________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ર૬૯ પર્યાય નથી, વ્યવહાર નથી અને વ્યવહારનયનો વિષય “પર્યાય ' નથી' એ તો વેદાંત થઈ જાય છે, નિશ્ચયભાસી-વેદાંતી થઈ જાય છે.
અહીં કહે છે: “તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ (એટલે કે સમકિતને મિથ્યાદર્શન-દર્શનમોહ તથા ચારિત્રને ચારિત્રમોહ એમ યથાસંભવ) સમ્યકત્વાદિ (– સમકિત અને ચારિત્ર આદિ) જીવગુણોનું (અર્થાત્ જીવની પર્યાયનું) ધાતક “દેશઘાતી' અને સર્વઘાતી”..” છે ને..! મતિજ્ઞાનને ઘાત એ દેશઘાતી છે અને કેવળજ્ઞાનને ઘાતે એ સર્વઘાતી છે. પણ એ “દેશઘાતી અને સર્વઘાતી ઘાત છે' એમ કહેવું, એ તો સદભૂત વ્યવહારનયનો વિષય છે. (કેમકે,) ઘાત પોતાનાથી છે. ઘાત છે જ નહીં, (એમ નથી). (ઘાત) પર્યાયમાં હોં! પર્યાયની વાત છે. દ્રવ્યમાં તો (ઘાત ) છે જ નહીં! એ કહેશે. “એવાં નામવાળું મોહાદિક (– જ્ઞાનાવરણીય, મોહનીય આદિ) કર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે.)” એવું કથન અસભૂતવ્યવહારનયથી છે.
(સંપ્રદાયમાં) આ વાંધો છે ને? – “જ્ઞાનાવરણીય જ્ઞાનને ઘાતે છે.' મોટો પ્રશ્ન ત્યાં ઈસરીમાં થયો હતો ને..? (ત્યાં મેં કહ્યું હતું કે:) જ્ઞાનાવરણીય-પદ્રવ્ય-પોતાનો (જ્ઞાનનો) ઘાત બિલકુલ કરતાં નથી. પોતાની યોગ્યતાથી, પોતાના કારણે ત્યાં (જ્ઞાનની) વિશુદ્ધિ થાય છે, અને હીનતા થાય છે!
અહીંયાં મોહાદિ (એટલે કે) મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય-ચાર ઘાતકર્મ લીધાં છે; તો જ્ઞાનને જ્ઞાનાવરણીય વાત છે, સમકિતને દર્શનમોહનીય ઘાત છે, દાનલાભને અંતરાય વાત છે. - એ અસદ્દભૂતવ્યવહારનય (છે). એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે (એમ) કહ્યું (છે). સમજાણું કાંઈ ? “ “દેશઘાતી” અને “સર્વઘાતી' એવા નામવાળું મોહાદિ કર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે. –વ્યવહારનયે ઢાંકે છે”. અસભૂતવ્યવહારનયથી કહો કે પર્યાયાર્થિકથી કહો. – “એમ જાણવું” ' આહા.. હા!
ત્યાં, જ્યારે કાળાદિ લબ્ધિના વિશેઆ પણ પર્યાય છે. ત્યાં આપણે “નિયમસાર” માં આવી ગયું. ક્ષયોપશભાવ અનેકાળલબ્ધિ સાત બોલ આવ્યા ને..! કાળ, કરણ, દેશના, વિશુદ્ધિ (આદિ) -એ ક્ષયોપશમભાવ છે. અને ક્ષયોપશમ ભાવમાં કાળલબ્ધિ નાખી છે. એ કાળલબ્ધિ ક્ષયોપશમ ભાવ એ દ્રવ્યમાં નથી. એ ક્ષયોપશમ ભાવમાં કાળલબ્ધિને નાખી છે. એ કાળલબ્ધિ-ક્ષયોપશમભાવ એ દ્રવ્યમાં નથી. એ ક્ષયોપશમભાવ “પર્યાય' માં છે. “કળશ” ટીકાકાર તો કહે છે કેઃ કાળલબ્ધિથી (સમકિત) થાય છે, પ્રયત્નથી થતું નથી. એકલી કાળલબ્ધિ લીધી. અને આ મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવે (“નિયમસાર' માં) કાળલબ્ધિને ક્ષયોપશમમાં નાખી. અને એમ કહ્યું કે એ ભાવ દ્રવ્ય” માં નથી ! આહા.. હા.. હા !
આવી આકરી વાતો છે! સમજવી હોય તેને કાને તો પડે, પ્રભુ! બાકી તો અનંતાવાર બીજું કર્યું. હવે ભાઈ ! એ દ્રવ્ય અને પર્યાય શું ચીજ છે? (એનો યથાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com