SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ સ્વાભાવિક- (સહજ) વૈરાગ્યરૂપી મહેલ, એનું શિખર, (એનો શિખામણિ) –શિખર ઉપરનું રત્ન, ચૂડામણિ-એવા (મુનિરાજ છે), “પદ્રવ્યથી જે પરાઠુખ છે.” મુનિરાજ તો પદ્રવ્યથી પરાઠુખ છે! આહા... હા! જે પહેલાં પરદ્રવ્ય કહ્યું ને...! જીવાદિ સાત તત્ત્વ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. તો અહીં હવે નાસ્તિથી કહે છે–પરદ્રવ્યથી તો એ (મુનિ) પરાક્ષુખ છે. અને અસ્તિથી કહ્યું કે-સ્વદ્રવ્યમાં (જેની તીક્ષ્ણ બુદ્ધિ છે). આહા... હા! સ્વદ્રવ્યમાં જે પર્યાયનો ભેદ-પ્રકાર પાડ્યો એ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. (તેથી) પરદ્રવ્યથી પરાઠુખ છે. આ ઉત્કૃષ્ટ અનુભૂતિ ધર્માત્મા સંતો (ને) છે. સમ્યગ્દષ્ટિને અનુભૂતિ હોય (પણ) તે નીચેના દરજ્જાની છે. ચોથા ગુણસ્થાનમાં અનુભૂતિ છે, આનંદનો અંશ છે; પણ હુજી દશા જે પાંચમાની જોઈએ તે નથી અને મુનિને જોઈએ તે નથી. એટલે ઉગ્ર વૈરાગી તો એને (મુનિરાજને ) ગણવામાં આવ્યા છે. આહ... હા ! સમજાણું કાંઈ ? સ્વાભાવિક વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણિ-ટોચ ઉપરનું રત્ન, ચૂડામણિ, કલગીનું રત્ન-છે, પરદ્રવ્યથી જે પરાઠુખ છે. પરદ્રવ્ય-જીવાદિ સાત તત્ત્વો. ગજબ વાત કરે છે ને....! આહા.... હા! મુનિરાજ તો એને કહીએ, અરે! સમ્યગ્દષ્ટિ પણ એને કહીએ (કે-) પદ્રવ્યથી જે પરાઠુખ છે ! સ્વદ્રવ્યથી (જે) સન્મુખ છે અને પારદ્રવ્યથી પરાઠુખ છે. આહા..હા ! આટલી શરતો છે. આટલી શરતે સમ્યગ્દર્શન ને મુનિપણું થાય છે. આહા... હા! સમજાણું કાંઈ ? સ્વાભાવિક વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ (છે), પરદ્રવ્યથી જે પરાઠુખ છે. –એ સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાયને, અહીં પરદ્રવ્ય કહીને, (એ) પરદ્રવ્યથી (જ) પરાઠુખ છે, એમ કહે છે. પ્રભુ! મુનિરાજ અથવા સમ્યગ્દષ્ટિ જીવ પરદ્રવ્યથી પરાઠુખ છે. આહા... હા ! આ શુદ્ધભાવ અધિકાર છે ને...! શુદ્ધભાવ જે ત્રિકાળ ધ્રુવ, એ (ધર્મીનું) લક્ષ! જેના લક્ષ, એનું લક્ષ ક્યારેય છૂટતું નથી, એવું લક્ષ (છે)! ચાહે તો શુભરાગ આવો, અશુભ રાગ હોય (તો) પણ, ધ્રુવના ધ્યાનના ધ્યેયથી એનું લક્ષ ક્યારેય પણ છૂટતું નથી. આહા. હા ! એ કારણે અહીં કહે છે કે: મુનિ, વિશેષ વૈરાગ્ય-મહા વૈરાગ્ય (વંત) (છે). આહા... હા ! મુનિરાજ તો અંતરમાં અતીન્દ્રિય આનંદ, પ્રચુર આનંદના વેદનમાં મશગૂલ છે. (તે) તો પરદ્રવ્યથી પરાઠુખ છે. આહ... હા.! “સમયસાર” ગાથા-૪૯ના, છ બોલ “અવ્યક્ત” ના આપણે આવી ગયા ને..! એમાં એક “અવ્યક્ત” એમ કહ્યું કે: વ્યક્ત (અર્થાત્ ) પર્યાય. અવ્યક્ત (અર્થાત્ ) દ્રવ્ય. બેયનું જ્ઞાન એકસાથે હોવા છતાં પણ વ્યક્તને, (અવ્યક્ત ) સ્પર્શતું નથી. એ કારણે એને અવ્યક્ત કહેવામાં આવે છે. એ પાંચમો બોલ છે. હમણાં એક એક કલાક બધાં ૧૦૧ વ્યાખ્યાન ઘણાં સૂક્ષ્મ થઈ ગયાં. ૪૭ નય, ૪૭ શક્તિ, ૨૦ અલિંગગ્રહણ, ૬ અવ્યક્ત, ૧૦ બોલ શ્રીમદનાં-એમ ૧૦૧ વ્યાખ્યાન થઈ ગયાં. એક સાથે બધાં વ્યાખ્યાન છપાશે. મોટું પુસ્તક થશે. આ ૩૮મી ગાથા ( વિષે) અમે કાલે નક્કી કર્યું. (અહીં કહ્યું કે, “પદ્રવ્યથી જે પરાઠુખ છે, પાંચ ઈન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે,” આહા.... હા ! સયમસાર' ૩૧-ગાથામાં આવ્યું છે ને..! “નો વિયે નિnિત્તા”—એની વ્યાખ્યા શું? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy