SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૦૯ - ૧૮૧ આહા.... હા! આવો માર્ગ છે!! લોકોને નિશ્ચયાભાસ જેવું લાગે. કાંઈક પણ આ વ્યવહારથી (નિશ્ચય) થાય (એમ એ કંઈ કહેતા નથી તો શું ) દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, તપ, અપવાસ એનાથી કાંઈ નહીં? (ભાઈ !) તેનાથી તો રાગનો ભાવ થાય, (તે પણ ) શુભ કરે તો. (પણ જો) અભિમાન કરે કે મેં આ કર્યુંને મેં આ કર્યું ને.. તો વળી પાપ થાય. બીજાને દેખાડવા માટે કરે, તો ય પાપ થાય. દુનિયામાં મારી ગણતરી ધર્મીમાં આવે... એ રીતે કરે, તો એ પણ પાપ થાય. (પણ) અને (ભવ્ય જીવને) તો ભગવાનને ગણતરીમાં લાવવો છે. હું સિદ્ધની પંક્તિની ગણતરીમાં આવું. મારા સ્વભાવ-નિજ ભાવ-થી ભિન્ન (એવા સકળ વિભાવ) એને છોડીને હું (સિદ્ધની પંક્તિમાં) આવી શકું છું. આહા... હા ! સમજાણું કાંઈ ? આવો માર્ગ ભારે આકરો ! તેથી લોકો-સાધુ ને-બિચારા વિરોધ કરે છે ને ! જિજ્ઞાસા- પર્યાયમાં ચિત્ત જોડવું એટલે એનું વેદન કરવું? સમાધાન: પર્યાયનું વેદન કરવું. અને પર્યાયને એકાગ્ર-નિર્મળપર્યાયમાં એકાગ્ર અર્થાત્ એ પર્યાય. એ વાત કાલે કરી હતી ને...! નિશ્ચયભક્તિની ભક્તિ કરવી. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનની ભક્તિ, એ તો પર્યાય છે. “પર્યાયની ભક્તિ” એનો અર્થ જેને ‘દ્રવ્યની ભક્તિ' છે એને પર્યાયની ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલે પર્યાય-ભક્તિ કહેવામાં આવે છે. “નિયમસાર” ગાથા-૧૩૪: “સમ્મત્તાવાર નો માઁ ઝુપડું સાવ સમો – શ્રાવક અને મુનિ બેયને નિશ્ચયની ભક્તિ હોય છે. સમ્યકત્વની ભક્તિ, સમ્યક જ્ઞાનની ભક્તિ, સમ્યક ચારિત્રની ભક્તિએનો અર્થ જ એ કે, વીતરાગભાવ-સ્વભાવભાવમાં એકાગ્ર છે- (એ) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એક ભક્તિ જ છે, એમ. આહા.. હા ! આવી વાતો!! (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) સેવવા. એ સમયસાર' ૧૬મી ગાથા. એ તો પર્યાયથી વાત કરી. છતાં “તાળ પુખ ના તિ0િાવિ પપ્પા વેવ frછયવો” – ત્રણ થઈને પણ છે તો એક. એ ત્રણ પર્યાયો છે એના ઉપર લક્ષ જતાં વ્યવહાર છે, વિકલ્પ છે, મલિન છે. રાગ તો ઠીક; પણ ત્રણ પર્યાય-સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર-એવા ભેદ ઉપર લક્ષ જાય તો એ મલિન છે. એને વ્યવહારને મલિન કહેવાનો વ્યવહાર છે. એમ “કળશટીકા” માં પાઠ છે. ૧૬મી ગાથાનો શ્લોક-૧૬ છે એમાં. માર્ગ તો અપૂર્વ જ હોય ને...! પૂર્વે જે ન કર્યું હોય, એવું નવું કરે તો જ અપૂર્વ કહેવાય ને...? અત્યારે તો સાંભળવું ય મુશ્કેલ પડી ગયું! અને બહાર વાત આવે તો એ. એ નિશ્ચયાભાસ છે, એકલો નિશ્ચય છે, વ્યવહારથી ને નિમિત્તથી તો લાભ માનતા નથી ! (એમ લોકો વિરોધ કરે ). પણ ભાઈ ! વાત તો એવી જ છે. નિમિત્ત અને વ્યવહારથી લાભ થતો નથી! પ્રશ્નઃ સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં –“વિરા” છે ને..? તો ‘વિરાત્' માં ક્રમબદ્ધ પાછું ક્યાં રહ્યું? “ક્રમબદ્ધ' છે ને..! “અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે ત્યાં ‘ક્રમબદ્ધ' ક્યાં રહ્યું? સમાધાન: એ “કમબદ્ધ ” માં જ “વિરાત' આવ્યું. આવો જેણે મોક્ષમાર્ગ સાધ્યો છે એને એના ક્રમમાં-અલ્પ કાળમાં જ કેવળ થાશે, એમ આવ્યું. સમજાણું કાંઈ ? આહા.... હા! ઘણો ફેર. ‘નવરાત્' આવે તો ત્યાં એમ કે જુઓ! અલ્પ કાળમાં થાય છે, ફલાણે કાળે જ થાય છે એમ ક્યાં આવ્યું અહીંયાં? પણ એ “અલ્પ કાળમાં થાય' એ કઈ અપેક્ષાએ કહ્યું? કેઃ જેણે આત્માદ્રવ્યના આશ્રમે ક્રમબદ્ધની પર્યાયનો નિર્ણય કર્યો છે અને દ્રવ્યના આશ્રયે જ્ઞાન અને રમણતા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy