SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪: પ્રવચન નવનીત ભાગ - ૧ ભાવ (હોય ), પણ (તે) પરદ્રવ્યમાં જાય છે? સમજાય છે કાંઈ ? આહા... હા ! છે ને... પુસ્તક? એમાં એ લખ્યું છે ‘ આ ’. કહ્યું ને... ? કે: જેની રાગમાં રુચિ છે એને (સ્વદ્રવ્ય ) તિરોભૂત છે. આત્માજ્ઞાયક તો અનાદિ-અનંત છે. પણ એની દ્દષ્ટિની અપેક્ષાએ (તે) તિરોભૂત છે. (જો કે દ્રવ્ય ) એ તો છે તે છે. તે કાંઈ તિરોભૂત કે આવિર્ભૂત થતો નથી. પણ દષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર થઈ (ત્યાં તે આવિર્ભૂત થયો, એમ કહેવામાં આવે છે) એ (ત્રીજા બોલ ) ‘વ્યાપક' માં આવશે. સમજાય છે કાંઈ? આહા... હા! આવી વાત છે!! ભગવાન વીતરાગસ્વરૂપ જ આવું છે. કોઈ ને લઈને કોઈને પૈસા થાય, કોઈની કૃપાથી દીકરો થાય ને કોઈનાથી આ થાય બધી ગપ્પેગપ્પ વાતું છે. શ્રોતાઃ આપની કૃતાથી ધણા (લોકો) પૈસાવાળા થયા છે! સમાધાનઃ એ બધાં એની પર્યાય થવાને કાળે થયાં છે. ડોકટર કહે છે કે લોહીમાં કંઈક છે; તો એ કેમ મટતું નથી ? અહીં તો આ મહાસિધ્ધાંત એક ચમત્કાર છે. આ ચીજ (-હાથમાં જે લાકડીની પટ્ટી) છે, તે (આ) આંગળીથી ઊંચી થઈ નથી અને આ આંગળી આને અડી નથી. આ ચમત્કાર નથી? આ દ્રવ્યમાં અને આ (બીજા ) દ્રવ્યમાં અત્યંત અભાવ છે. આ આંગળી આને અડી નથી. તેમ (જ) આ (લાકડી) ચોપડી ઉપર રહી નથી; તેથી પાનું આમ (સ્થિર ) રહ્યું છે; એમ (પણ ) નથી. આહા... હા ! આ તે વાત !! જમીનને અડીને પગ હાલે છે, એમ કહેવું એ પણ વ્યવહારનું - અમૃતાર્થનયનું કથન છે. આહા... હા ! ભગવાન આત્મા સ્વદ્રવ્ય; અને શરી૨ પરદ્રવ્ય; એને ભિન્ન ભિન્ન જુઓ. આને લઈને આમાં થયું – એમ ન જુઓ. આહા... હા ! આકરું કામ છે, બાપુ! આ ચમત્કાર છે. બાકી બધા ચમત્કારની વાતું કરેઃ આનાથી આમ થયું ને આમાંથી આમ થયું. અહીં તો કહે છે કેઃ સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય. અન્ય દ્રવ્યમાં ભગવાન આવ્યા, સિધ્ધ આવ્યા, પંચ પરમેષ્ઠી આવ્યા. આહા.... હા! શ્રીમદ્દ ૧૭ વર્ષ (ની ઉંમર) પહેલાં આમ કહે છે. સમજાય છે કાંઈ ? આહા... હા ! આ ચમત્કાર છે ને...! કેઃ એક દ્રવ્યમાં જે પર્યાય થાય એ પર્યાયને દ્રવ્યનો પણ આશ્રય નહીં! આશ્રય કહેવાય છે એ તો લક્ષ કરે છે એટલે. પણ લક્ષ કરે છે તે સ્વતંત્ર પોતે લક્ષ કરે છે કે ચીજ છે માટે લક્ષ કરે છે? શું કહેવું છે તે સમજાણું ? વર્તમાન પર્યાય સ્વ ભગવાનઆત્મા તરફ લક્ષ કરે છે, તેથી એમ બોલાણું કે એને ( આત્માને ) આશ્રયે (સમકિત ) થાય. પણ લક્ષ કર્યું છે કોણે ? તે દ્રવ્ય છે, માટે એની Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy