SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨: પ્રવચન નવનીત ભાગ-૧ (સાધક) ભાવની સાથે નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન છે. ગજબ ભાષા છે!! એ જ્ઞાન, ક્ષયોપશમ ( જ્ઞાન ) છે, પણ એ નિર્વિકલ્પ સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન છે. આહા.. હા.. હા ! સમજાય છે કાંઈ? આમ તો અભવ્ય-ભવ્યને અનાદિથી ક્ષયોપશમ જ્ઞાન છે. ક્ષયોપશમ ( જ્ઞાન વિના તો જીવ રહે નહીં. (જો એમ થાય તો ) એ જડ થઈ જાય. પણ એને એ (સ્વસંવેદનલક્ષણ) ક્ષાયોપથમિક જ્ઞાન નથી. આ તો ઉપશમ; ક્ષયોપશમ, ક્ષાયિક, જે મોક્ષનો માર્ગ છે; એ ત્રણેને ક્ષાયોપથમિક જ્ઞાન કહે છે. પણ કેવું “ક્ષાયોપથમિક જ્ઞાન' ? (ક) નિર્વિકારી સંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન ! આહા... હા! અહીં કહે છે કે નાથ ! તારો પ્રભુ અલૌકિક (છે); એમાં જે ઉપશમ, ક્ષયોપશમ, (ક્ષાયિક) ભાવ-મોક્ષનો માર્ગ થયો; એને અમે “જ્ઞાનની અપેક્ષાથી' શું કહીએ છીએ? કે ક્ષયોપશમજ્ઞાન! ક્ષાયિક સમકિત હોય, તોપણ ત્યાં જ્ઞાન તો ક્ષયોપશમ (જ્ઞાન) છે. ઉપશમ સમકિત હોય, તોપણ જ્ઞાન તો ક્ષયોપશમ છે. અને ક્ષયોપશમ સમકિત હોય, ત્યાં પણ જ્ઞાન તો ક્ષયોપશમ છે. આહા.. હા! ગજબ વાત સમાવી છે ને! આ થોડામાં કેટલું સમાવ્યું છે!! આવી (વાત) (બીજે) ક્યાં? ક્યાંય સાંભળવા ય મળે એવું નથી, ત્રિલોકના નાથને આંગણે જવું અને આંગણે જઈને અંદરમાં પ્રવેશ કરવો! (જેમ) ઝવેરાત લેવા માટે ઝવેરીની દુકાનમાં અંદર (જવું હોય તો પહેલા) નીચે ઊભા રહેવું, પછી અંદર જવું. (તેમ) પહેલાં ચીજ (તત્ત્વ) શું છે, તેનો વિકલ્પસહિત વિચાર કરવો અને વિકલ્પસહિત જ્ઞાન કરવું, શ્રદ્ધા કરવી; એ આંગણું છે. (પછી) એ વિકલ્પ છોડીને અંદરમાં પ્રવેશ કરવો ! આ તો પ્રભુનો માર્ગ છે, બાપુ! અનંત તીર્થકરોએ કહ્યું છે. જિજ્ઞાસા: એ ક્ષયોપશમ જ્ઞાન કાર્યકારી છે? સમાધાન: આ (નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ) ક્ષયોપશમ ( જ્ઞાન કાર્યકારી છે). તે (પરલક્ષી) ક્ષયોપશમ નહીં. તમારા ધંધાના ક્ષયોપશમ ને વકીલાતનો ક્ષયોપશમ ને ઝવેરાતનો ક્ષયોપશમ ને વેપારીને વેપારનો ક્ષયોપશમ તે જાતનો હોય ને..? એ તો બાપુ! અજ્ઞાન છે. આહા... હા ! એ તો સવિકારી દુ:ખલક્ષણવાળો ક્ષયોપશમ છે, પ્રભુ! અહીં કહે છે: “આ ભાવના (અર્થાત્ આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિકશાનરૂપ હોવાથી જોકે એકદેશ વ્યકિતરૂપ છે.” – શું કહે છે? – નિર્વિકાર સ્વસવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન એકદેશ વ્યક્તરૂપે-પ્રગટરૂપે છે; તોપણ તે ધ્યાન કરવા લાયક નથી. આહા.. હા ! વીતરાગતા એકદેશ વ્યક્તરૂપ છે; એક અંશ પ્રગટરૂપ છે; નિર્વિકાર સ્વસંવેદન (લક્ષણ) ક્ષાયોપથમિકજ્ઞાન એકદેશ છે. (અને) વીતરાગને સર્વદશ પૂર્ણ પ્રગટ છે. સાધકને એકદેશ વ્યક્તિરૂપ-પ્રગટ છે. ( સાધકને) ક્ષાયોપથમિક જ્ઞાન વ્યક્ત થયું, Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy