________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪: પ્રવચન નવનીત ભાગ-૧ મળે? “પરિ સમજ્જાત” ક્રમબદ્ધપર્યાય (ને) પરિણામ કેમ કહ્યાં? કે: “મેતિ છતાંતિ પર્યાય:”—દ્રવ્યમાં પર્યાયરૂપી ભેદ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પ્રાપ્ત થાય, તે પર્યાય છે. પરિણામ પણ પર્યાય છે. તો દ્રવ્યમાં એ સર્વ પ્રકારે ભેદ થઈને પોતાનાં પરિણામ પોતાથી ઉત્પન્ન થાય છે. પરના કારણે અજીવની પર્યાય થાય (એમ નથી).
એવો કાયોત્સર્ગ લગાવવો.... આવો કાયોત્સર્ગ લગાવ્યો....! ભાઈ ! એમ નથી. એ શરીરની પર્યાય, ક્રમે એમ થાય છે, તો આમ થાય છે. (શ્રોતા:) કાર્યોત્સર્ગ (લગાવે તો છે ને?) (ઉત્તર) કોણ લગાવે? કોઈ લગાવતા નથી. માને છે.... “મેં આમ કર્યું .. એ તો એનું અભિમાન છે. અજ્ઞાની માને છે કે અમે એમ કરીએ છીએ. ભગવાનની સ્તુતિ પણ ચાલે છે... તો વાણીની પર્યાયથી ચાલે છે. અને ક્રમસર પર્યાય છે, તેથી ચાલે છે. આહા... હા! અને મંદિર થયું.... ઉપર ભગવાનની પ્રતિમા (સ્થાપી). એ પણ કમસર તે જડની-અજીવની પર્યાય હોવાને કારણે આમ ઉત્પન્ન થઈ છે. એ પરમાણુમાં, “ભૂતિ છતીતિ” એ સમયે ભેદરૂપ પર્યાયની ઉત્પત્તિ છે, તો કમસર ઉત્પન્ન થાય છે. બીજો જીવ કે બીજો અજીવ, એને બનાવે એમ ત્રણ કાળમાં થતું નથી.
(બ્રાંતિથી લાગે કે ) “મેં કર્યું... મેં કર્યું” “એવું મેં કર્યું. મેં કર્યું. (પણ ) અહીંયાં તો દરેક અજીવની પર્યાય વ્યવસ્થિત છે. વ્યવસ્થિતનો અર્થ વ્યવસ્થા. વ્યવસ્થાનો અર્થ, વિશેષ અવસ્થા (અર્થાત્ ) વિશેષ અવસ્થા. એ સામાન્ય, જે પરમાણુદ્રવ્ય છે, એની વિશેષ અવસ્થાને વ્યવસ્થા કહે છે. એ પરમાણુની વ્યવસ્થા, દ્રવ્યમાં પર્યાયથી થાય છે. આહા.... હા.... હા ! સમજાણું? ઝીણી વાત છે, ભાઈ !
અત્યારે તો આ તત્ત્વનો ફેરફાર બહુ થઈ ગયો છે. ભગવાનની સ્તુતિ કરીને, ભગવાનને ચોખા-કેસર ચઢાવ્યાં... અને માની લ્ય છે કે અમને ધર્મ થાય છે! અરે... રે! (અત્યારે કેટલાક) તો ભગવાનને પંચામૃતથી અભિષેક કરે છે! ભગવાન તો વીતરાગ છે, એની મૂર્તિને પણ પચામૃત હોતું (જ) નથી.
એ (ભગવાનની) સ્થાપના થઈ છે. તે એની ક્રમ પર્યાયથી સ્થાપના થઈ છે. સ્થાપના કરવાના ભાવવાળો હતો, અને એના ક્રમમાં (આ જે ) શુભભાવ આવવાનો હતો, તો તે (ભાવ) આવ્યો (છે). એ શુભભાવ ને સ્થાપના–બધો ક્રમ છે; બધા ક્રમમાં આવ્યા છે. ભોપાલમાં પંચકલ્યાણક હતું. ચાલીસ હજાર માણસ વ્યાખ્યાન સાંભળતા હતા; પણ એ બધી પર્યાય આવવાવાળી હતી; તો આવ્યા. ભાષાને પણ નીકળવાનો કાળ છે, તો ભાષા નીકળે છે. પ્રભ ! એવી વાત છે. એ જડ છે. તો જડ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઉત્પન્ન આહા... હા ! “ આ વાત’ કેમ બેસે ?
જિજ્ઞાસા: નિશ્ચયથી આમ છે? સમાધાન: નિશ્ચયથી અર્થાત્ પયાર્યથી. જેવી વસ્તુની સ્થિતિ છે એવી એ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com