SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૪૫ વિકારનાં પરિણામ દૂર રાખવામાં આવ્યાં છે. નહીંતર (તે) જીવ જ છે. (પણ) જ્યાં “ક્રમબદ્ધ ' નો નિર્ણય થયો (ત્યાં નિર્મળ પરિણામ જે ઉત્પન્ન થાય છે તે જીવ જ છે). આહા... હા! ગજબ વાત !! ગાથા રચનાર કુંદકુંદાચાર્ય તીર્થકર જેવું કામ કર્યું છે અને એમના ગણધર જેવું કામ અમૃતચંદ્રાચાર્ય કર્યું છે. આહા... હા... હા ! અરે! એ વાણી મળવી મુશ્કેલ, બાપા! પ્રભુ આ કોઈ લૌકિક વાત નથી. જગતના પ્રપંચની વાતો નથી. આ તો અંતરની વાતો છે. જીવ ક્રમબદ્ધ આહા... હા! એમાં કેટલું ભર્યું છે!! આહા... હા! “પોતાનાં પરિણામોથી ઊપજતો થકો”... વિકાર આદિ છે તો ખરા; પણ વિકારનું જ્ઞાન છે એ પોતાનાં પરિણામ છે. કારણ કે અકર્તાપણાની વાત છે ને..! તો અકર્તાપણામાં જ્ઞાતા-દ્રષ્ટા થયો. “જ્ઞાતા-દ્રષ્ટા પરિણામ' એ પોતાનાં છે. એમ “દમબદ્ધ એવાં પોતાનાં પરિણામ” છે. એ પરિણામનો ક્રમ છે. પરિણામમાં “કમબદ્ધ ' લેવું છે ને...? દ્રવ્યમાં (ક્રમબદ્ધ) ક્યાં લેવું છે? “ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામ”-પરિણામમાં કમબદ્ધ લેવું છે. આહા... હા! સૂક્ષ્મ છે પણ, પ્રભુ! આ તો અમૃતનો ઘડો છે!! એવી વાત દિગંબર સંતો સિવાય ક્યાંય નથી. શ્વેતાંબરમાં પણ કલ્પિત વાતો છે. શાસ્ત્રો બનાવ્યાં એ કલ્પિત બનાવ્યાં છે. આ તો ભગવાન ત્રિલોકનાથની વાણી (છે). સર્વજ્ઞના કેડાયતો આડતિયા થઈને વાત કરે છે. એ મુનિ (ભગવંત) સર્વજ્ઞના આડતિયા છે. એ માલ પ્રત્યક્ષપણે સર્વજ્ઞ ભગવાનનો છે. શ્રુતજ્ઞાનીને પરોક્ષ છે. એ પ્રત્યક્ષપણે એમનો માલ છે; એ પ્રત્યક્ષપણે અહીં બતાવે છે. આહા.... હા ! પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ છો ને..! તારી પર્યાય જે સમયે જે થવાની હશે તે થશે જ. તેના ઉપરથી દષ્ટિ હઠાવી લે. એટલું સત્ પણ થશે (–થઈને રહેશે). શું કહે છે? –પર્યાય “સત્' છે. ઉત્પાદ-વ્યયરૂપ “સ” છે ને..! ઉત્પાદ-વ્યય “સ” છે. વ્યય અભાવરૂપે સત્ છે. “ત્રણે સત્ છે'. ઉત્પાદ સત્ છે. વ્યય સત્ છે. ભાવ સત્ છે. અભાવ સત્ છે. અને ધ્રુવ સત્ છે. એ ત્રણે સમાં કોઈની અપેક્ષા એકેને નથી. એવું ૧૦૧-ગાથા પ્રવચનસાર' માં આવ્યું છે. ઉત્પાદની અપેક્ષા ધ્રુવને નહીં. ધ્રુવની અપેક્ષા ઉત્પાદને નહીં. આહા... હા ! અહીં તો જે પરિણામ ઊપજે છે તે જીવ જ છે. ક્રમબદ્ધ પરિણામમાં જે સમ્યગ્દર્શનજ્ઞાન-શાન્તિ (નાં) નિર્મળ પરિણામ ઊપજ્યાં તે (જીવ જ છે). આહા.... હા! ગજબ વાત કેટલાક દિગંબર પંડિતો શાસ્ત્ર (-આશય) સમજે નહીં અને સમજ્યા વિના Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy