SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪: પ્રવચન નવનીત ભાગ-૧ ઉત્પન્ન થાય છે, તો તેની વ્યવસ્થા, તેની પર્યાયની વ્યવસ્થા, તે જ તેની વ્યવસ્થા છે. બીજો જીવ, તેની વ્યવસ્થા કરે ( એમ બનતું નથી ). 66 (વળી, ) બીજો જીવ પોતાનાં નિર્મળ પરિણામોથી ઊપજે છે. ત્યાં ( તે ) પોતાનાં પરિણામોથી ઊપજે અને બીજાનાં પરિણામને પણ ઉત્પન્ન કરે, એમ થતું નથી. તેથી ( અહીંયાં ) છતાં ”–“ તથાપિ ” લીધું છે. એમ કે-પોતાનું કાર્ય કરે છેને! કરે છે કે નહિ? પલટે છે કે નહિ? તો પછી બીજાનાં (પરિણામને) પણ પલટાવે ! (પણ ) એમ થઈ શકતું નથી. કારણ કે: બીજું દ્રવ્ય પણ પોતાનાં પરિણામોથી પરિણમે છે. બીજું દ્રવ્ય કાંઈ પર્યાય વિનાનું દ્રવ્ય (તો ) છે જ નહીં. તેથી તેની પર્યાયનું કાર્ય કરવાવાળો તો તે ૫દ્રવ્ય છે તો તેની પર્યાયનું કાર્ય, બીજો જીવ કરે, એમ કદી થતું નથી. આ બધા શેઠિયાઓ દુકાનમાં ધડાધડ ધંધો-વેપાર કરે છે ને...? ( શ્રોતાઃ ) વ્યવહારથી કરે ? (ઉત્ત૨:) શું કરે... ? ‘ કર્તા થવું’ અર્થાત્ ‘હું કરું’ એ તો મરી (જવા) જેવું છે. ભગવાન (આત્મા ) જ્ઞાયકસ્વરૂપ પ્રભુ છે; એને રાગનું-પરનું કામ સોંપવું, એ તો પ્રભુનું મૃત્યુ છે; અથવા એનો અનાદર છે. અનાદર છે તે જ મૃત્યુ છે! આ બધા વેપાર કરે છે... (માલ ) સંઘરે, એમાં ભાવ વધી જાય, (તો) ખુશી થાય કે નહિ? એ (પૈસાની) પર્યાય તો પરમાણુની છે. ત્યાં આવવાવાળા પરમાણુ, તે પોતાની પર્યાયના ક્રમબદ્ધમાં આવ્યા છે. બીજાના કારણે ત્યાં પૈસા આવ્યા (એમ નથી ). ( શ્રોતા: ) એની પાસે આવ્યા. બીજા પાસે ન આવ્યા ને...? (ઉત્તર) એની પાસે આવ્યા, તો તે સમયની કાર્યની દશા અને કાળ જ એવો હતો. પૂર્વનું પુણ્ય કહેવામાં આવે છે; તો પુણ્ય પૈસાને ખેંચીને લાવે ? ( ખરેખર ) એમ નથી. બોલવામાં આવે છે કે-એના પુણ્યના કારણે (આવે ). શાસ્ત્ર પણ એવું બોલે છેઃ પુણ્યથી ફળ મળે છે. પદ્મપ્રભમલધારીદેવ પણ કહે છે: પ્રભુ! બીજાની ઋદ્ધિ જોઈને તને વિસ્મય થાય છે: આહા... હા! આ તો કરોડપતિ ને અબજપતિ ! અને તારી ઈચ્છા થાય કે ‘હું પણ થાઉં'. તો પ્રભુ! તું અરિહંતની ભક્તિ ક! તો એનાથી પુણ્ય થશે અને એનાથી વસ્તુ મળશે. (પણ) મળશે... તો પછી તને શું લાભ છે? તું તો ભગવાન આત્મા સત્ ચિદાનંદ પ્રભુ (છો!) જેમાં અનંત અનંત નિર્મળ ગુણની ખાણ છે! એ ખાણની જેને પ્રતીતિ, ક્રમબદ્ધના પરિણામમાં થઈ, એ તો પોતાના પરિણામથી ઉત્પન્ન થાય છે. દરેક જીવદ્રવ્યમાં ‘ કર્તા' નામનો એક ગુણ છે. એ કર્તા થઈને પોતાના પરિણામનું ‘કર્મ ’ અર્થાત્ ‘કાર્ય’કરે છે. અહીં પોતાના નિર્મળ પરિણામની વાત છે. ‘ક્રમબદ્ધ’ ના નિર્ણયમાં જ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ હોવાથી, જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયું, એ ‘કાર્ય’ નું કર્તા કોણ ? કેઃ જીવમાં કર્તા નામનો ગુણ છે, એ કર્તા (ગુણ ) ના કારણે એ સમ્યગ્દર્શનાદિની પર્યાય ઉત્પન્ન થઈ છે; પૂર્વની પર્યાયથી નહીં, નિમિત્તથી નહીં, સાંભળવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy