SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ નિમિત્ત એને માનીએ છીએ કે નિમિત્તની હયાતી છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ પણ થાય. તો તે નિમિત્ત ક્યાં રહ્યું? એ તો અંદર ઉપાદાનમાં ગરી ગયું. એક મોટા વિદ્વાને ખુલાસો ( પણ ) કર્યો છે કે: સોનગઢવાળા નિમિત્ત માને છે; નિમિત્ત નથી માનતા એમ નથી; પણ નિમિત્તથી ૫૨માં કાર્ય થાય, એમ માનતા નથી; એ જ યથાર્થ છે. નિમિત્ત કયાં નથી ? પણ જેની પર્યાય પોતાને કા૨ણે (પરિણમવાના લીધે) ઉપાદાન થઈ છે, તેનું નામ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તે કરાવ્યું છે એમ છે? (એમ નથી ). પરદ્રવ્ય (અન્ય) ૫૨માં કરે એવું ક્યાંય નથી. આહા... હા ! એવી વાત છે. અહીં કહે છે કે: એ સંસારનો બંધ ક્યારે અટકે? કેઃ સંસારલતાનાં મૂળ-કંદભૂત (સમસ્ત ) મોહરાગદ્વેષ ( ભાવ ) “એનું નિવારણ કરીને ” એનો અભાવ કરે ( તો ). ચાહે તો શુભરાગ હોય તોપણ તેનો અભાવ કરે કેમકે શુભરાગ એ હજી સંસાર અને ભવનું કારણ છે. આત્માના આશ્રયથી જેટલી જ્ઞાનધારા પ્રગટી તેટલો અબંધપરિણામ છે અને જોડે જેટલો રાગભાવ છે એ બધી બંધધારા છે, કર્મધારા છે. (સાધકને ) જ્ઞાનધારા અને કર્મધારા બેય હારે (સાથે ) છે. પણ અહીં તો એ કર્મધારાને છોડીને સ્વરૂપમાં લીન થાય છે ત્યારે તેને નિશ્ચયસાચું પ્રતિક્રમણ છે. સમજાણું કાંઈ ? એનું મોહરાગદ્વેષભાવોનું ) નિવા૨ણ કરીને “ અખંડ-આનંદમય નિજ કા૨ણપ૨માત્માને ધ્યાવે છે.” –પાઠમાં “અપ્પાનું નો જ્ઞાયવિ” એનો અર્થ કર્યો છે. ભગવાનઆત્મા અખંડ આનંદમય, (‘આનંદવાળો' એમ નથી લીધું પણ] નિજ આનંદમય, ભગવાન અંદર અતીન્દ્રિય આનંદમય, નિજ અતીન્દ્રિય આનંદમય, અનાકુળ અણન્દ્રિય આનંદમય પ્રભુ, એ નિજ કા૨ણપ૨માત્મા, પોતાનો કા૨ણપ૨માત્મા, ત્રિકાળી અખંડ આનંદમય નિજ કા૨ણપ૨માત્મા (એમ લીધું ).- આહા...હા... હા! એ તે કંઈ શબ્દો છે!! આ તો શબ્દો છે પણ એનું વાચ્ય!! આહા... હા! અખંડ આનંદમય “નિજ” કા૨ણપ૨માત્મા! અહીં વીતરાગી પ૨માત્મા નહીં; એટલે ‘નિજ ’ શબ્દ લીધો છે. પરમાત્માનું ધ્યાન કરે ને વિકલ્પ કરે, એ પણ રાગ છે. (શ્રોતાઃ) કષાયની પુષ્ટિ થાય છે? (ઉત્તરઃ ) એક એક કષાય છે–ભગવાનની ભક્તિનો ભાવ પોતે જ કષાય છે. એમાં (‘નિયમસાર ’ માં ) છે. એ વાત મળી નહોતી, એ વાત (શ્વેતાંબરમાં) હતી નહીં ને...! આ માર્ગ સમજવા માટે કાં તો વીતરાગસંસ્કાર જોઈએ અને કાં તો વીતરાગી સંત જોઈએ. બાકી એ સિવાય આ માર્ગ બહુ ઝીણો છે; (પોતાની મેળે સમજી લે તેમ નથી ). કાં તો સમ્યગ્દષ્ટિ જોઈએ, કાં એને પૂર્વના કોઈ સંસ્કાર જોઈએ; તે વિના આ વાતો બેસે એવી નથી. એ વસ્તુસ્થિતિ છે. “ અખંડ આનંદમય નિજ કા૨ણપ૨માત્માને ”– પાઠમાં (છે) “અપ્પાનું નો જ્ઞાવિ એનો અર્થ કર્યો: “જે આત્માને ધ્યાવે છે.” કેવા આત્માને ? કોણ આત્માને ? કેઃ “ અખંડઆનંદમય નિજ કારણપરમાત્માને.” આહા... હા ! એને આત્મા કહ્યો. શરીર નહીં, પુણ્ય-પાપના ભાવ નહીં, એક સમયની પર્યાય પણ (એ આત્મા ) નહીં. નિર્ણય કરે છે ‘પર્યાય ’. પણ એનો વિષય છે એ ‘નિજ કા૨ણપ૨માત્મા'. આહા.. હા! સમજાણું કાંઈ ? (‘ સમયસાર ’) ગાથા-૩૨૦માં તો એમે કહ્યું કે જે સળનિરાવરણ, અખંડ, એક પ્રત્યક્ષપ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધપારિણામિક પરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું” એમ Please inform us of any errors on rajesh@Atma Dharma.com ,
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy