SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ “૪૭-શક્તિ” માં “ભાવ” નામની એક શક્તિ છે. એટલે “ભાવ” નામનો ગુણ આત્મામાં છે. તો તેનો અર્થ શું? કેઃ “ભાવ” ગુણ છે, માટે ગુણની નિર્મળપરિણતિ થાય છે, કરવી પડતી નથી. એવો સ્વભાવ, ભાવગુણનો છે. એનું ભવન, એની નિર્મળપર્યાય છે. નિર્મળ હોં ! (વિકારી નહીં). અહીં શક્તિમાં વિકારની વાત જ નથી. નિર્મળપરિણતિ એ ભાવશક્તિથી થાય જ છે. જ્ઞાનીની દષ્ટિ પોતાના સ્વભાવ ઉપર છે. સ્વભાવમાં “ભાવ” નામનો ગુણ છે. તો એ “ભાવ” ગુણને કરણ પર્યાયમાં નિર્મળપર્યાય થાય જ છે. એક વાત અને એક (ક્રિયાશક્તિ ) ૪૦મી શક્તિ એવી છે કે [ કારકો અનુસાર થવાપણારૂપ (-પરિણમવાપણારૂપ) જે ભાવ તેમયી ક્રિયાશક્તિ.) જે પકારકરૂપે પર્યાય વિકૃતરૂપે પરિણમે છે તે (વાત) “પંચાસ્તિકાય” ગાથા-૬રમાં (કરી છે). તેની ચર્ચા ૨૧ વર્ષ પહેલાં વર્ણજી સાથે થઈ હતી કેઃ વિકારી પર્યાય પણ સ્વતંત્ર પોતાના પકારકથી પરિણમે છે; દ્રવ્ય-ગુણના આશ્રયે નહીં. કારણ કેઃ દ્રવ્ય-ગુણ તો શુદ્ધ છે અને નિમિત્ત પર છે. માટે એ વિકૃત અવસ્થા પણ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ–પોતાના કારણ–થી થાય છે. પણ પોતાનામાં એક ક્રિયાશક્તિ-ક્રિયા નામનો ગુણ છે, જ0મો. જેમ જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, આનંદ ગુણ છે (તેમ. તેમજ) દરેક ગુણમાં પકારકનું રૂપ પણ છે. (તો) એ ક્રિયાશક્તિ” (એક) ભિન્ન ગુણ છે. તે ક્રિયાશક્તિનું કાર્ય શું? કે: પકારકરૂપે જે વિકૃત અવસ્થા થાય છે તેનાથી રહિત, નિર્મળપરિણમન થવું અર્થાત્ તેનાથી રહિત એ ક્રિયાશક્તિ-ગુણનું કાર્ય છે. આહા... હા! આ તો “પર્યાયનો આધાર” પૂછયો હતો ને...! એટલે થોડું (સ્પષ્ટીકરણ આપ્યું છે). પણ એ (પ્રશ્ન) વખતે વિષય બીજો ચાલતો હતો, એટલે આ કંઈ એની હારે ન ચાલી શકે, (વિષયાંતર થાય). “પંચાસ્તિકાય” માં કહ્યું કે: અવસ્થા વિકૃત થાય તો એ વિકાર-પર્યાય (પોતે) કર્તા, વિકાર કર્મ, વિકાર કરણ, વિકાર સાધન, વિકારથી વિકાર થયો, વિકારના આધારે વિકાર થયો અને વિકાર થઈને પોતામાં રહ્યો છે. એ વિકારનું પરિણમન, એક સમયની પર્યાયમાં-કર્તા-કર્મ આદિ (પોતાના) પકારકથી–સ્વતંત્ર છે. અહીંયાં (૪૭ શક્તિમાં) એમ લીધું કે: (પર્યાય) વિકૃત થાય તેવો કોઈ ગુણ નથી. પણ પર્યાયમાં જે વિકાર થાય, તેનાથી રહિત થવું એવો એક ક્રિયા' નામનો ગુણ આત્મામાં છે. આહા... હા! સમજાણું કાંઈ ? પ્રશ્ન: ‘ક્રિયા” કેટલી ? સમાધાન: એક તો જડની પરની પર્યાય એ “ક્રિયા છે. રાગની પર્યાય એ પણ એક ‘ક્રિયા” છે. નિર્મળપર્યાય થવી એ પણ એક ‘ક્રિયા” છે અને વિકારરહિત નિર્મળપરિણમન થવું એવો એક “ક્રિયા” નામનો ગુણ છે. આહા.. હા! ચાર ક્રિયાઓ કહી ! એમાં એક તો ત્રિકાળી ‘ક્રિયા” નામનો ગુણ છે કે જે વિકૃતપરિણમન પકારકથી થાય છે તેનાથી રહિત પરિણમવું; એ ક્રિયા નામનો ગુણ છે અને (નિર્મળ ) પરિણતિ થઈ એને પણ ક્રિયા કહે છે, પર્યાય છે ને ? અને રાગને પણ વિકારી ક્રિયા કહે છે અને પારદ્રવ્યની જે પર્યાય છે તેને પણ ક્રિયા કહે છે. અહીંયાં આત્માના આશ્રયે નિર્વિકારી સમ્યગ્દર્શન અર્થાત્ અંતર્દષ્ટિ થઈ તો દષ્ટિના વિષયમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy