________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૧૯ (એ ત્રણ ભાવ) શુદ્ધ ઉપાદાનકારણભૂત (હોવાથી તે) મોક્ષનાં કારણ છે. આહા.... હા ! વસ્તુસ્વભાવ જે નિત્યાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ; એની “ભાવના' (અર્થાત્ અંતર સન્મુખ થઈને એકાગ્રતા, એ એકાગ્રતા એ “ભાવના') ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક ત્રણ ભાવરૂપ છે. એ ત્રણ ભાવ સમસ્ત રાગાદિથી રહિત છે. એ જ મોક્ષનાં કારણ છે. એ શુદ્ધ ઉપાદાનભૂત મોક્ષનાં કારણ છે.
આહા... હા! “શુદ્ધ ઉપાદાનકારણભૂત” પર્યાય હોવાથી મોક્ષનું કારણ છે. આ ‘ભાવના.” રાગ રહિત, એ “ત્રણ ભાવ” મોક્ષનાં કારણ છે. ત્રિકાળી દ્રવ્યની એકાગ્રતા, શુદ્ધ પરિણમન, વીતરાગી આનંદનું વેદન, – એ ત્રણ ભાવરૂપ છે; એ સમસ્ત રાગથી રહિત છે; એ મોક્ષનાં કારણ છે; એ “શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. સમજાય છે કાંઈ ?
“પરંતુ શુદ્ધ પારિણામિક નહીં.” આહા.... હા! ત્રિકાળી છે એ મોક્ષનું કારણ નથી. મોક્ષનું “કારણ” મોક્ષ-પર્યાય છે. તો એનું-મોક્ષનું કારણ પણ નિર્મળ પર્યાય-શુદ્ધ પર્યાય છે; ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવ (મોક્ષનું કારણ નથી.) અહીં તો અત્યારે આ બતાવવું છે. નહીંતર તો ત્રિકાળી-કારણ પરમાત્મા તે જ મોક્ષનું કારણ છે.
અહીં તો બતાવવું શું છે? કેઃ જે (ઔપશમિકાદિ) ત્રણ ભાવ છે, તે શુદ્ધ ઉપાદાન (કારણ ) ભૂત છે, તે કારણે, તે મોક્ષના કારણ છે; પરંતુ શુદ્ધપારિણામિક (ભાવ) નહીં. (કેમકે) ત્રિકાળી (છે તે) પર્યાયરૂપમાં આવતો નથી. (તેથી) ત્રિકાળી શુદ્ધપારિણામિક (ભાવ) મોક્ષનું કારણ નથી. તે (“મોક્ષમાર્ગની ) પર્યાય' મોક્ષનું કારણ છે. “દ્રવ્ય મોક્ષનું કારણ નથી. -એમ બતાવવું છે.
બાકી તો, ત્રિકાળી વસ્તુ-કારણ પરમાત્મા એ મોક્ષનું કારણ છે. મોક્ષના માર્ગને (“મોક્ષ') નુંકારણ કહેવું, એ હજી વ્યવહાર છે. - એ શું કહ્યું? (કે) મોક્ષના માર્ગનોપૂર્વ પર્યાયનો- વ્યય થઈને મોક્ષની પર્યાય ઉત્પન્ન થાય છે, તો એ તો વ્યવહાર થયો. પણ ખરેખર (તો) મોક્ષની પર્યાયનું કારણ દ્રવ્યસ્વભાવ છે. દ્રવ્યના અવલંબનથી મોક્ષની પર્યાય ઉત્પન્ન થાય છે. મોક્ષના માર્ગથી મોક્ષની પર્યાય ઉત્પન્ન થતી નથી.
આહા... હા... હા! આવી વાતો !! એક બાજું કહેવું. કાર્યપરમાત્મા-કેવળજ્ઞાન; એનું કારણ કારણપરમાત્મા-ત્રિકાળી! (અને) અહીં કહે છે કે: કારણપરમાત્મા-ત્રિકાળી; એની ભાવના, એ તો વર્તમાન પર્યાય છે, એ ત્રિકાળી નથી; એ “વર્તમાન પર્યાય છે. એ મોક્ષનું કારણ છે. પણ એ (ત્રિકાળી ) દ્રવ્ય, મોક્ષનું કારણ નથી ! સમજાણું કાંઈ ?
જિજ્ઞાસાઃ અહીં ત્રિકાળીને અકર્તા સિદ્ધ કર્યો? સમાધાનઃ “ત્રિકાળી' પર્યાયમાં આવ્યો નથી. અહીં તો પર્યાયને મોક્ષનું કારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com