________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૨: પ્રવચન નવનીત ભાગ-૧
અહીં કહે છે: “સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે”. -પર્યાય અને દ્રવ્ય સ્પષ્ટ અનુભવમાં આવી રહ્યાં છે. આહા... હા ! અનુભવમાં... હોં! આહા... હા... હા! એક પરલક્ષી પર્યાયનો અનુભવ તો અનંત કાળથી છે. પણ અહીં હવે પર્યાય જ્યારે દ્રવ્ય તરફ ઝૂકી તો દ્રવ્યનો પણ અનુભવ છે અને પર્યાયનો પણ અનુભવ છે, એમ કહેવામાં આવ્યું છે. આહા.... હા.... હા ! સમજાયું?
સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ”... (પાઠ) છે ને...? “સ્વયમેવ દિ વરિત્ત: પુરમનુભૂયમાનવેfપ”, “વ્યmોપેગેન,” –વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે, “પ્રદ્યોતમાન”પ્રકાશમાન છે. આહા... હા... હા ! પર્યાય નિર્મળ અને ત્રિકાળી નિર્મળ ભગવાન-એનો અનુભવ હોવા છતાં પણ પર્યાયથી ઉદાસીન છે. એક સમયની પર્યાયમાં, ટકતાં “દ્રવ્ય” ઉપર દષ્ટિ જાય છે. આહા.... હા. હા ! સમજાણું કાંઈ?
શું પર્યાય અને શું દ્રવ્ય...? “દ્રવ્ય” એટલે આ પૈસો હશે...પૈસાને દ્રવ્ય કહે દુનિયા. પૈસાવાળાને ડાહ્યા કહે! બુદ્ધિ તો સમજવા જેવી હોય... તો ય ડાહ્યા કહે! અને ઓલા બિચારા ગરીબ માણસ, બુદ્ધિવાળા હોય પણ પૈસા ન હોય; અને માંડ બે-પાંચ હજાર રૂપિયા હોય ને રળી ખાતા હોય તો (તે) સાધારણ માણસ.. ( લોકો કહે કે) એને બુદ્ધિ કયાં છે? એવા ય ઘણા જોયા છે-બુદ્ધિના બારદાન, કોથળા જેવા હોય (બુદ્ધિથી) ખાલી. (તોપણ) મહિને પાંચ-પાંચ લાખ પેદા કરતા હોય! અને બુદ્ધિના ખાં હોય (પણ) મહિને બે હજાર પેદા કરવા હોય તો, તેને) પરસેવા ઊતરતા હોય! ત્યાં બહાર (ધનસંપત્તિ ) પુરુષાર્થથી મળે, એવું ક્યાં છે?
જિજ્ઞાસા: ઘેર બેઠાં કોઈ પૈસા દેવા આવતું નથી ને...?
સમાધાન: પણ પૈસા દઈ–લઈ શકે છે કોણ? પૈસા તો એના કારણે આવવાના હોય તો આવે અને એના કારણે ન આવે તો ન આવે. રજકણને કોઈ દઈ શકે ને લઈ શકે, એ ત્રણકાળ-ત્રણલોકમાં નથી. આવે છે ને...? કેઃ “દાણે-દાણે ખાવાવાળાનું નામ છે”. “નામ” શું છે? કહે છે. જે રજકણ આવવાવાળા છે તે આવશે જ. તારા પ્રયત્નથી આવશે? - ( એમ નથી). ખોરાક-દાળ, ભાત, રોટલી ને મૈસૂબ-જે રજકણ આવવાનો હશે, તે આવશે; અને જે નહિ આવવાનો હોય, તે નહીં આવે. તારા પ્રયત્નથી સારો આવે ને એના પ્રયત્નથી ખરાબ આવે, એવી કોઈ ચીજ નથી. આહા. હા... હા ! સમજાયું કાંઈ?
અહીં કહે છે કેઃ (સ્પષ્ટ અનુભવાઈ રહ્યો) “હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ” ત્યાં જે બાહ્ય” કીધું હતું ને..? તે અહીં “વ્યક્ત” લેવું. બાહ્ય એટલે વ્યક્તતા પ્રત્યે, “ઉદાસીનપણે પ્રકાશમાન (-પ્રદ્યોતમાન) છે.” ત્યાં કાયમ રહેવું છે, એમ નહીં. .. ઉદાસ છે. પર્યાયથી પણ ઉદાસ છે. આહા... હા... હા... હા! ધર્મીની દષ્ટિ, ઉદાસ... પર્યાયથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com