________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨: પ્રવચન નવનીત ભાગ-૧
(ભાવાર્થ ૫૨ પ્રવચન )
પોતાની સાદી ભાષામાં ભાવાર્થ કરનાર શ્રી જયચંદ્રજી કહે છે: “સર્વ દ્રવ્યોનાં પરિણામ જુદાં જુદાં છે. પોતપોતાનાં પરિણામોનાં સૌ દ્રવ્યો કર્તા છે”. તો વાણીનો કર્તા પણ આત્મા નહીં, પ્રભુ! વાણી જ્યારે થાય છે ત્યારે સ્વકાળે વચનવર્ગણામાં ભાષાપણે પરિણમવું તે કાળે થાય છે; આત્માથી નહીં.
આ તો (અજ્ઞાની જીવોને) બોલતાં બોલતાં અહંકાર આવી જાય (છે) કે: ‘હું લોકોને કેવું સંભળાવું છું!'... અરે પ્રભુ! સર્વ દ્રવ્યોનાં પરિણામ (સૌનાં ) સ્વતંત્ર છે. (તો શું) તારી ભાષાથી એનાં પરિણામ આવે છે; અને ભાષાની પર્યાય તારાથી થાય છે? (–એવી વસ્તુસ્થિતિ જ નથી ). આહા.. હા ! બહુ આકરું કામ બાપુ!
66
આ તો ત્રણ લોકના નાથ સીમંધ૨૫રમાત્માની વાણી છે! સંતો આડતિયા થઈને એ વાત કરે છે. ત્યાં (સીમંધરસ્વામી પાસે ) ભગવાન કુંદકુંદ આચાર્ય ગયા હતા. તે કહે છે કેઃ પોતપોતાનાં પરિણામોનાં સૌ દ્રવ્ય કર્તા છે; તેઓ તે પરિણામોનાં કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ (–કાર્ય) છે”. જુઓઃ દ્રવ્યનું પરિણામ તે સમયે, તે સમયે થવાવાળું થયું, એનો ‘ કર્તા ’ તે દ્રવ્ય કહ્યું. અહીં હજી એટલો પણ ભઠે છે. નહીંતર (તો) ‘પરિણામનો ‘ કર્તા’ પરિણામ જ છે'. આહા... હા ! સમજાય છે કાંઈ ?
‘પંચાસ્તિકાય ’ ૬૨મી ગાથામાં ( એમ કહ્યું છે કેઃ) વિકારનાં પરિણામ ષટ્કારકથી પોતાથી થાય છે. (તેમાં) પોતાનાં કર્મના ( ઉદયની પણ ) અપેક્ષા નથી. પર્યાયમાં વિકાર સ્વયંથી સ્વતંત્ર થાય છે; એવો પર્યાયનો સ્વભાવ છે; એને પરની અપેક્ષા નથી. ( જ્યારે ) વિકારના ષટ્કારનાં પરિણામમાં પરની અપેક્ષા નથી તો નિર્વિકારી સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ પરિણામ (થાય, એને પરની અપેક્ષા કેમ સંભવે ?)
આહા... હા! આ તો ધર્મની પહેલી સીડી... બાપુ! એ આકરી વાત છે. એ સમ્યગ્દર્શન (શું ) ? અને સમ્યગ્દર્શનનો કર્તા કોણ ? અને એનું કાર્ય શું? અને (એ) કેમ થાય છે? અને એ દશા કેવી છે? એ ( સમ્યગ્દર્શન ) વિના, બધાં મીંડાં છે. સમ્યગ્દર્શન વિના, પડિયા ને સાધુપણું ને ૨૮ મૂળ ગુણ ને પંચમહાવ્રત બધો સંસાર છે! (ભગવાને) શુભ ભાવને સંસાર કહ્યો છે.
1
અહીંયાં કહે છેઃ પરિણામોનાં કર્તા તે તે દ્રવ્ય છે. અને તે પરિણામો તેમનાં કર્મ કાર્ય
આહા.. હા ! ‘કર્તા ’ રાગ, અને ‘કર્મ ’ નિર્મળ પર્યાય–સમકિત-એમ નથી. નિશ્ચિયથી અર્થાત્
યથાર્થથી –વાસ્તવમાં કોઈનો કોઈની સાથે ‘કર્તાકર્મ’ સંબંધ નથી. ભગવાનની વાણી ‘કર્તા’ અને સામે શ્રોતાને જ્ઞાન થાય (એ ‘ કર્મ’) – એવું કાંઈ નથી. એમ કહે છે. અરે.. રે! ‘ આ વાત ' કબૂલ કરવી ( એમાં ઘણો પુરુષાર્થ જોઈએ ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com