SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) – પ્રવચન નવનીત: ભાગ-૨ અભાવની પરિણતિ છે તો ત્યાં પરિણમનમાં એટલી રાગની તીવ્રતા છે, અને છક્કે ગુણસ્થાને ત્રણ (ચોકડી) કષાયના અભાવની, દ્રવ્યાનુસારી, પરિણતિ છે તેથી ત્યાં એ પ્રમાણમાં રાગની મંદતા હોય છે (પણ) એ ભૂમિકામાં વસ્ત્ર લેવાનો, પાત્ર લેવાનો, એમના માટે બનાવેલો આહાર હોય તે લેવાનો વિકલ્પ જ હોતો નથી. એવું ચરણ દ્રવ્યાનુસારી ચરણ કહેવામાં આવે છે. આહા.... હા! અહીં મારે તો બીજું કહેવું હતું કે અહીંયાં તો કહે છે કેઃ “એ રાગનું પરિણમન પણ મારામાં નથી, અને આગળ કહેશે કે હું એનો કર્તા પણ નથી !' અહીં (પ્રવચનસાર' માં) તો પહેલાં જ્ઞાન અધિકાર ચાલ્યો અને પછી જ્ઞય અધિકાર ચાલ્યો અને એ અધિકાર પૂરો કરીને ચરણાનુયોગસૂચક ચૂલિકા લેવી છે ને....! વ્યવહારચરણાનુયોગ એને બંધ બતાવ્યો કે: દ્રવ્યના આશ્રયે જેની જેટલી પ્રમાણમાં શુદ્ધપરિણતિની ભૂમિકા છે તેટલા પ્રમાણમાં રાગનું ચરણ, અર્થાત્ રાગની મંદતાનાં પરિણામ, તેનો અભાવ થાય છે અને જેટલી ચરણાનુયોગ પ્રમાણે રાગની મંદતા છે તેનું લક્ષ કરવું કે ઘણો મંદ વિકલ્પ છે તો અહીં તેટલા પ્રમાણમાં શદ્ધની પરિણતિ વિશેષ છે. (પણ ત્યાં જેટલી રાગની મંદતા, ચરણાનુયોગ પ્રમાણે, છે તેટલો ત્યાં બંધ છે). એમ બે ભૂમિકાની યોગ્યતા બતાવે છે, આહા.... હા! ગહન વિષય, ભગવાન ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો વિષય છે. નિયમસાર” માં એવો શ્લોક છે ત્યાં મુનિરાજ પોતે પદ્મપ્રભમલધારિદેવ એમ કહે છે: અરે! અમારો વિષય તો ભગવાન પૂર્ણાનંદ છે! અભેદ અનુભવ તે અમારો વિષય છે. તો એ વિષય પ્રમાણે અમે ન કહીએ તો મુનિ કેવા? જુઓઃ કળશ-૨૦૦ “કોઈ એવી (-અવર્ણનીય, પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્કુરતી, [ પરિણતિ હોં!] સમતાની અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી.” અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર સમયસાર” કળશ-૨૦માં (તો) સર્વ સંબંધો નાસ્તિ, સર્વ સંબંધ નથી તેમ લીધું છે. જ્યારે અહીં નિયમસારમાં આહા... હા ! સહજ આત્મસંપદા મુનિઓનો વિષય છે, ( એમ કહ્યું છે. આહા.... હા ! પ્રભુ! મુનિ એટલે ધન્ય અવતાર ! આહા... હા... હા ! જેની ચારિત્રદશા !! આહા.... હા.... હા! (કહે છે કે, અમારી સંપદા પૂર્ણાનંદ તો છે જ. પણ એને વિષય બનાવીને અમે અમારી સંપદાને (પૂર્ણ) પ્રગટ કરીએ નહીં તો અમે અમારા (વિષયને ) વિષય કર્યો જ નથી. આહા.... હા ! સમજાય છે કાંઈ ? પાઠમાં છે...! “ન માદ્રશાં યા વિષય વિવાદિ” “અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. આહા... હા ! મુનિઓને વિષય તો અભેદ ચીજ! અને અભેદ પરિણમન ! વિકલ્પ... વિકલ્પ-એનું તો જ્ઞાન કરે છે. આહા... હા ! સરસ (ભાવ) નીકળ્યો. અંદર હતો ! અહીંયાં તો એ લેવું છે કે એને (મુનિરાજને) મહાઆરંભ અને મહાપરિગ્રહનું પરિણમન જ નથી. આમ તો વસ્તુમાં તો એ મહાઆરંભ અને પરિગ્રહનું પરિણમન જ નથી. (એટલે કે ) સમ્યગ્દષ્ટિનો જે વિષય છે તેમાં તો મહાઆરંભ અને મહાપરિગ્રહ છે જ નહીં. પણ છે નહીં' તે યથાર્થપણે ક્યારે થાય છે? કે (જેને પર્યાયમાં પણ) મહાઆરંભ અને મહાપરિગ્રહનું પરિણમન જ ન હોય તેને. તેથી શબ્દ વાપર્યો છેઃ “તૃત્વમ.” જુઓ - “તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy