SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧): પ્રવચન નવનીત ભાગ-૧ ટીકા- પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવાં પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી; કારણકે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા ) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાભ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો સાથે તાદાભ્ય છે. આમ જીવ પોતાનાં પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉપ્પાધ-ઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને તે (અજીવને જીવનું કર્મપણું ) નહિ સિદ્ધ થતાં, કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે (અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે. * ** [ હિંદીમાં પ્રવચનઃ તા. ૨૧-૭-૧૯૭૯ ] આ ગાથા જે છે તે મોક્ષ અધિકારની ચૂલિકા છે. મોક્ષ અધિકાર પૂરો થયો. (પછી) આ શરૂઆતની જે ગાથા છે; તે મોક્ષ અધિકારની ચૂલિકા છે. ૩ર૧-ગાથાથી આખા “સમયસાર” ની ચૂલિકા છે. ચૂલિકાનો અર્થ એ છે કેઃ (એમાં ) જે કથન આવી ગયું હોય એ પણ હોય, આવ્યું ન હોય એ પણ હોય અને વિશેષ સ્પષ્ટીકરણ કર્યું હોય-એનું નામ ચૂલિકા છે. આ ગાથા મોક્ષ અધિકાર ચાલી ગયો ને..! એની ચૂલિકા છે. ઝીણી વાત છે. કહે છે કેઃ “પ્રથમ તો” એ કહેવું છે કે પ્રથમ એટલે “તાવત” શબ્દ સંસ્કૃતમાં પડ્યો છે. “તાવ” મુખ્ય વાત તો એ કહેવી છે કે – “ (પ્રથ તો) જીવ ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી ઊપજતો થકો (જીવ જ છે).” ઝીણી વાત છે. “જીવ ક્રમબદ્ધ”એક પછી એક પરિણામ જે થાય છે, એ ક્રમબદ્ધ-આઘો-પાછો નહીં; અને પરથી નહીં. આહા... હા... હા! આ “ક્રમબદ્ધ” નો મોટો ઝઘડો (વિવાદ) છે ને..? કેઃ “ક્રમબદ્ધ” માં જો એવું હોય તો પુરુષાર્થ ક્યાં રહ્યો? ક્રમબદ્ધ” એક પછી એક પર્યાય જ્યારે થશે, તો છે તો એવું જ. જીવમાં મિસર ક્રમવર્તી કહ્યું છે, અહીં “મનિયમિત” “ક્રમબદ્ધ ” કહ્યું છે. જે જીવને જે સમયે જે પર્યાય થવાવાળી છે, તે “કમબદ્ધ;” એટલે ક્રમમાં આવવાવાળી છે તે આવે છે, અને તે પર્યાયનો સ્વકાળ જ એ છે; જન્મક્ષણ તે છે. જીવમાં જે સમયે જે પર્યાય થવા યોગ્ય, આધી-પાછી કોઈ નહીં, (તે ક્રમબદ્ધ છે). “ક્રમબદ્ધ” ની મોટી ચર્ચા ૨૦૧૩ની સાલમાં ઈશરીમાં થઈ હતી. (તેઓએ) “ક્રમબદ્ધ” નો એવો અર્થ કર્યો કે “એક પછી એક થશે, પણ આ પછી આ જ, એમ નહીં.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy