SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૨): ૩૩૩ અરે! કરવાનું “આ” છે, બાપુ ! આકરું પડે પહેલું. પણ આ (કર્યા) વિના, તારો આરો આવે એમ નથી, ભાઈ ! અત્યારે શ્રાવણ મહિનામાં લીમડાનાં ફૂલ (કોર) નીચે પડ્યાં છે. એક આટલો (લોમડાનો) કોર એમાં અસંખ્ય શરીર (છે). અનંત સિદ્ધ અત્યાર સુધીમાં જેટલા થયા, (છ મહિના અને આઠ સમયમાં જ સૌ આઠ. એમ અનંતકાળની સંખ્યા છે), એનાથી અનંતગણા જીવ, એક શરીરમાં છે. દુનિયાને તો (એની કાંઈ ખબરે ય ન મળે. એના ઉપર પગ મૂકે ને કચડે! અરે. રે! એમાં કોઈ તારા પૂર્વ ભવના માતા-પિતા અંદર બેઠા છે; એના ઉપર પગ મૂકે!! છતાં, એ (જે) પગ છે તે એને (કોરને) અડતા નથી. અરે... રે. રે! આકરી વાત! છતાં તે પગના નિમિત્તે એની પર્યાય કચડવાની થવાની છે, તો તે પોતાથી થઈ છે. આહા... હા ! આ વાત!! જગત સંયોગથી જુએ છે કે “આ હતો, તો આ પર્યાય થઈ.” (પણ) એના સ્વ-ભાવથી દ્રવ્યને નથી દેખતો; સંયોગથી દેખે છે! “અગ્નિ આવ્યો, તો પાણી ઊનું થયું એટલે સંયોગને જયો; પણ પાણીનો સ્વભાવ, એ ઉષ્ણપણે પરિણમ્યો છે, એ પાણીને ન જોયું! આહા. હા! સમજાણું કાંઈ ? “કોઈએ એકાદ થપ્પડ મારી તો અહીંયાં લાલ થઈ જાય છે” , તો આ થપ્પડથી (અહીં) લાલ થયો છે? સંયોગને દેખે છે; પણ આ પર્યાય આ વખતે પોતાનાથી લાલ થઈ છે, એ દેખતો નથી! વિશેષ કહેશે.. * * * [ પ્રવચનઃ તા. ૮-૮-૭૯.] સમયસાર' ૩૨૦-ગાથા. જયસેન આચાર્યની ટીકા. અહીં (સુધી) આવ્યું છે કે ભગવાન આત્મા શુદ્ધસ્વભાવી જે ત્રિકાળ છે, એ તો નિષ્ક્રિય છે. સમ્યગ્દર્શનનો જે વિષય અન્તર્મુખ પરમાત્મા છે, તે તો નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે? કે એમાં બંધના કારણની પર્યાયનો અભાવ છે અને મોક્ષના કારણની પર્યાયનો પણ અભાવ છે. પર્યાય સક્રિય છે. મોક્ષનો માર્ગ, (જે) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ક્રિયા છે; તે સક્રિય છે, પરિણમન છે. ધ્રુવ ભગવાન આત્મા, જે સમ્યગ્દર્શનનો વિષય; એ તો નિષ્ક્રિય છે. એમાં તો બંધના કારણ અને મોક્ષનાં કારણની પર્યાયનો અભાવ (છે) તથા બંધ અને મોક્ષનાં પરિણામનો પણ અભાવ (છે). આહા. હા! આવા ભગવાનને અંતરદષ્ટિમાં લેવો, એ પ્રથમમાં પ્રથમ ધર્મની પહેલી સીડી છે. કહ્યું (કે.) (ભગવાનઆત્મા) નિષ્ક્રિય (છે). એ મોક્ષના-બંધના પરિણામથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy