________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪: પ્રવચન નવનીત ભાગ-૧
66
છઠ્ઠો બોલ: “ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.”
સ્વદ્રવ્યને પકડનારા-ગ્રાહક-ગ્રહણ કરનારા (ત્વરાથી થઓ ). (અજ્ઞાની જીવે ) રાગને ગ્રહણ કર્યો છે, પુણ્યને ગ્રહણ કર્યું છે. એ તો બધી મિથ્યા જાળ છે. બહારની કોઈ ચીજને તો ગ્રહણ કરી નથી; (પણ ) એ ચીજ પ્રત્યેની ‘મમતા’ ને ગ્રહણ કરી છે, તેનો ગ્રાહક છે.
અહીં તો કહે છેઃ સ્વદ્રવ્યનો ગ્રાહક ત્વરાથી થા. પૂર્ણાનંદનો નાથ એ સ્વદ્રવ્ય. એને પહેલો ઓળખીને એનો ગ્રાહક થા. ગ્રાહક એટલે માલ લેવા ઘરાક આવે છે ને...! એમ તારે માલ જોઈતો હોય તો અંદર જા. એનો ઘરાક થા!
આહા... હા! પોતે ભગવાન રાજા! એની શોભા તો સ્વને ગ્રહણ કરવામાં છે. સ્વનો ઘરાક (–ગ્રાહક) થા. સ્વના ઘરમાં જા. ‘છે’ ત્યાં જા. રાગ છે પર્યાયમાં; એ રાગમાં ‘તું’ નથી. એ રાગ ‘તારા ’ માં નથી. આહા... હા ! કેવી વાતું !!
અશુભથી બચવા શુભને...! ( પણ ) એ (કથન) બાપુ! કોના માટે? -એ તો જેને સ્વરૂપની રમણતા–દષ્ટિ થઈ છે એને હવે જ્યારે કોઈ શુભભાવ થાય, ત્યારે એમ કહેવાય. ખરેખર તો (તે) શુભભાવ ક્રમબદ્ધમાં આવવાનો જ હતો, નિજક્ષણે ઉત્પન્ન થવાનો જ હતો; અને તે પણ ષટ્કા૨થી તે રાગ થવાનો હતો; એ દ્રવ્ય-ગુણને લઈને નહીં; કર્મને લઈને નહીં. · અશુભ ટાળવા માટે (શુભભાવ આવે )' એ પણ એક વ્યવહારનું વચન છે; (એવાં વચન શાસ્ત્રમાં ) આવે. ‘ પંચાસ્તિકાય' માં છે: “ અશુમ વેંચનાર્થ” બાકી તો તે કાળે તેને ક્રમબદ્ધમાં શુભરાગ આવવાનો કાળ છે, તે આવે; પણ ત્યાં એની સાથે હવે રમતું ન માંડે. એના પ્રેમમાં તું
દ
ન સા!
આહા... હા ! ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ છે, છતી ચીજ છે. બેનનું (‘બહેનશ્રીનાં વચનામૃત ' બોલઃ ૩૦૬ માં) વચન છે ને...! “જાગતો જીવ ઊભો છે”. જાગતો એટલે જ્ઞાયકભાવ-ધ્રુવ ( સ્વભાવ ). એ શાસ્ત્ર-ભાષા. બેનની ભાષા સાધારણ માણસને (પણ ) સમજવામાં સહેલી પડે. (લોકો ‘બહેનશ્રીનાં વચનામૃત' વાંચીને) બહુ ખુશી બતાવે છે, અહો... હો ! ભારે પુસ્તક! (લોકો ) બહુ વખાણ કરે છે.
આહા... હા! આ વસ્તુ !! પ્રભુ! તારી નજરને (તારા ) નિધાનમાં લઈ જા. પર્યાય અને રાગની પામરતા છે; એને છોડી દે! કે રાજન! પર્યાયની રમતું છોડી દે. ભાઈ! દેહ છૂટવાના ટાણાં આવશે. એટલે ‘આ ’ (-સ્વદ્રવ્યની ) ૨મતું કર; તો રાજન! તારું રાજ રહેશે. નહીંતર તું હારી જઈશ. પ્રભુ! ક્યાં જઈશ ? ક્યાં નિગોદ... ક્યાં બટાટા... ક્યાં સકરકંદ! આહા... હા ! ઘણો વખત તો વેપાર-ધંધો (કરવામાં જાય ); ૬-૭ કલાક ઊંઘે; ૨-૪ કલાક સ્ત્રી અને છોકરાંને રાજી રાખવામાં (વેડફે ); –આખાં પાપનાં પોટલાં-અ૨૨૨, પ્રભુ! શું કરે છે તું આ ! અહીંથી ક્યાં જઈશ? આ એકલાં પાપ બાંધે... ૨૨ ક્લાક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com