________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૧૭ લોખંડનો પિંડ જેમ અગ્નિથી તપે છે, એમ નેત્ર પરનું વેદક નથી. (અર્થાત્ ) આંખ દેખે છે-જે કંઈ થાય છે, તેને દેખે છે પણ વેદક નથી. (આંખ દેશ્ય પદાર્થની કર્તા નથી તેમ વેદક (પણ) નથી. (એવી જ રીતે) આત્મા “ક” નથી; એ નેત્રના દષ્ટાંતથી, સંધૂકણના દષ્ટાંતથી (સમજાવ્યું). અને “ભોક્તા' નથી; એ (લોખંડના પિંડના દષ્ટાંતથી, સમજાવ્યું). જેમ લોખંડનો પિંડ અગ્નિથી તપે છે, અને (અગ્નિનો) અનુભવ કરે છે; તેમ આત્મા-ચૈતન્યમૂર્તિ ભગવાન, જ્ઞાનસ્વરૂપી પરમાત્મા–રાગ અને દ્વેષને ભોગવે નહીં, અનુભવે નહીં. અને (એ) અનુભવે એવો આત્મા (હોય) નહીં. (રાગ-દ્વેષને અનુભવે છે, તે તો મિથ્યાદષ્ટિ છે. અરર.... ૨!
અરે પ્રભુ! શું કરીએ? “આ” તો ભગવાન સીમંધર પરમાત્માનો સંદેશ છે! મહા વિદેહમાં ત્રિલોકનાથ બિરાજે છે, તેનો આ સંદેશ છે. પ્રભુ ! નેત્ર જેમ પરને કરતું નથી અને તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી, તેવી જ રીતે આત્મા રાગનો કર્તા નથી અને ભોક્તા નથી. આવી આકરી વાત છે!
“અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ (ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, એ શુદ્ધ જ્ઞાન પણ) અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ” (રાગનો કર્તા-ભોક્તા નથી).
આહા.... હા! સમ્યગ્દષ્ટિ શુદ્ધજ્ઞાનપરિણત છે! સમ્યગ્દષ્ટિ એને કહીએ કે (જે) પુણ્યપાપના મેલથી પરિણત નથી. સમ્યગદષ્ટિપ્રથમ–ચોથી ભૂમિકાથી શુદ્ધ (જ્ઞાન) પરિણત જીવ છે!
પ્રશ્ન: “શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ” એમ કેમ કહ્યું?
સમાધાન’ કે ‘ત્રિકાળી” શુદ્ધજ્ઞાનસ્વરૂપ છે, તે તો રાગ-દ્વેષનો કર્તા અને ભોક્તા નથી. પણ સમકિતી શુદ્ધ (જ્ઞાન) પરિણત જીવ છે; (એની) પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન છે; તે પણ રાગ-દ્વેષનો કર્તા-ભોક્તા નથી !
ફરીથી. બે વાત લીધી ને...! “તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ”–શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી આત્મા-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી, એ “કોઈ રાગ-દ્વેષ કરે કે ભોગવે” એ ત્રિકાળી વસ્તુમાં નથી. તો જેની દષ્ટિ સમ્યક (અર્થાત્ ) દ્રવ્યસ્વભાવની દષ્ટિ થઈ–એ “ (અભેદથી) શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ” (રાગ-દ્વેષનો કર્તા-ભોક્તા નથી). (જેમ) શુદ્ધ જ્ઞાન (એટલે કે) ત્રિકાળી આત્મા, રાગ-દ્વેષ કરે નહીં અને ભોગવે નહીં; એમ શુદ્ધ જ્ઞાનની જેને દષ્ટિ થઈ (એટલે કે જે ) શુદ્ધજ્ઞાનપરિણત થયો-એવો “સમ્યગ્દષ્ટિ જીવ' પણ રાગ-દ્વેષ કરે અને ભોગવે નહીં, આહી.. હા !
આટલું કામ મોટું આકરું છે, ભાઈ ! માર્ગ તો આ છે, પ્રભુ! શું થાય? મનુષ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com