SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૭૭–૮૧ - ૧૫૧ લીધે-ત્રિકાળ અનુભવસ્વરૂપ, પરમસ્વભાવભાવ, ત્રિકાળ-શુદ્ધ છું. એ ૩૨૦-ગાથામાં ( પણ ) આવ્યું છે ને...? ‘હું શુદ્ધ છું' – વસ્તુએ હોં! પર્યાય શુદ્ધ નહીં. “સિદ્ધ સમાન સદા પદ મે૨ો ” કહ્યું છે ત્યાં કાંઈ પર્યાય સિદ્ધ સમાન છે? (એમ નથી.) પણ દ્રવ્યે સમાનની (વાત) છે. એ તો દ્રવ્યની અપેક્ષાએ વાત છે. ‘મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધિકારમાં લીધું છે ને...! કેઃ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ એક છે. પણ રાજા અને દંક ઋદ્ધિની અપેક્ષાએ એક નથી. એમ સિદ્ધ અને સંસારી પર્યાયઅપેક્ષાએ સમાન નથી. એ તો સંસારીનું દ્રવ્ય સિદ્ધ જેવા સ્વભાવવાળું છે તેથી બંને દ્રવ્યઅપેક્ષાએ એક છે, (સમાન છે). પર્યાયમાં જો અશુદ્ધતા ન હોય તો કેવળજ્ઞાન થઈ જાય, સિદ્ધ થઈ જાય. (સાધકને-મુનિઓને ) પર્યાયમાં હજી અશુદ્ધતા છે, અશુદ્ધતા આવે છે. મુનિઓને પણ શુભભાવ આવે છે... પણ (તેઓને પણ) તે બંધનું કારણ છે. પણ (એ શુભરાગાદિ) સમ્યગ્દર્શન થયા પછી પણ આવે છે. નિર્વિકલ્પમાં રહી શકે નહીં તો ત્યાં વાંચન, શ્રવણ, મનનનો વિકલ્પ ન આવે તો અશુભ થઈ જાય. તેથી અશુભથી બચવા માટે (જ્ઞાનીને પણ પ્રશસ્તાગ હોય છે). (શ્રોતાઃ) મુનિને તો અશુભ (ભાવ) હોતો જ નથી ને? (ઉત્ત૨:) અશુભ (ભાવ) હોતો નથી, છતાં ય એ અપેક્ષાએ વાત છે. એને (મુનિને ) પણ આર્તધ્યાન થઈ જાય છે. છઢે ગુણસ્થાને ત્રણ જ લેશ્યા ગણી છે. -તેજો, પદ્મ અને શુક્લ. ત્યાં કૃષ્ણ, નીલ અને કપોતને ગણવામાં આવી નથી. એ છ લેશ્યા ચોથે-પાંચમે ગુણસ્થાને છે. છતાં છà ગુણસ્થાને આર્તધ્યાન છે કે નહીં? તો આર્તધ્યાન એ કાંઈ શુભલેશ્યા છે? એને ગૌણ કરીને (મુનિને અશુભ (ભાવ) હોતો નથી, એમ કહે છે). (શ્રોતાઃ) આર્તધ્યાન ઘણું મંદ છે.! (ઉત્ત૨:) મંદ છે, મંદ પણ આર્તધ્યાન છે. રાગ અને રાગની તીવ્રતા એ આર્તધ્યાન છે. આવી વાતો આકરી ! આર્તધ્યાન-રૌદ્રધ્યાન- તે કાંઈ ત્યાં શુભભાવ છે? જરી એટલું આર્તધ્યાન (મુનિને ) થઈ જાય છે. એમ તો શુભભાવને આર્તધ્યાન કહેવામાં આવે છે. વિકલ્પ-૫૨સન્મુખ થયો એ આર્તધ્યાન છે કેમ કે (તેમાં ) આત્માની શાંતિ પીડાય છે. અહીં તો બીજું કહેવું છે: એ જે અનુભૂતિ, જે નિર્મળપરિણતિ, જે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું ધ્યેય, જેને અહીંયાં સત્તા, અવબોધ, ૫૨મચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન; એટલે પર્યાય નહીં; ત્રિકાળી દ્રવ્ય કહ્યું. આહા.. હા! ઝીણો માર્ગ બાપા! અલૌકિક!! પહેલો વિષય, પહેલી ચીજ સમ્યગ્દર્શન જ અલૌકિક છે! પછી તો શુભ પણ આવે છે, અશુભ પણ આવે છે... બધું આવે છેઃ ચોથા ગુણસ્થાનમાં લડાઈ (પણ) કરે છે, પાંચમા ગુણસ્થાનકે (અમુક પ્રતિમા સુધી) ભોગ લે છે. (ચોથા ગુણસ્થાને ) તીર્થંકર (થવાવાળા ) જેવા ક્ષાયિકસમકિતી ચક્રવર્તીને ૯૬ હજા૨ સ્ત્રી હતી. પણ એ બધું દુઃખરૂપ છે, રાગ છે, વિષકુંભ છે અને એ અશુભ તો મહા વિષકુંભ છે. ‘સમયસાર 'મોક્ષઅધિકા૨માં–શુભભાવને પણ વિષકુંભ કહ્યો છે. જ્ઞાનીને ) પણ એ (શુભભાવ ) આવે છે; પણ છે એ હેય. જો એ ન આવે તો અશુભ આવી જાય. તો અશુભને છોડવા માટે શુભભાવ આવે છે. સમ્યગ્દષ્ટિને પણ એ જે ભક્તિ, વાંચન, શ્રવણ હોય છે. -એ શું છે? એ બધા શુભભાવ છે કે શુદ્ધ (ભાવ) છે? તેને એ (શુભભાવ) આવે છે પણ એ ધર્મ-મોક્ષનું કારણ છે, એમ નથી. સમજાય છે કાંઈ ? " અહીંયાં એ લેવું છે ને...! “સુખની અનુભૂતિમાં લીન ”– તો કોઈ એમ લઈ લે કે ‘ આનંદની Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy