SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૭૭–૮૧ - ૧૬૫ અહીંયાં હવે કહે છે કેઃ “હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી.” દૃષ્ટિના વિષયમાં ભેદ આવતો નથી. દૃષ્ટિનો વિષય અભેદ છે. જ્ઞાન છે તે તો ભેદને જાણે છે; પણ દૃષ્ટિના વિષયમાં ભેદ આવતો નથી. આહા... હા! ગજબ વાત છે!! હું ચૌદ માર્ગણાસ્થાન (ના ભેદોને કરતો નથી ). જ્ઞાનના પાંચ ભેદ મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યય અને કેવળ (તથા અજ્ઞાનના ત્રણ ભેદ ) એ જ્ઞાનમાર્ગણાના ભેદ મારામાં નથી. (એ) અહીં એકલા જ્ઞાન (માર્ગણા ) ની વાત લીધી. પણ સમકિતના ભેદ-ક્ષાયિકસમકિત, ઉપશમસમકિત, ક્ષયોપશમસમકિત આદિ બધા ( માર્ગણાભેદ ) એ ( પણ) મારામાં નથી. આહા... હા! એવી વાત છે! ગજબ વાત છે ને...! ચૌદ માર્ગણાસ્થાનના ભેદ છે ને..? માર્ગણાસ્થાનના ભેદોને હું કરતો નથી, હું કરાવતો નથી અને ભેદ કરે છે તેને હું અનુમોદન પણ કરતો નથી. આહા... હા ! ( શ્રોતાઃ) ભેદ કોણ કરે છે? (ઉત્તર) એ ભેદ, કર્મના નિમિત્તને આધીન પોતાની પર્યાયમાં, નિમિત્તથી નહીં, નિમિત્તાધીન (વ્યવહારઆત્મા કરે છે. ) (શ્રોતાઃ ) તો પુદ્દગલ કરે છે? (ઉત્તર: ) પુદ્દગલ કરે છે, નિશ્ચયઆત્મા નહીં, એમ લેવું છે. સ્વભાવ નહીં, માટે પુદ્ગલ કરે છે, એમ કહે છે. ભેદ બધા પુદ્દગલ કરે છે. ભેદ છે તો પોતાની પર્યાય. ( શ્રોતાઃ ) પુદ્દગલ માત્ર નિમિત્ત છે? (ઉત્ત૨: ) નિમિત્ત છે એનો અર્થ એક ભાવ છે, પોતાનો સ્વભાવ નથી, એમ અહીં લીધું છે. એ તો આવે છેઃ ક્ષાયિકભાવ મારો નથી, એમ આવ્યું ને! (‘નિયમસાર') ગાથા-૪૧ મી. ક્ષાયિકભાવ ( ઉ૫૨ ) પણ એનો વિકલ્પ-વિચાર-લક્ષ જાય છે તો એનો આશ્રય કરતાં વિકલ્પ ઊઠે છે. પર્યાયના આશ્રયે નવી પર્યાય ઉત્પન્ન થતી નથી. ક્ષાયિકસમ્યક્ત્વના આશ્રયથી પણ, લક્ષ કરે છે એ તો પર્યાય છે, તો તેનું લક્ષ કરવાથી, આશ્રય કરવા જાય તો, વિકલ્પ ઊપજે છે. આહા... હા! આશ્રય તો એક ભગવાન અભેદ ચિદાનંદ પ્રભુનો જ છે. સમજાણું કાંઈ ? હું ચૌદ માર્ગણાજ્ઞાનના ભેદ, સમિતિના ભેદ, ચારિત્રના ભેદ એ બધાય ભેદોને કરતો નથી. (સઘળાય ભેદોને) જ્ઞાન જાણે છે. (‘સમયસાર ’ ગાથા-૧૨ ની ટીકામાં એ ગાથા ઉદ્ધત છે ને...!)” શ્રફ નિળમયં પવત્તુદ તા મા વવદાળિચ્છ મુયહા વ્હેન વિના છિન્નુર્ તિર્થં મળે પળ તથ।।” [“ આચાર્ય કહે છે કે, હે ભવ્યજીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બંને નયને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે.”] (શ્રોતાઃ) તીર્થનો નાશ થઈ જશે ? (ઉત્ત૨:) હા ! તીર્થ અર્થાત્ ભેદનો નાશ થઈ જશે. ચૌદ ગુણસ્થાનના ભેદ પણ રહે નહીં. ચોથું, પાંચમું, છઠ્ઠું ( આદિ એ ગુણસ્થાનના) ભેદ છે કે નહીં? છે! વ્યવહારે પર્યાય ભેદ છે કે નહીં? (જો ન માને) તો તો તીર્થનો નાશ થઈ જશે. એનાથી (ભેદોથી ) તીર્થની ઉત્પત્તિ થઈ છે એ પ્રશ્ન અહીં નથી. પણ ‘ ભેદ છે જ નહીં’ (એમ માને) તો તો તીર્થનો નાશ થઈ ગયો અર્થાત્ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એ કંઈ રહ્યા નહીં. અને (જો ) એક અખંડાનંદ પ્રભુ-તત્ત્વનો આશ્રય ન લે તો નિશ્ચય રહ્યો નહીં. -આવું છે બાપુ! (તત્ત્વ ) એવું છે! “મા વવહારખિઋણ મુદ્દ’ વ્યવહાર છોડીશ નહીં એટલે કે (વ્યવહા૨) નથી, એમ નથી; એમ. ભેદ છે! ચૌદ ગુણસ્થાન છે. માર્ગણાસ્થાનમાં ( ચૌદ) ભેદ છે. ‘છે’ એ જ્ઞાનમાંથી છોડવા લાયક નથી. ‘વ્યવહાર છે' એમ જાણવું. પણ ‘(વ્યવહાર) છે જ નહીં' તો તો વેદાંત થઈ જશે, નિશ્ચયાભાસ થઈ જશે. ( Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy