SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૮૬ - ૨૫૧ સ્થિર થાય છે. પહેલો તે રાગને ભિન્ન પાડીને સમ્યગ્દર્શન કરે છે. પછી અશુભ છોડીને શુભમાં આવે છે પછી એનેય છોડીને સ્થિર થાય છે. આહા... હા ! આવું (વસ્તુ) સ્વરૂપ છે! જિજ્ઞાસા: જે સમકિતસમુખ છે, નિશ્ચયનયના પક્ષવાળો છે તેની કઈ કોટિ છે? સમાધાનઃ તેની અહીં વાત નથી. અહીં તો સમ્યગ્દર્શન પામેલ જીવને સાચું મુનિપણું હોય છે. વ્યવહારે એનો વ્યવહાર આવો હોય છે, (એ વાત છે). એ તો પછી એને સમજવાનું રહ્યું. સમકિતસંમુખ હજી તો મિથ્યાદષ્ટિ છે ને....! એ એની વાત નથી. અહીં તો શુદ્ધસમ્યગ્દષ્ટિની વાત લીધી છે. તેથી લીધું ને...! “શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ જીવ.” (અહીં ) પામેલાની વાત છે. પામશે એ પછી. આ તો પામ્યો છે એ પણ પ્રથમ અશુભથી છૂટીને શુભના પંચ મહાવ્રતમાં આવે છે તો એને નિશ્ચયસમ્યગ્દષ્ટિની અપેક્ષાએ વ્યવહાર કહેવામાં આવે છે. પણ એને છોડીને, સ્વરૂપમાં નિર્વિકલ્પ જામી જાય છે અને નિશ્ચયચારિત્ર કહે છે. આહા.... હા ! વસ્તુ આમ છે–એવો પહેલાં જ્ઞાનમાં નિર્ણય તો કરે ! વસ્તુની સ્થિતિ જ આ રીતે છે! વઢવાણમાં એક ભાઈ ભજન કરતા-“એક દિન જાવું છે નિર્વાણી, કરી લે ને આત્માની ઓળખાણી, એ કોણ છે ખાણમાં ભગવાન.” આહા.. હા ! બાકી બધું થોથાં છે. (અહીંયાં કહે છે:) “સ્થિરભાવ કરે છે.” જોયું? કૌંસમાં લીધું: “(જે શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ જીવ વ્યવહાર અઠયાવીશ મૂળગુણાત્મક માર્ગમાં અને નિશ્ચયે શુદ્ધ ગુણોથી શોભિત દર્શનજ્ઞાનાત્મક પરમાત્મદ્રવ્યમાં સ્થિરભાવ કરે છે,) તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે.” -લ્યો! સત્ય પ્રતિક્રમણ એને કહીએ. “ કારણ કે તેને પરમતત્ત્વગત (-પરમાત્મતત્વ સાથે સંબંધવાળું) નિશ્ચયપ્રતિક્રમણ છે” પરમતત્ત્વ-ભગવાનગત, એના સંબંધવાળું, રાગના સંબંધવાળું નહીં, આનંદકંદ પ્રભુના સંગવાળું –પરિચયવાળું નિશ્ચયપ્રતિક્રમણ છે “તેથી જ તે તપોધન સદા શુદ્ધ છે.” –આ કારણે તે મુનિ સદા શુદ્ધ છે. આહા... હા ! ... વિશેષ કહેવાશે. * * * પ્રવચન: તા. ૨૫-૨-૧૯૭૮ [ [ એવી રીતે શ્રી પ્રવચનસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની) ટીકામાં (૧૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેचोक्तं प्रवचनसारव्याख्यायाम् (શાર્વતવિઠ્ઠીડિત) “इत्येवं चरणं पुराणपुरुषैर्जुष्टं विशिष्टादरैरुत्सर्गादपवादतश्च विचरबह्वीः पृथग्भूमिकाः। आक्रम्य क्रमतो निवृत्तिमतुलां कृत्वा यतिः सर्वताश्चित्सामान्यविशेषभासिनि निजद्रव्ये करोतु स्थितिम्॥" [ શ્લોકાર્થ:- ] એ પ્રમાણે વિશિષ્ટ આદરવાળા પુરાણ પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક્ પૃથક ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ (-ચારિત્ર) તેને યતિ પ્રાપ્ત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy