SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૧૫ - ર૬૧ તેમ આત્માની શાંતિ પ્રગટ કરીને મસ્ત થઈ જાય છે. એને દુનિયાની કાંઈ પડી નથી. આહા.... હા! અતિ આનંદિત થાય છે. –એ શાસ્ત્રસમૂહુમાં મત્ત છે. ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત છે” ભગવાન આત્મામાં અનંતગુણ પડ્યા છે. સંખ્યાએ ગુણ અનંત છે. વસ્તુ એક. ઝીણી વાત! જેમ સાકર એક; પણ સફેદાઈ, મીઠાશ, સુંવાળપ આદિ એની શક્તિ છે. એમ વસ્તુ એક; પણ જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે. આહા... હા! “ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત છે.” જેની દષ્ટિમાં ગુણયુક્ત આત્મા આવ્યો, એ ગુણરૂપી મણિઓનો સમુદાય-પિંડ આખો ભગવાન, એ સહિત છે. એમ કહીને શું કહ્યું? જુઓ! ગુણરૂપી મણિઓ અર્થાત્ અંદર ગુણરૂપી મણિઓ અર્થાત્ અંદર ગુણરૂપી મણિઓજ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, દર્શન, જ્ઞાન, વીર્ય એવા અનંત ગુણરૂપી મણિઓ અંદર-પડ્યાં છે. ગુણરૂપી મણિઓથી સહિત છે. આહા... હા... હા ! અને સર્વ સંકલ્પોથી મુક્ત છે.” –પરની એકતાબુદ્ધિથી જે સંકલ્પ-વિકલ્પ થાય છે (એથી મુક્ત છે), બેની વ્યાખ્યા છે જરી. સંકલ્પમાં પરની એકતાબદ્ધિવિકલ્પમાં અસ્થિરતા. - એ બેયથી મક્ત છે. “સમયસાર' માં ૩૫મા પાને ( કળશ-૧૦) આવે છે ને...! રાગ અને પરની એકત્વબુદ્ધિ, એ સંકલ્પ. અને અસ્થિરતાનો ભાવ થવો અનંતાનુબંધી, એ વિકલ્પ. દરેકનો અર્થ કરવા જઈએ તો ઝીણું પડે. (સર્વ) સંકલ્પ-વિકલ્પથી મુક્ત છે. “હું આનંદસ્વરૂપ છું' એવો વિકલ્પ પણ જેને અંતરમાં છુટી ગયો છે. છેલ્લી વાત છે તે કરે છે. અને અતીન્દ્રિય આનદમાં મસ્ત થઈ ગયા છે. આણ... હીં! તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય?” આહા.... હા! શું કહે છે? એવો જે આત્મા આનંદસ્વરૂપ, અનંત ગુણના મણિઓથી સહિત છે; એવું (જેને) ભાન થયું, દષ્ટિ થઈ અને સ્થિરતા થઈ તો તે, મુક્તિસુંદરી-મુક્તરૂપી દશા, પૂર્ણાનંદપ્રાણિરૂપ દશા એ મુક્તિસુંદરી, એ મુક્તિરૂપી સુંદરી- (નો વલ્લભ થશે). પાઠમાં “સ્ત્રી' કહ્યું છે ને...! “થમમૃતવયૂટીવજ્ઞમ સ્પરતે.” વધૂ એટલે સ્ત્રી. એવો ભગવાન આત્મા, (એવા) આત્મામાં જેની દૃષ્ટિ ને જ્ઞાન ને રમણતા જામી ગઈ છે તે મુક્તિરૂપી સુંદરીનો વલ્લભ કેમ ન થાય? આહા... હા! એટલે શું કહે છે? કે એને પૂર્ણાનંદની પ્રાપ્તિમાં વલ્લભ અર્થાત્ પ્રેમ થશે. એ જ વલ્લભ (પ્રેમી) છે. મુક્તિરૂપી સુંદરીનો વલ્લભ (છે). જેમ પતિ, પત્નીનો વલ્લભ છે તેમ આ મુક્તિરૂપી સુંદરીનો વલ્લભ થશે. પૂર્ણાનંદની પ્રાપ્તિ એ ચારિત્ર અને સમ્યગ્દર્શનના પ્રતાપથી, શુદ્ધ આત્માના અનુભવના પ્રતાપથી એ પૂર્ણ સુંદરમુક્તિરૂપી સુંદરીનો વલ્લભ કેમ ન થાય? –નિશ્ચયથી એની મુક્તિ થશે જ. એને મુક્તિ થશે જ. એમ કહે છે (“અવશ્ય થાય જ”). -એ આત્માની દષ્ટિ અને (એનો) અનુભવ અને (એમાં) સ્થિરતા કરવાવાળો જરૂર મુક્તિ પ્રાપ્ત કરશે. કોઈ બીજો કરાવે છે, કરાવી શકે છે? –પોતે કરે છે. કોઈ મોક્ષ આપી શકે ? મોક્ષ તો એને અંદર આનંદ પડ્યો છે, એ આનંદને પ્રગટ કરવાનું તેને છે. અને દુઃખ જે દશા છે તેનો નાશ કરવો તે વ્યય. અનંત આનંદનું પ્રગટવું તે ઉત્પાદ. અને ધ્રુવપણે તો ત્રિકાળ છે. એવી મુક્તિની પ્રાપ્તિ કેમ ન હોય? –થશે, થશે જ થશે! * * * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy