SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૧૫ પરમાત્માના (અહીં) વિરહ પડયા. સીમંધરપ્રભુ પરમાત્મા તો ત્યાં રહી ગયા, મહા વિદેહમાં બિરાજે છે. પાંચ સો ધનુષ્ય (શરીરની ઊંચાઈ) છે. મહા વિદેહમાં તો કુંદકુંદ આચાર્ય ગયા હતા, એને તો બે હજાર વર્ષ થયાં. આપ (ભગવાન) તો ત્યાં અબજો વર્ષથી હતા અને અબજો વર્ષ રહેવાના છે. (એક) કોડ પૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં ( ૭૦૫૬OO0, 00, OOO વર્ષ) સિત્તેર લાખ છપ્પન હજાર કરોડ વર્ષ જાય છે. આહા.... હા! આવી વાત છે! એવું કોડ પૂર્વ વર્ષનું આયુષ્ય પ્રભુનું છે. શ્વેતાંબર ચોર્યાશી લાખ પૂર્વ કહે છે. શ્વેતાંબર એ તો કલ્પિત વાત છે. (અહીં) આ તો સંતો અનાદિથી કહેતા આવ્યા છે, એ વાત છે. દિગંબર મુનિઓ (એટલે) કેવળીના કડાયતો...! આહા.... હા ! એમણે એમ કહ્યું: જીવ કમબદ્ધ”. આમ તો “ગુણ” સહવર્તી અને “પર્યાય ' ક્રમવર્તી” એવું આવે છે ને? પણ “ક્રમવર્તી' માં આ “બદ્ધ' ન આવ્યું. તેથી અહીં પાઠમાં “મનિયમિત” એમ લીધું છે: “ક્રમે ” , પણ નિશ્ચયથી જે પર્યાય થશે, તે જ થશે- “મનિયમિત્ત’ –એકલો “કમ” નહીં. ઘણી (ગહન) ચીજ છે! આહા... હા! જયસેનાચાર્યની ટીકામાં એવો પાઠ છે (ક) કોઈ એક ભાવ પણ જો યથાર્થ સમજવામાં આવે તો બધા ભાવ સમજણમાં આવી જાય છે. આ અધિકાર, મોક્ષ અધિકારની ચૂલિકા છે. આહા... હા ! તો મોક્ષ કેવી રીતે થાય છે? અને મોક્ષ થતાં પહેલાં સમ્યગ્દર્શન કેવી રીતે થાય છે? અને સમ્યગ્દર્શન એ મોક્ષનો માર્ગ છે; તો મોક્ષનો માર્ગ સમ્યગ્દર્શન કેમ થાય છે? ક્રમબદ્ધની પર્યામાં, પોતાની કમબદ્ધપર્યાયને (પણ) આઘી-પાછી કરી શકતા નથી. પોતાના આત્મા સિવાય, પરનું-કોઈ પરમાણુનું, કોઈ સ્ત્રીના-પુત્રના આત્માનું-કાંઈ કરી શકે, એ ત્રણ કાળમાં (થતું) નથી. મારી સ્ત્રી છે અને મારો છોકરો છે” એમ માનવું, એ મિથ્યાત્વ-ભ્રમ-અજ્ઞાન છે. એ આત્મા ભિન્ન છે; શરીર અને રજકણ ભિન્ન છે; એ તારાં ક્યાંથી આવી ગયાં? “લક્ષ્મી મારી છે'... લક્ષ્મી તો જડ છે, ધૂળ છે, અજીવ-ધૂળ-માટી છે; તું જીવ;' તારામાં એ અજીવ ક્યાંથી આવી ગયા? અહીં તો એનાથી આગળ જઈને પુણ્યનાં પરિણામ પણ મારાં છે' એવી માન્યતા, મિથ્યાષ્ટિની છે. કેમકે અહીં ક્રમબદ્ધમાં તો પુણ્ય અને પાપનાં પરિણામથી ભિન્ન, પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય કરે છે, તો પુણ્યપાપનો પણ “અકર્તા” થઈ જાય છે. આહા... હા! “હું તો સર્વજ્ઞસ્વભાવી જ્ઞાયક છું” તો જ્ઞાયકભાવ' રાગને કરે ? આત્મામાં અનંતા.. અનંતા.. અનંતા... અનંતા ગુણ છે. એ ગુણનો પાર નથી. આકાશના પ્રદેશો. માપ વિનાના અલોક... અલોક.. અલોક, એના પ્રદેશોથી અનંતગુણા ગુણ એક જીવમાં છે. એ અનંત ગુણોમાંથી કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે. શું કહ્યું છે? અનંતા.... અનંતા ગુણ છે, એમાં વિકાર કરે એવો કોઈ ગુણ નથી. (તો) એ પર્યાયમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy