________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨: પ્રવચન નવનીત ભાગ-૧ ગુણમાં છે. અસ્તિત્વમાં છે, વસ્તત્વમાં છે, પ્રમેયત્વમાં છે. હજી સર્વજ્ઞગુણમાં અસ્તિત્વ ગુણ છે, એ તો ઠીક; પણ અસ્તિત્વગુણમાં સર્વજ્ઞનું રૂપ શું? ઘણો વિચાર કર્યો હતો. ઘણાં વર્ષ પહેલાંની વાત છે. મગજમાં ન આવ્યું. પ્રભુ તારો વિષય ગહન છે!! પ્રભુ તારી વાત અગમ્ય (તો) નથી, પણ ગમ્ય થવામાં અલૌકિક પુરુષાર્થ જોઈએ! આહા.. હા!
અહીં કહે છે: કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની (વ્યકિત થાય છે).” જુઓ! ભવ્યત્વશક્તિ પર્યાયમાં છે. ભવ્યત્વશક્તિ વ્યવહારનયમાં છે. એની વ્યકિત, એ પણ વ્યવહારનય છે. અહીં વિષય પર્યાયનયનો ચાલે છે ને ! બે વાર પર્યાયનય આવ્યો. “અશુદ્ધ પરિણામિક એ પર્યાયનય. અને “ઘાતકર્મ ઘાત કરે” એ પર્યાયનય. -બે આવ્યા કે નહીં આમાં..? સમજાય છે કાંઈ?
થોડું પણ (યથાર્થ) સમજવું. પ્રભુ! આ તો સત્ય-માર્ગ છે. આહા.. હા ! આ તો ત્રિલોકનાથ પરમાત્માની દિવ્યધ્વનિનો સાર છે. આ કાંઈ કોઈ પક્ષની વાત નથી. પંથ, જે જૈનપંથ છે, એની કઈ રીત છે, એની આ વાત છે!
કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિ”—એ પણ યોગ્યતા થઈ, એ છૂટીને વ્યકિત થઈ, (એટલે કે) શક્તિની વ્યકિત થાય છે; એ પણ પર્યાયનયનો વિષય છે. (ભવ્યત્વ) –શક્તિની વ્યકિત થઈ. તો સમ્યગ્દર્શનાદિ પ્રગટ થયું. અને કેવળજ્ઞાન થયું. અને સિદ્ધ થયા પછી તો ભવ્યત્વ રહ્યું નહીં. અર્થાત્ શક્તિ વ્યકિત થઈ ગઈ. પર્યાયમાં જે યોગ્યતા હતી, તે એમાં ( સિદ્ધદશામાં) પૂર્ણ પ્રગટ થઈ ગઈ. શક્તિ વ્યકિત થઈ. (ભવ્યત્વ) શક્તિ છે તે વ્યવહારનયનો વિષય છે. અને વ્યકિત થઈએ પણ વ્યવહારનયનો વિષય છે. કેમકે, ભવ્યત્વ શક્તિ, જીવત્વશક્તિ અને અભવ્યત્વશક્તિ, દ્રવ્યમાં તો નથી. અર્થાત્ શુદ્ધનયનો જે વિષય છે, એમાં તો એ ત્રણેય નથી. આહા.. હા.. હા !
ત્યારે આ જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ, નિજપરમાત્મદ્રવ્યમાં સમ્યકશ્રદ્ધાનજ્ઞાન-અનુચરણરૂપ પર્યાય પરિણમે છે.” સમ્યગ્દર્શન-જ્ઞાન આદિની યોગ્યતા હતી, એમાંથી (જે) વ્યક્ત-પ્રગટ થઈ; એ કોના આશ્રયે (થઈ) કેઃ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યના (આશ્રયે થઈ ).
આ તો પહેલાં દ્રવ્યની વાત કરી અને પછી એની શ્રદ્ધાની વાત કરે છે. ભવ્યત્વશક્તિ વ્યકિત કોણ? કેઃ સમ્યગ્દર્શન આદિ. પણ હવે સમ્યગ્દર્શન આદિ શું? કે: સહજ-શુદ્ધપારિણામિકભાવલક્ષણ-ત્રિકાળીપરમાત્મા- (નિજપરમાત્માદ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન-જ્ઞાનઅનુચરણરૂપ પર્યાય પરિણમવું તે.)
કોઈએ પ્રશ્ન કર્યો હતો કે શુદ્ધને “પરમ” કેમ કહ્યું? “શુદ્ધપારિણામિક” શું? તો ઉત્તર આ છેકેઃ શુદ્ધ કહો કે પરમ કહો. શુદ્ધનો અર્થ પરમ છે. કોઈ ઠેકાણે “પરમ'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com