SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૧૦૫ એક ઉપાદેય જોય છે અને બીજું હેય જ્ઞય છે. હેયયની વાત અહીં છોડવાને માટે કહે છે: પદ્રવ્યની રમણતા ત્વરાથી ત”. આહા.... હા ! સમજાય છે કાંઈ ? છેલ્લો બોલઃ “પદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો.” છઠ્ઠો બોલ હતોઃ “સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. દેહની ૧૭ વર્ષની ઉંમરે (શ્રીમદ્દ) કેટલો યોપશમ છે! થોડી ભાષામાં કેટલું સમાવી દીધું છે! જે કહેવા માગે છે એ ભાષા બહુ થોડી (ને) ભાવ ઘણો! આહા... હા! લોકોને બાહ્યનો ત્યાગ-સ્ત્રી ને કુટુંબનો ત્યાગ-હોય ને. તો એને ત્યાગ માને છે. પણ ખરેખર તો રાગનો ત્યાગ અને મિથ્યાત્વનો ત્યાગ એ ત્યાગ છે, એ વાસ્તવિક ત્યાગ છે. એ ત્યાગ ક્યારે થાય? કે: સ્વદ્રવ્યને ગ્રહણ કરીને સ્વદ્રવ્યમાં રમે ત્યારે પરદ્રવ્યનો ત્યાગ થાય. અહીં તો બહારથી બાયડી-છોકરાં, દુકાન અને ધંધો છોડે એટલે જાણે કે અહોહો ! ત્યાગી થઈ ગયા. (પણ) એ ત્યાગ (નથી) બાપુ ! મૂળમાં તો જે મિથ્યાશ્રદ્ધા છે એ ખરેખર પરદ્રવ્ય છે. કારણકે એ સાચી શ્રદ્ધા નથી. (અર્થાત્ ) વસ્તુસ્વરૂપ શુદ્ધ ચેતન છે, એ વસ્તુ-સ્વદ્રવ્યની તો પ્રતીતિ નથી. “પદ્રવ્ય-રાગ અને પુણ્ય-એ હું’ એ પ્રતીતિ તો મિથ્યાશ્રદ્ધા-મિથ્યાત્વ છે. તો એ મિથ્યાત્વના ત્યાગ વિના, સ્વનું ગ્રહણ નહીં થાય અને સ્વના ગ્રહણ વિના મિથ્યાત્વનો ત્યાગ નહીં થાય. પહેલો ત્યાગ તો એ છે. હવે એ ત્યાગ થયા વિના, અવતનો ત્યાગ અને બીજા પ્રમાદકષાયનો ત્યાગ અને બહારનો ત્યાગ આવ્યો ક્યાંથી ? સમજાય છે કાંઈ? આકરો છે, ભાઈ ! માર્ગ વીતરાગ ત્રિલોકનાથ તીર્થંકરદેવ (નો). આહા... હા! ભગવાનનાં વચનો છે “આ”. શ્રીમદે “એ” કંઈ ઘરનું કહ્યું નથી. વસ્તુનું સ્વરૂપ (આ) છે. શાસ્ત્રમાં છે. એમણે નાની ઉંમરે ક્ષયોપશમમાંથી કહ્યું કે: પરની રમણતા (ત્વરાથી તો). દેવ-ગુરુ-શાસ્ત્ર તરફનું લક્ષ પણ પરની રમણતા થઈ. એ એમાં (પદ્રવ્યમાં) (આવી જાય છે). (શ્રીમદે) પછી સત્સંગનું (મહત્વ) સ્થાપ્યું છે. પણ એનો સાર એવો કહ્યો છે કે: એ (સત્) પુરુષને ઓળખ અને એની આજ્ઞાને આરાધ! એની આજ્ઞા એ (કે) “સ્વદ્રવ્યમાં આવવું.” એ આજ્ઞા છે; તો લોકો એમ સમજે કે આજ્ઞા, એ કહે છે એમાં-ભાષામાં. (પણ એમ નથી.) એની-જ્ઞાનીની આજ્ઞા એ છે: “સ્વદ્રવ્યનો આશ્રય લે અને પરદ્રવ્યનો (આશ્રય) છોડ!' અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત સંતો-મુનિઓ “આ” એક જ અવાજે કહે છે, કહી ગયા અને કહેશે કેઃ “તારું સ્વરૂપ જે ભગવાન પૂર્ણાનંદ સ્વદ્રવ્ય, તેને ગ્રહણ ને! એનો ગ્રાહક થા ને! એનો ઘરાક થા ને; રાગનો ઘરાક (થવું) છોડી દે.” (શાસ્ત્રમાં) લખાણમાં ક્યાંય એવું પણ આવે કે ભાઈ ! આવો નિશ્ચય થાય એને પ્ર. ૧૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy