SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO: પ્રવચન નવનીત ભાગ-૧ સ્વદ્રવ્ય છે એની રક્ષકતા–રાખવાપણું એક સેંકડ પણ કર્યું નહીં. સર્વ શાસ્ત્ર-ભણતરનું અને (બીજા) બધાં પરિણામ શુભ-અશુભ ગમે તેટલાં હો પણ એની અંદર ગ્રહણ કરવાનું તો સ્વદ્રવ્ય છે, એ સાર છે. સમજાય છે કાંઈ ? સ્વદ્રવ્ય જે વસ્તુ અંદર (ત્રિકાળ છે, એની રક્ષકતા ઉપર લક્ષ રાખો). જો કે ‘નિયમસાર' ગાથા-૩૮માં તો પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું છે. આહા.. હા! વર્તમાન પર્યાયના ધ્યાનમાં ધ્યેય માટે અંદર રહેલી આ ત્રિકાળ ધ્રુવ વસ્તુ એ સ્વદ્રવ્ય-એની રક્ષકતા ઉપર લક્ષ રાખો. એ અસ્તિથી વાત કરી. હવે નાસ્તિથી વાત કરે છે: “પદ્રવ્યની ધારકતા ત્વરાથી તજે.” આહા... હા! પહેલા બોલમાં “ત્વરાથી” નહોતું; ૨-૩-૪-પ-૬માં ત્વરાથી હતુંસાતમામાં નહોતું. આઠમામાં “ પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો.” લાખ વાતની વાત (કે) જેણે સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર દષ્ટિ આપી અને પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજી (એવા) આઠ વર્ષના બાળકને બાળક કહેવાય, પણ કેવળજ્ઞાન થાય છે. આહા... હા ! અહીં તો દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ એ “પદ્રવ્ય' છે; એ પરદ્રવ્યની ધારકતાધારવાપણું (ત્વરાથી તો). આહા... હા! પરદ્રવ્યનું જ્ઞાન પરદ્રવ્ય માટે કરવાનું નથી. પરદ્રવ્યનું જ્ઞાન એ સ્વદ્રવ્યમાં નથી એ માટે જ્ઞાન કરવાનું છે. સમજાય છે કાંઈ? શ્રી યોગેન્દ્રદેવના દોહરામાં “છ દ્રવ્યનું જ્ઞાન પ્રયત્નથી કરો” એમ આવે છે. પણ એનો હેતુ- “પદ્રવ્યમાં છે તે મારા દ્રવ્યમાં નથી' –એવું જ્ઞાન કરવા માટે (છે). “છ દ્રવ્યને પ્રયત્નથી જાણો '.. પણ જાણવાનો હેતુ-ફળ શું? કે: સ્વદ્રવ્યમાં એ પર દ્રવ્ય નથી” માટે તેનું લક્ષ છોડવા જેવું છે. અહીં કહે છે: એ પરદ્રવ્યની ધારકતા અર્થાત્ પરદ્રવ્યનું ધારવાપણાનું લક્ષ તરાથી છોડો. “પદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો.” આહા... હા ! (શ્રીમદે) ૧૭ વર્ષની ઉંમરે આવું કહ્યું હતું!! જિજ્ઞાસા: પરદ્રવ્યની ધારકતા છે, એમ કબૂલ કર્યું? સમાધાનઃ છે; પણ એને તજો. છે તો ખરી ને “છે એને તજવાનું કહ્યું ને...? પરદ્રવ્યની ધારકતા-ધારવાપણું ત્વરાથી તા. વ્યવહારરત્નત્રય-રાગ આદિ આવે છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા-ભક્તિ આદિ રાગ આવે છે. પણ કહે છે કેઃ “પદ્રવ્યની ધારકતા ત્વરાથી ત”. ભગવાન આત્મામાં લક્ષ આપો. આહા. હા! અરે! જીવને કઠણ પડે. પણ બાપુ! સત્ છે. સત્ સર્વત્ર છે, સરળ છે. છે” તેને પામવું એમાં કઠણ શું? પણ એણે (જીવે ) પ્રયાસ કર્યો નથી. આહા... હા! મૂળ ચીજ આ છે, એની ખબર ન મળે ને એ વિના બધાં સામાયિક ને પોહા ને પડિક્રમણ (કર્યા)... પણ એ શેના? એ બધા વિકલ્પો છે. એ પરદ્રવ્યનું ધારવાપણું Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy