SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૪૯ છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધપારિણામિકપરમભાવ લક્ષણ, નિજપરમાત્મદ્રવ્ય (હું છું !) સમ્યગ્દર્શનની પર્યાય અથવા સમ્યજ્ઞાનની પર્યાય એમ માને છે કે હું તો નિજપરમાત્મદ્રવ્ય અખંડાનંદ (સ્વરૂપ ), નિરાવરણ છું! આહા... હા ! સમજાણું કાંઈ? પહેલાં સમ્યગ્દર્શનમાં જ આ (સાધનના) વાંધા છે. (પણ ભાઈ !) સમ્યગ્દર્શન થયા પછી (પણ) અશુભથી બચવા માટે શુભ આવે છે. કેમકે શુદ્ધમાં તો સ્થિર રહી શકે નહીં. તો શુભ આવે છે. (ત્યાં) ગુણસ્થાનનો વિચાર, શાસ્ત્રવાંચન, શ્રવણ, ભક્તિ, પૂજા (આદિના) ભાવ આવ્યા વિના રહે? એ ભાવ માટે તો “પંચાસ્તિકાય” ગાથા-૧૩૬ની ટીકામાં એવો શબ્દ છે. “મયે દિ ચૂર્તનક્યતા છેવત્તમપ્રિધાનશ્યાજ્ઞાનિનો ભવતી” –આ (પ્રશસ્ત રાગ) ખરેખર, જે સ્થૂળ-લક્ષવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન એવા અજ્ઞાનીને હોય છે. અર્થાત્ અજ્ઞાનીનું લક્ષ (-ધ્યેય) સ્થૂળ હોય છે તેથી તેને કેવળ ભક્તિનું જ પ્રધાનપણું હોય છે (અને તેની એવી માન્યતા છે કેઃ) એનાથી મારું કલ્યાણ થશે. પણ સમકિતી-જ્ઞાનીને તો (નિજ) વિષય જે ધ્રુવ, અખંડાનંદ, પૂર્ણ પરમાત્મસ્વરૂપ, છે તે દષ્ટિમાં આવ્યો છે છતાં હુજી પર્યાયમાં કમજોરી છે, હજી ચારિત્રની પર્યાય (વિકસિત) નથી તેથી; તેમજ છઠ્ઠી–સાતમી ભૂમિકા (મુનિને) પ્રાપ્ત હોય છે પણ કેવળજ્ઞાન નથી તેથી; એટલે કે ઉપરની ભૂમિકામાં પરિતનમૂનિવછાયામને વ્હીસ્પ-ચરસ્થીનરીકે નિષેધાર્થ”—ઉપરનાં ગુણસ્થાનોમાં સ્થિતિ પ્રાપ્ત ના કરી હોય ત્યારે અસ્થાનનો (અયોગ્ય સ્થાનનો અયોગ્ય વિષય પ્રત્યેનો; અયોગ્ય પદાર્થોને અવલંબનારો) રાગ અટકાવવા અર્થે; “તીવ્રરી | Qર વિનોર્થ વા વાવિજ્ઞાનિનોબપિ ભવતીતિ.” અથવા તીવ્ર રાગજ્જર હઠાવવા અર્થે; કદાચિત જ્ઞાનીને પણ (પ્રશસ્ત રાગ ) હોય છે. અર્થાત્ અસ્થાનના રાગના નિષેધ માટે; અશુભરાગ તીવ્ર-આકરો છે તેને ટાળવા માટે; [ જોકે ક્રમમાં શુભ આવવાવાળું છે એ તો આવશે જ; પણ આ એવી ભાષા ઉપદેશની છે- ] તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે; જ્ઞાનીને શુભભાવ-પરમાત્માની ભક્તિ, શ્રવણ, વાંચન, મનન, છે એ બધા વિકલ્પ-પણ આવે છે, એ વિકલ્પ આવ્યા વિના રહેતા નથી. (જોકે) સમ્યગ્દર્શનના ધ્યેયમાં તો ધ્રુવ છે તેમ છતાં જ્યાં સુધી અંદર (સ્વરૂપમાં) પૂર્ણ સ્થિરતા ન હોય, પર્યાયમાં અંદર સ્થિરતા જામતી નથી ત્યારે અશુમ વંચનાર્થ શુભ ભક્તિ આદિ આવે છે. છે તો એ વિકલ્પ પણ જ્ઞાની માને છે કે એ હેય છે. અને તેને બંધનું કારણ જાણે છે, સમજાય છે કાંઈ આમાં ‘નિયમસાર” માં ૮૩મી ગાથા પછી શ્લોક આવશે. એ “સમયસાર' માં કળશ૨૪૪મો છે: “નમનમતિનવૈર્વિવ વૈરનનૈ” –બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ! શું કહીએ પ્રભુ! આત્મા જ આનંદસ્વરૂપ ભગવાન પરિપૂર્ણ છે. એનો અનુભવ એ જ મોક્ષમાર્ગ છે. લાખ વાતની વાત અને ક્રોડ વાત કરો (પણ) સરવાળો તો એ છે કેઃ “બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ. અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમ અર્થને એકને જ નિરંતર અનુભવો; કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન, તેના સ્કુરાયમાન થવામાત્ર જે સમયસાર (-પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી. (–સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી.) આહા.... હા ! કહે છે: પરમ અર્થને એટલે પરમ પદાર્થ-પ્રભુ, પૂર્ણાનંદનો નાથ, અખંડ, અભેદ-આ એકને જ નિરંતર અનુભવો. ઘણા વિકલ્પોથી શું (પ્રયોજન) કે-વ્યવહાર આવે છે, વ્યવહાર હોય છે? કહે છે. આ આત્માનો અનુભવ કરો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. આહા... હા! ધ્યેયમાં પરમાત્મા છે અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy