SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૧૧ - ૨૧૧ સમયસાર એટલે ત્રિકાળી ચીજ. એનો અનુભવ કરવો એ મોક્ષમાર્ગ. આહા. હા! એ શ્લોક અમૃતચંદ્ર આચાર્ય (રચિત છે). કુંદકુંદ આચાર્ય સંવત ૪૯માં થયા. એમણે શાસ્ત્ર બનાવ્યાં. અને “નિયમસાર' માં તો એમ કહ્યું કે આ “નિયમસાર તો મેં મારી ભાવના માટે બનાવ્યું છે. આમાં છેલ્લે (ગાથા-૧૮૭) છેઃ “ળિયભાવ નિમિત્તે મy wવું fણયમHIRામસુવં” – કુંદકુંદ આચાર્ય કહે છે કે મેં મારી ભાવના-આનંદનો નાથ પ્રભુ અનાકુળશાંતસાગર એની એકાગ્રતા-માટે આ શાસ્ત્ર બનાવ્યું છે. એના ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ છે અને સમયસાર”, “પ્રવચનસાર” ના ટીકાકાર અમૃતચંદ્ર આચાર્યદવ છે. (વળી ( આ ૮૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :तथा हि [ કાર્યા] अतीतीव्रमोहसंभवपूवार्जितं तत्प्रतिक्रम्य। आत्मनि सद्बोधात्मनि नित्यं वर्तेहमात्मना तस्मिन्।।१११।। [ શ્લોકાર્થ:- ] અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વ ઉપાર્જેલું (કર્મ) તેને પ્રતિક્રમીને, હું સર્બોધાત્મક (સમ્યજ્ઞાનસ્વરૂપ) એવા તે આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું. ૧૧૧) “અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાર્જેલું (કર્મ) તેને પ્રતિક્રમીને ” અતિ તીવ્ર મોહની મિથ્યાત્વાદિની-ઉત્પત્તિથી પૂર્વે ઉપાર્જેલું કર્મ, તેનું પ્રતિક્રમણ કરીને; પુણ્ય અને પાપના ભાવથી હુઠીને, શુભ-અશુભ ભાવથી હુઠીને હું પરમાનંદસ્વરૂપમાં રમણતા કરું છું એનું નામ સાચું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પ્રતિ એટલે પાછા હુઠીને, “હું સર્બોધાત્મક (સમ્યજ્ઞાનસ્વરૂપ)” એવો તે આત્મા- એ તો જ્ઞાનની મૂર્તિ પ્રભુ, આત્મા ચૈતન્યજ્યોતિ ઝળહળ સૂર્ય છે. જેમ આ સૂર્ય પરમાણુની સફેદાઈ છે, પ્રકાશ છે; તેમ ભગવાન (આત્મા) ચૈતન્યના પ્રકાશના નૂરનો પૂર છે. આહા. હા! એવો ભગવાન, એવો તે આત્મા સર્બોધાત્મક એટલે સમ્યજ્ઞાનસ્વરૂપ (છે). આત્મા તો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપી છે. બસ! “ એવા તે આત્મામાં આત્માથી” આહા... હા! જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યસૂર્ય એવા તે આત્મામાં આત્માથી અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગથી આત્મા (માં) “નિત્ય વર્તુ છું.” આહા.... હા! મુનિરાજ કહે છેઃ હું તો સબોધાત્મક-જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા ત્રિકાળ એવા (તે) આત્મામાં આત્માથી, “આત્માથી” એટલે પૂર્ણ પવિત્ર દશાથી, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની દશા એ આત્મા છે (અને) એ આત્માથી આત્મામાં (નિત્ય વર્તુ છું). ઝીણી વાત, ભાઈ ! મોક્ષમાર્ગ સૂક્ષ્મ બહુ. અને તે માર્ગ જૈનદર્શનમાં જ છે, એ સિવાય ક્યાંય નથી. અન્યમાં ય ક્યાંય નથી. આ તો સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવનું કથન છે. જેના માર્ગમાં સર્વજ્ઞ નથી તેના માર્ગમાં કોઈ વાત સત્ય હોતી નથી. કેમકે સર્વજ્ઞસ્વભાવી આત્મા છે; આત્મામાં સર્વજ્ઞશક્તિ-સ્વભાવ ભર્યો છે–એ આત્મા એના અવલંબનથી, એના આશ્રયથી પર્યાયમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy