________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૧૦૩ એક ક્ષુલ્લક કહેતા હતા કેમહારાજ (કાનજીસ્વામી જે આ) બધું કહે છે એનું આટલું ટૂંકું (મર્મ છે) : “પરથી ખસ, “સ્વમાં વસ” એટલું બસ.. એટલું ટૂંકું ટચ”. “પરથી ખસ” એ આ પરથી–રાગાદિથી ખસ; સ્વ ચેતનના આનંદમાં વસ; એટલું બસ... એ ટૂંકુ ટચ. બાકી આ એનો બધો વિસ્તાર છે.
આહા.. હા! આ બહાર (ના સંયોગની) મોહજાળ મારી નાખે છે જીવને). અહીંથી નવરો થતો નથી; એ હજી દયા–દાન અને વિકલ્પથી નવરો થાવો (ઘણું મુશ્કેલ છે).
આ ચૌદ બ્રહ્માંડમાં એક સ્વદ્રવ્ય હોય તો તું (છો); એ સિવાય રાગથી માંડીને બધું પદ્રવ્ય (છે). એ પરદ્રવ્યનું લક્ષ છોડ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો. ધ્યાનમાં ધ્યેય સ્વરૂપ” ને બનાવ; અને એ સિવાય પરદ્રવ્ય-વ્યવહાર આદિ (ના લક્ષને છોડ).
લોકોને આકરું પડે છે કે (અમે) આટલું દયા-દાન-વ્રત-તપ કરીએ (એ) વ્યવહારથી પણ (કલ્યાણ ) ન થાય ! –ભાઈ, એ તો પરદ્રવ્ય છે.
અહીં તો “નિયમસાર” માં ત્યાં સુધી કહ્યું કે ક્ષાયિક સમકિત થાય અને સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની પર્યાય સાચી થાય એને પણ અમે પરદ્રવ્ય કહીએ છીએ. કેમકે જેમ પદ્રવ્યમાંથી (-પરદ્રવ્યના લક્ષથી નિર્મળ ) પર્યાય (ઊપજતી નથી); આનંદની ને શાન્તિની નવી પર્યાય વધતી નથી; (એટલે કે ) શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. એમ પર્યાયને લક્ષ શુદ્ધિની વૃદ્ધિ થતી નથી, માટે તે નિર્મળ પર્યાયને પણ, અમે પરદ્રવ્ય કહીએ છીએ. આહા.... હા ! સમજાય છે કાંઈ?
આવી વાત છે !! લોકોને બેસે નહિ. બિચારા સાધારણ માણસ. અને પંડિતો (આવી વાતનો) વિરોધ કરે. આ આત્મા શું છે એની (ખબર નથી); ક્યાંથી ખસવું અને ખસીને જવું ક્યાં? એ ચીજ (સ્વદ્રવ્ય) નું માહા... આવ્યા વિના જાય ક્યાં? અને રાગનું માહામ્ય છૂટયા વિના છોડે ક્યાંથી? જ્યાં સુધી વ્યવહારરત્નત્રયનું પણ માહાભ્ય રહે કે આ છે; તો આ (નિશ્ચયરત્નત્રય) થાય છે; “એ છે” તો “આ” થાય છે (ત્યાં સુધી એનું લક્ષ છૂટે ક્યાંથી? )
શ્રીમદ સત્સંગ ઉપર ભાર આપ્યો છે, પણ સરવાળે એમ કહ્યું કેઃ સત્સંગ એટલે શું? – સત્સંગ એટલે “તું”. આ અમે પરસત્સંગની વાત કરીએ છીએ ભલે, (પણ) સત્ ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, જ્ઞાયકરસથી ભરેલો, જેનું અસ્તિત્વ પરિપૂર્ણ પ્રભુ છે; એની સામે જો ને..! ત્યાં જા ને..! સમજાય છે કાંઈ ?
પદ્રવ્યની રમણતા ત્વરાથી ત”. જ્ઞાનીને પણ જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન હોય ત્યાં સુધી રાગનો ભાવ આવે. પણ અહીં કહે છે કે એની (રાગની) રમણતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com