SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩/૬-૩૦૮: પ૭ છું? –સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદ. સ્વાભાવિક અને શુદ્ધ. કેવો છે “શુદ્ધ જ્ઞાનાનંદ' ? – સ્વાભાવિક છે; કૃત્રિમ નથી. નવી પર્યાય (કૃત્રિમ) ઉત્પન્ન કરવી, એમ નથી. આહા... હા ! આકરું પડે છે લોકોને. આમ તો વ્યવહારને વ્યભિચાર કહ્યો છે, નપુંસક કહ્યો છે; એ વાત લોકોને આકરી પડે છે. પણ એ (વ્યવહાર) તો હેય છે. “સમયસાર” ના પ્રવચનમાં એની વાત ઘણા બોલે કહેવાઈ હતી. “સમયસાર” માં વ્યવહારને અભિસારિકા, વેશ્યા સમાન, વ્યભિચાર વગેરે ઘણા બોલ લીધા છે. તે ઘણાં વર્ષ પહેલાં “આત્મધર્મ' માં આવી ગયા છે. અહીં તો આ ચીજ શું? એનો સરવાળો આ છેજેની પર્યાય બુદ્ધિ છૂટીને, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન, સહજ શુદ્ધ જ્ઞાન, સ્વાભાવિક શુદ્ધ-પવિત્ર જ્ઞાન અને આનંદ તે હું છું. આમાં કોઈ વ્યવહારનો કર્તા છું કે રાગવાળો છું કે પર્યાયવાળો છું, એમ પણ અહીંયાં લીધું નથી. આહા... હા! ધર્મી ભાવના ‘આ’ કરે! (“સમયસાર') ૩૨૦-ગાથામાં આવી ગયું છે ને..? કેઃ ધ્યાનાર-ધ્યાતા શું ધ્યાવે, (કોનું) ધ્યાન કરે? કેઃ સર્વથા નિરાવરણ અખંડ જ્ઞાન; તેનું ધ્યાન કરે ! વર્તમાન ધ્યાન કરનાર પર્યાયનું ધ્યાન ન કરે. કેમકે વર્તમાન પર્યાય છે તે ખંડખંડ છે, અને આ (જ્ઞાન) અખંડ છે. ભાઈ ! બહુ ઝીણું છે. આ તો જરી (આ) બધું (પુસ્તકમાં) ભેગું નાખવાના છે ને.. એટલે થોડુંક આવ્યું છે. આ સ્પષ્ટીકરણ ) ઊંચામાં ઊંચું છે. આહા.... હા! અહીંયાં કહે છે કે એ આનંદ જેનો એક સ્વભાવ છે-એવો આત્મા–તે હું છું. સ્વાભાવિક શુદ્ધ જ્ઞાનાનંદ જેનો એક સ્વભાવ છે એવો “હું' છું. “હું' પહેલો લીધો તે હું ‘આ’ છું. આહા.. હા! આ વાત કોઈ ભાષા કે વિકલ્પની નથી. આવો હું છું” એવો વિકલ્પ ય નહીં. વસ્તુનું સ્વરૂપ “આ” છે. સમજાણું કાંઈ ? ચરણાનુયોગ શીખીને કે બીજું શીખીને, કોઈ વિરોધ કરે છે કે આ (સોનગઢવાળા) લોકો શુભ ભાવને નપુંસક કહે છે. એમ કહે છે ને તેમ કહે છે. પરંતુ ચરણાનુયોગમાં તો તેને (-વ્યવહારને) આદરણીય કહ્યો છે. એક વિદ્વાને વિરોધમાં ઘણું લખ્યું છે. (પણ) ભાઈ ! તને ખબર નથી બાપુ! અહીંયાં કહે છે: “ સ્વમાવો૬”—હું એકસ્વભાવી છું. જેમાં “પરિપૂર્ણ ગુણ” અને પરિપૂર્ણ સ્વભાવ” એવો પણ ભેદ નહીં. અનેકપણું કે એવા ( ગુણ-ગુણીના) ભેદ નહીં. –એવી એ તો પરિપૂર્ણ ગુણથી ભરેલી (અભેદ) ચીજ છે. –એવા (સ્વ) ભાવની ભાવના (ભાવવી). ભાવના (એટલે ) વિકલ્પ ને ચિંતન નહીં. ભાવના (એટલે ) એવા પ્ર. ૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy