SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩ર): ૨૩૫ પરમપરિણામિકભાવની ગ્રાહક-પકડવાવાળી શુદ્ધદ્રવ્યાર્થિકનયે (જીવ કર્તૃત્વ-ભોસ્તૃત્વથી શૂન્ય છે). શુદ્ધઉપાદાનભૂત અર્થાત્ ત્રિકાળી ધ્રુવ એવો ભગવાન આત્મા, પૂર્ણ ધ્રુવ જીવ-શુદ્ધ દ્રવ્યાર્થિકન (અર્થાત ) શુદ્ધદ્રવ્ય જેનું પ્રયોજન છે, એવા નયથી-કર્તુત્વ-ભોસ્તૃત્વથી શૂન્ય છે. રાગનો કર્તા અને મોક્ષકર્તા–એનાથી પણ શૂન્ય છે. આહા. હા.. હા.. હા ! આકરી વાત છે, ભાઈ ! એને સાંભળવું તો પડશે. આ જૈનમાં જન્મ્યા (એને જૈનમાર્ગની ખબર નથી.) અત્યારે ત્રણે લોકના નાથ પરમાત્મા તો મહાવિદેહમાં બિરાજે છે, આ” એની વાણી છે, કુંદકુંદ આચાર્ય સંદેશ લઈને આવ્યા. પરમાત્મા “આમ” ફરમાવે છે. એ તો અનુભવી-ચારિત્રવત હતા, એકભવતારી, મોક્ષે જવાવાળા. પણ કહેવામાં એમ આવે છે કે “જિનવર આમ કહે છે.” “આ” કહે છે કોણ? કેઃ ભગવાન “આ' કહે છે. જિનેશ્વરદેવ “એમ” કહે છે કેઃ તારો આત્મા અંદર સર્વવિશુદ્ધ-પૂર્ણ છે. પરમપારિણામિક, પરમ સહજ સ્વભાવભાવ (છે). એને જાણવાવાળી એવી ત્રિકાળ શુદ્ધઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે, (અર્થાત્ ) શુદ્ધ દ્રવ્યને જાણવાનું જેનું પ્રયોજન છે એવા નયથી, જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી શૂન્ય છે. ભગવાન આત્મા કર્તુત્વ-ભોકતૃત્વથી શૂન્ય છે. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ અંદર શુદ્ધદ્રવ્યાર્થિકનય (શુદ્ધસ્વરૂપ) ઉપર પડી છે, ચોથે ગુણસ્થાને. હુજી શ્રાવક ને મુનિ તો ક્યાંય આગળ રહ્યા! બાપા! શ્રાવક તો પંચમ ગુણસ્થાન. મુનિ તો છઠું ગુણસ્થાન-એ દશા તો કોઈ અલૌકિક વાત છે! અહીં તો હજી સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને છે. એ પણ શુદ્ધદ્રવ્યાર્થિકનયે પોતાને ત્રિકાળીને પરમપરિણામિકભાવ-શુદ્ધ માને છે. અને એ પારિણામિકભાવને માનવાવાળો કર્તુત્વભોકતૃત્વથી રહિત છે. રાગના કર્તૃત્વ અનેરાગના ભોકતૃત્વથી તો રહિત છે; પણ બંધમોક્ષના કર્તા અને ભોકતા (પણ) થી પણ રહિત છે. અહીં “ના ” કહ્યું છે ને? સમજાય છે કાંઈ ? બંધ-મોક્ષથી, કર્તૃત્વ-ભોકતૃત્વ તથા બંધ-મોક્ષના કારણ, (થી પ્રભુ રહિત છે.). શું કહે છે? –બંધનું કારણ જે મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય, યોગ-એનાથી પણ પ્રભુ તો ભિન્ન-રહિત છે. અને મોક્ષનું કારણ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર-એનાથી પણ પ્રભુ તો રહિત છે. આહા. હા. હા! સમજાય છે કાંઈ ? સૂક્ષ્મ અધિકાર છે ભાઈ ! કહે છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ! જેને એની દષ્ટિ થઈ, જેને એનું જ્ઞાન થયું, એ બંધ-મોક્ષના કર્તા નથી અનેબંધ-મોક્ષના ભોકતા પણ નથી. (પ્રભુ) બંધમોક્ષના કારણ (થી પણ રહિત છે). એ બંધ-મોક્ષનાં કારણ શું કહ્યો? (ક) બંધનું કારણ-મિથ્યાત્વ, કષાયાદિથી પણ રહિત; અને મોક્ષનું કારણ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-થી પણ રહિત- એ (વસ્તુ) તો બંધ-મોક્ષના કારણથી રહિત છે; અને બંધના પરિણામ અને મોક્ષના પરિણામથી શૂન્ય (છે.). Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy