું. દુનિયામાં ગણાય ન ગણાય એની કાંઈ વાત ( કિંમત) નથી. પોતે અંદર મોક્ષમાર્ગમાં ગણાણો (એમાં) બધું આવી ગયું. (એ તો) પરમાનંદ-અનાકુળ-શાંતિ... શાંતિ.. શાંતિ (માં કેલિ કરે છે ) !
સવારમાં કહ્યું હતું ને....! “ભેદવિજ્ઞાન જગ્યૌ જિન્હકે ઘટ, સીતલ ચિત્ત ભય જિમ ચંદન.” આહા.... હા! પ્રથમ સમ્યગ્દર્શનમાં પણ “ભેદવિજ્ઞાન જગ્યૌ જિન્હકે ઘટ'. રાગનો વિકલ્પ ચાહે તો શુભ હોય [કે પાપ (અશુભ); છેલ્લી સ્થિતિએ તો ત્યાં પાપ નથી પણ એ વિકલ્પ જે પુણ્યનો શુભ છે] તેનાથી ભેદવિજ્ઞાન કરીને, આહા... હા! “ભેદવિજ્ઞાન જગ્યૌ જિત્ત્વકે ઘટ, સીતલ ચિત્ત ભયૌ જિમ ચંદન” –ચંદન જેમ શીતલ (છે, તેમ) એની પર્યાયમાં શીતલતા-શાંતિ-અકષાયભાવ (રૂપ) શાંતિ પ્રગટી. અને અહીંયાં તો (મુનિને) ઉગ્ર શાંતિ પ્રગટી (છે). જ્યાં પંચમહાવ્રતના વિકલ્પ છે તેનાથી પણ ખસીને અંદર (આત્મામાં) ગુમ થયા, એવા તપોધનને “નિશ્ચયચારિત્ર હોવાનું આ કથન છે.” એ પ્રતિક્રમણાદિ બધા ચારિત્રના ભેદ છે ને...! સાચું ચારિત્ર હોવાનું આ કથન છે.
પરમ તપશ્ચરણરૂપી સરોવરના કમળસમૂહ માટે” આહા. હા! અતીન્દ્રિય આનંદનું કમળ જેણે અંદરથી ખીલવ્યું છે. આહા. હા ! પરમ તપશ્ચરણ-આનંદરૂપી સરોવરના કમળસમૂહ માટે એની પ્રગટ-વિકાસશક્તિને માટે “પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિઆસન્નભવ્ય મુનિશ્વર” આહા... હા ! કહે છે કે, પરમ અતીન્દ્રિય આનંદરૂપી સરોવર, (એના) જે કમળનો સમુહુ છે.
તેને (માટે) પ્રચંડ સુર્ય સમાન (એવા જે) અતિઆસન્નભવ્ય, અર્થાત જેનો સંસાર ઓછો થઈ ગયો છે, અતિનિકટ (ભવ્ય), જેને નિકટ ભવ્યતા-યોગ્યતા પ્રાપ્ત થઈ છે એવા મુનિશ્વર “બાહ્ય પ્રપંચરૂપ અગુણિભાવ તજીને ” આહા... હા! એ શુભભાવ પણ પ્રપંચરૂપ અગુપ્રિભાવ છે.
આહા... હા ! હવે જ્યાં શુભભાવથી પણ લાભ નથી ત્યાં વળી આ પાપના, ભોગના, વાસનાના પાપથી લાભ થાય, નિર્વિકલ્પ થાય? ? રજનીશનું પુસ્તક છે એમાં એવું લખ્યું છેસંભોગથી સમાધિ થાય છે! અરર. ૨! આ તે કેવું (લખાણ)?! આ શું કઈ જાતની વાત? પાપ સેવતાં મુક્તિ થાય? પાપ કરીને પછી નિર્વિકલ્પ થાય? ભોગ હોય ને વાસના ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com