SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ વીતરાગ ત્રિલોકનાથે જડ અને ચૈતન્યનો સ્વભાવ જે વર્ણવ્યો છે તે ચમત્કારિક છે! આહા.. હા ! એવું (વસ્તુવિજ્ઞાન) ક્યાંય કોઈ (બીજ) ઠેકાણે છે જ નહીં અન્યમતમાં (તો) આ વાત જ નથી. વીજળી છે માટે સંચો ચાલે છે એમ નથી. મોટરનું જે પૈડું ચાલે છે તે નીચે જમીનને આધારે નહીં. પોતાના આધારે એના એક એક રજકણ ીં. પોતાના આધારે એના એક એક રજકણનો પર્યાય સ્વતંત્ર પોતાથી ગતિ કરી રહ્યો છે. આકરી વાત! અને મોટર ચાલે છે માટે સાથે મોટરમાં બેઠેલો માણસ આમ ગતિ કરે છે એમેય નથી. આહા... હા ! શું છે આ તે વાત! માણસને તો એમ (લાગે) છે કે આ જૈનધર્મ આવો હશે ? અરે બાપ ! તને જૈનધર્મની ખબર નથી. “ઘટ ઘટ અંતર જિન બસે- એ રાગથી ભિન્ન પડીને (જિનસ્વરૂપી આત્માની) દષ્ટિ કરી તેને જૈન કહેવામાં આવે છે. એ જૈનપણું અંદર ઘટમાં છે; એ કાંઈ બાહ્યક્રિયામાં નથી. સમજાણું કાંઈ ? અને અહીં તો ચારિત્રની વ્યાખ્યા છે. “અતીત (ભૂતકાળના) દોષોના પરિહાર અર્થે જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે.” (મૂળ ગાથામાં) ચોથું પદ છે ને.! “પરિક્રમાવી” – આદિ' શબ્દ પડ્યો છે ને...! તો કહે છે કેઃ “આદિ” શબ્દથી પ્રત્યાખ્યાનાદિનો સંભવ કહેવામાં આવે છે. (અર્થાત્ પ્રતિક્રમણાદિમાં જે આદિ શબ્દ છે તે પ્રત્યાખ્યાન વગેરેનો પણ સમાવેશ કરવા માટે છે).” તો પ્રતિક્રમણ “આદિ' શબ્દથી પ્રત્યાખ્યાન પણ લઈ લેવું. પચ્ચકખાણકહેવું કોને? કે કોઈ પણ રાગ-દયા, દાન-ના વિકલ્પથી ભિન્ન, ચૈતન્યમૂર્તિને વિશેષે કરીને જોઈને ઠરવું એને અહીં સંવર કહે છે. ભૂતકાળ (ના દોષો) નું પ્રતિક્રમણ, ભવિષ્ય (ના દોષો) નું પ્રત્યાખ્યાન, અને વર્તમાન (ના દોષો) ની આલોચના. આવે છે ને..! આલોચના એટલે સંવર. અભેદ ભગવાન આત્માનું જ્ઞાન કરી અને પછી રાગથી પણ (ભિન્ન) પડી અને સ્વરૂપના આનંદમાં લીન થાય તેને અહીંયાં પચ્ચકખાણ, સંવર, ભક્તિ, સામાયિક, સમાધિ કહે છે. આવે છે ને....! સમાધિના અધિકારમાં એને (સમાધિને) સામાયિક કહીએ. આ (સંપ્રદાયમાં) તો પાંચ-છ વર્ષની છોકરી હોય ને મોઢે (મુખપટી) બાંધીને (આમ) બેઠી હોય ને.. નમો અરિહંતા... સિદ્ધા.. તો એ સામાયિક (કરે છે, એમ કહે છે.) એ બધા સામાયિક કરે એને વાટકાની લ્હાણી આપશું ને ફલાણું કરશું. બેસી જાય સો-બસો-પાંચસો... એ જાણે કે આપણે ક્યે ધર્મ ! અને (ઓલો માને કે) આપણે ધર્મને પૈસાથી મદદ કરીએ ! બેય મિથ્યાષ્ટિ છે. એ ધૂળે ય સામાયિક નથી, ભાઈ ! એક ક્ષણની સામાયિક જન્મ-મરણના અંતને લાવે. “મધ્યસ્થ” કહ્યું હતું ને..? ઈ સામાયિક છે; એટલે વીતરાગતા છે. સામ+આયક= “સમ' અર્થાત્ સમતા એનો “આય” અર્થાત્ લાભ; અને “ઈક' તો પ્રત્યય છે. તો એ વસ્તુ જે વીતરાગ સ્વરૂપે અભેદ છે એનું જ્ઞાન થયું હવે એ અભેદમાં ઠરે છે અર્થાત્ અંદર વીતરાગ સ્વભાવમાં ઠરે છે અને વીતરાગદશા થાય છે તેને સામાયિક કહેવામાં આવે છે. આહા.. હા! એને સામાયિક કહીએ. અહીંયાં છે ને...! “પ્રત્યાખ્યાનાદિ_આદિ એટલે આને સામાયિક હીએ. આને સંવર ક્વીએ. [ [ એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૧માં શ્લોક દ્વારા) કહ્યું છે કે- ]. तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy