SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬-પ્રવચન નવનીત: ભાગ-૨ વૈશેષિક, સાંખ્ય, ઇસ્લામ, સ્થાનકવાસી, શ્વેતાંબર–બધાને અન્યમતિમાં નાખ્યા છે. આહા... હા! આ તો વસ્તુસ્થિતિ છે! દિગંબર ધર્મ કોઈ સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ અનાદિ છે-પર્યાય અને દ્રવ્ય. નિમિત્ત અને ઉપાદાન. જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જાણું, એવું વાણીમાં આવ્યું! અને સંતોએ અનુભવ કરીને એ રીતે (શાસ્ત્ર) રચના કરી (છે). આહા.... હા ! કેટલાક લોકો એમ કહે કે જુઓ! (કાનજીસ્વામી) બધાને શ્વેતાંબરમાં લઈ જશે. અરર... ર! પ્રભુ! તું શું કહે છે, ભાઈ ? અરે ભગવાન! તું શું કરે છે? ભાઈ ! અમે શ્વેતાંબરને અને બધાને જાણ્યા છે. (તર્ક કરે કે, પોતે (કાનજીસ્વામી) વસ્ત્ર સહિત છે ને? પણ ભાઈ ! અમે મુનિ ક્યાં છીએ? “બધાને શ્વેતાંબર બનાવી દેશે” –એવા તર્ક ન હોય, ભગવાન ! આહા... હા ! આ તો વસ્તુનું સ્વરૂપ છે, પ્રભુ! સમયસાર' ની ૭ર-ગાથા, કર્તા-કર્મની. એમાં તો એમ લીધું છે કે પુષ્ય ને પાપભાવ અશુચિ છે. એમ કહીને ટીકાકાર ભગવાન અમૃતચંદ્રાચાર્ય એમ લીધું-ભગવાન આત્મા નિર્મળ છે. ટીકામાં ત્રણવાર “ભગવાન” કહ્યું છે. બધા (જીવોને) ભગવાન કહ્યાં છે. સંસ્કૃતટીકામાં ત્રણ બોલ છે. (આસો ) અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણ છે. પુણ્ય, પાપ, વ્યવહાર રત્નત્રય અશુચિ ને મેલ છે. એની સામે કહ્યું ભગવાન આત્મા ત્રિકાળ નિર્મળાનંદ પ્રભુ છે. –આ શુદ્ધભાવ' છે. બીજો બોલ એવો લીધો કે પ્રભુ! પુણ્ય અને પાપનો ભાવ એ જડ છે. કેમકે એ રાગમાં, ચૈતન્યના આનંદના અંશનો અભાવ છે. આહા.... હા! પ્રભુ! એકવાર સાંભળતો ખરો ! રાગ ચાહે તો એ વ્યવહાર રત્નત્રયના મહાવ્રતનો હોય પણ એ રાગ જડ છે. કેમકે, ભગવાન આત્મા ચૈતન્ય-વિજ્ઞાનઘન છે. એમ બીજા બોલમાં પણ ભગવાન કહ્યું. (રાગ) જડ કેમ? – ભગવાન (આત્મા) જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે તો એનો અંશ એમાં (–રાગમાં) નથી. સૂર્યના કિરણમાં સૂર્યનો પ્રકાશ આવે છે તેમ આત્માના કિરણમાં નિર્મળતા હોવી જોઈએ. (પણ) આ ( રાગમાં) મલિનતા છે (તેથી) એ જીવ નથી; અજીવ છે, જડ છે અને ભગવાન (આત્મા) તો વિજ્ઞાનઘન છે ને... પ્રભુ! તે તો ચૈતન્ય છે અને વ્યવહાર તો અચેતન-જડ છે. ત્રીજો બોલ પુણ્ય-પાપનાં ભાવ, દયા-દાન-વ્રતાદિનાં ભાવ, એ દુઃખરૂપ છે. (અને ભગવાન આત્મા તો સદાય નિરાકુળસ્વભાવી છે). એમ અમૃતચંદ્રઆચાર્ય તો “ભગવાન આત્મા” કહીને બોલાવે છે. આહા... હા! ૭ર-ગાથા ‘સમયસાર' જોઈ લેવી. અહીં કહે છે કે ભગવાન (આત્મા) જે ત્રિકાળી દ્રવ્ય છે, એ સિવાય “જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે”—જીવાદિ તત્ત્વ “પર્યાય હોં! આ વાત પર્યાયની છેખરેખર, વાસ્તવમાં, યથાર્થમાં ઉપાદેય નથી. આહા... હા! કેવળજ્ઞાનની પર્યાય ઉપાદેય નથી ! કેવળજ્ઞાન છે, એની તો અહીંયાં વાત નથી. આ તો સાધક (ક) જેને નય છે, એની વાત છે. નય તો શ્રુતજ્ઞાનીને હોય છે. નિશ્ચય અને વ્યવહાર તો શ્રુતજ્ઞાનના ભાગ છે. શ્રુતપ્રમાણ “અવયવી' છે અને એના “અવયવ ' નિશ્ચય ને વ્યવહાર નય છે. અહીં કેવળીની વાત નથી. કેવળી તો પૂર્ણ થઈ ગયા. પણ નીચેવાળાને કેવળજ્ઞાનની પર્યાય પણ બાહ્યતત્ત્વ છે. કેમકે, એને (સાધકને) એનું (પર્યાયનું) લક્ષ કરવું નથી, તેથી (તે) ઉપાદેય નથી ! (અહીં એમ કહેવામાં આવે છે કે, “દેયોપાયતત્ત્વસ્વપIધ્યાનમેતતા” “નીવાર સતનાd પરદ્રવ્યવાન્ન હ્યુપાયમા” એ સંસ્કૃત (ટીકા) છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy