SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮: પ્રવચન નવનીત ભાગ-૧ એમ કેમ કહે કે “તું પુરુષાર્થ કર !” (મું) કહ્યું: આમ નથી, બાપુ! આ શું કહો છો? મેં તો આચારાંગ” નો દાખલો આપ્યો હતો. આ છે તો આચાર્યનું વચન; પણ તે દી ( સંપ્રદાયમાં) તો ભગવાનનું છે એમ જાણતા હતા ને..? “જે સો વાળા પાયે નિરુતા” (અર્થ) “આજ્ઞામાં અણઉદ્યમ અને અણઆજ્ઞામાં ઉદ્યમ, એ બે તને ન હો; આજ્ઞામાં ઉપસ્થિત થા અને અણઆજ્ઞામાંથી ઉપસ્થિતિ છોડી દે'. -જુઓ, આ પુરુષાર્થ કરવાનું તો કેવળીએ કીધું છે! અને “ઉત્તરાધ્યયન' માં વીર એમ કહે છે કેઃ “સમયં કાયમ! મા પમાયણ”—એક સમય માત્રનો પ્રમાદ કરશો નહીં! જાણે છે કેવળી. એને જે સ્થિતિ છે તે તે જાણવામાં અને વાણીમાં ય આવે. સમજાય છે કાંઈ? ઘણાં શલ્યો જગતનાં-ભગવાન જાણે માટે તે પ્રમાણે થશે, ભગવાન જાણે માટે એ પુરુષાર્થ કરવાનું કહે નહીં ને! –શું કરો છો? આ તમે બધું?! એ (તો) પોતે શ્રીમદ્ પહેલીથી કહે છે; કેવળીનાં વચનોમાં પણ એ છે: જ્ઞાયકના ગ્રાહક (ત્વરાથી) થાઓ. એ (“સમયસાર') છઠ્ઠી ગાથામાં છે ને...! “ વિ રવિ ડેપ્પત્તો પમત્તો” – પ્રમત્ત-અપ્રમત્ત એ દશાઓ દ્રવ્યમાં નથી. કેમકે શુભ-અશુભ ભાવરૂપે જીવ થાય તો પ્રમત્તઅપ્રમત્તરૂપે થાય; (પણ) જીવદ્રવ્ય શુભ-અશુભ ભાવરૂપે કદી થયો જ નથી. આહા... હા ! “ વિ દોતિ સપૂતો ન પમનો નાનો ટુ નો માવો પર્વ મMતિ શુદ્ધ” એને એમ શુદ્ધ કહીએ છીએ. “TI ગો નો સો સો વેવ” જે પર્યાયમાં સ્વ જણાણો, તે જ આત્મા. એમાં પર જણાતો નથી. એ સ્વને જ જાણે છે. –એને અમે શુદ્ધ કહીએ છીએ. આહા. હા! “આ” છઠ્ઠીનો લેખ! એમ અહીં ભગવાન (આત્મા) ને જાણવો છે. એ કોઈ નવી ચીજ છે? એ તો (અફર) લેખ છે. પડયો જ છે અંદર જ્ઞાયક. –છઠ્ઠીના લેખ ! –જ્ઞાયકને જાણ. તું ત્રણ લોકનો નાથ બિરાજમાન પરમાત્મા, તું જ પ્રભુ છો; તેને ગ્રહણ કર! તું તને ગ્રહણ કર! પરનું ગ્રહણ છોડી દે; એ પછી કહેશે. સમજાય છે કાંઈ ? (“સમયસાર) કલશ–ટીકા” માં આવ્યું છે ને..! કેસ બાર અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ (લબ્દિ) નથી. બાર અંગના જ્ઞાનમાં એ અનુભૂતિ કહી છે. બાર અંગનું જ્ઞાન અપૂર્વ નથી. અપૂર્વ તો અનુભૂતિ છે. જો કે અનુભૂતિ હોય એને જ બાર અંગનું જ્ઞાન હોય. પણ અહીં તો વજન અનુભૂતિનું દેવું છે ને...! હમણાં એક (લખાણ) આવ્યું હતું ને. એમ કે બાર અંગનું જ્ઞાન પણ નિષ્ફળ છે, જો અનુભૂતિ ન કરે તો. પણ એ બાર અંગ (ના જ્ઞાનવાળાને) અતુભૂતિ હોય જ. ૧૦ પૂર્વની અંદરમાં ૯ પૂર્વ સુધીની લબ્ધિ (તો) મિથ્યાદષ્ટિને (પણ) થાય; પણ બાર અંગનું જ્ઞાન એ તો આત્માની અનુભૂતિ હોય તેને જ થાય. એ કંઈ ભણું ભણાતું નથી. એ કંઈ શીખ્યું શીખાતું નથી. એ તો અંદરમાંથી લબ્ધિ આવે છે. અંદર આત્માનો અનુભવ જરાક થયો એમાંથી કોઈ જીવને, એ જ્ઞાનની છોળ એટલી ઊછળે કે પર્યાયમાં બાર અંગનું જ્ઞાન-વગર શીખે, વગર ભણે, વગર પાનાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy