________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮: પ્રવચન નવનીત ભાગ-૧
જિજ્ઞાસા: સંયોગ તો દેખાય છે!
સમાધાન: સંયોગથી દેખવાવાળો સંયોગને જુએ છે. (જો) એના સ્વભાવથી દેખે તો એની પર્યાય એનાથી થઈ છે! જગતની દષ્ટિ સંયોગ ઉપર છે. જેમાં એમ દૂધી છે, દૂધી ઉપર છરી પડી તો ટુકડા થયા... એ પણ જૂઠું છે. ટુકડા થવામાં છરીની અપેક્ષા છે જ નહીં. આવી વાત !! શું કહે છે, સમજાય છે કાંઇ?
આહા... હા! કર્તા અર્થાત કરવાવાળો. અને એનું જે કર્મ, અર્થાત કાર્ય. કોઈ પણ ચેતન કે જડ પદાર્થનું (કર્તા-કર્મ અન્યનિરપેક્ષપણે થાય છે). એમાંથી એમ જ નીકળ્યું કે: આત્મામાં જે વિકાર થાય છે, એ કર્તા-કર્મ (અનિરપેક્ષ છે). (જડ) કર્મ “કર્તાઅને આત્મામાં વિકાર (જે ઊપજે એ એનું) “કાર્ય” -એમ છે જ નહીં. કર્મના નિમિત્ત વિના (આત્મામાં) વિકાર થાય છે? (તો) અહીં કહે છે કેઃ વિકાર થવામાં વિકારના “કાર્ય' માં, કર્તા' જીવની પર્યાયને કહો કે જીવ કહો; પણ એમાં ( વિકાર થવામાં) (જડ) કર્મની અપેક્ષા છે જ નહીં!
આહા... હા ! તો એ પણ આવ્યું કે પોતાનામાં જ્ઞાનનો જે ક્ષયોપશમ થાય છે, જ્ઞાનની શુદ્ધિની વૃદ્ધિ થાય છે-ભલે થોડું અજ્ઞાન કહો પણ એને કર્મના ક્ષયોપશમની અપેક્ષા નથી. એમાં એ આવ્યું કે નહીં? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય, તો આત્મામાં જ્ઞાનનો વિકાસ થાયએવી અપેક્ષા છે જ નહીં.
મોટી ચર્ચા ૨૦૧૩ની સાલમાં (વર્ણજી સાથે ) થઈ હતી. તેમણે કહેલું “નહીં! કર્મનો ઉઘાડ હોય તો અહીં (જ્ઞાનનો) ક્ષયોપશમ થાય છે. કર્મનો ઉદય હોય તો અહીં (આત્મામાં) વિકાર થાય છે. (તો મેં ) કહ્યું: “એમ છે જ નહીં'.
(આ વાત) અમે તો ૬૩ વર્ષ પહેલાં-૧૯૭૧ની સાલથી કહીએ છીએ. (લોકો) બધા એમ જ કહે છેકર્મથી (આત્મામાં) વિકાર થાય છે. વિકાર થયો તો કર્મબંધન થાય છે. બેઉ પરસ્પર (સાપેક્ષ છે-) વિકાર થાય છે તો કર્મની અપેક્ષા અને કર્મનું બંધન થયું તો એ રાગદ્વષની અપેક્ષા. (પણ) અહીં તો ના પાડે છે. વિકાર થયો એમાં કર્મની અપેક્ષા નથી. “કર્તાકર્મની અન્યનિરપેક્ષપણે” આ... હા ! તત્ત્વ... બસ! આ જ ચીજ છે.
દ્રવ્યાનુયોગથી દષ્ટિ કરીને, પછી ત્રણે અનુયોગ વાંચે તો દષ્ટિમાં બેસે. “મોક્ષમાર્ગ પ્રકાશક' માં ટોડરમલજીએ લીધું છે: દ્રવ્યાનુયોગથી દષ્ટિ મળે, પછી એ દષ્ટિ પ્રમાણે ચરણાનુયોગ વાંચે તો બેસશેનહીંતર બેસશે નહીં. પ૩ વર્ષ પહેલાં, ૧૯૮૨ની સાલમાં, રાજકોટમાં “મોક્ષમાર્ગ પ્રકાશક” મળ્યું. અમે જ્યારે વાંચતા હતા ત્યારે તો ધૂન ચઢી થઈ હતી. ખાવું-પીવું-વહોરવા જવું, (એમાં) કંઈ રુચિ જ નહોતી. એમ થઈ ગયું હતું.
જિજ્ઞાસાઃ આપને કેટલી અસર થઈ હતી ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com