________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
४०
आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि । द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्याय: विनश्यति भवति ।। ५६ ।।
જીવ ન ઊપજ્યો કોઈથી, જીવે ઊપજ્યું ન કાંય; દ્રવ્ય સ્વભાવે નિત્ય ગણ, પર્યાયે પલટાય. ૫૬
કોઈથી આ આત્મા ઉત્પન્ન થયો નથી અને આત્મા વડે પણ કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરાયું નથી. દ્રવ્ય સ્વભાવે કરીને નિત્ય છે અને પર્યાયભાવથી નાશ પામે છે.
જોકે આ સંસારી જીવ શુદ્ધાત્મજ્ઞાનના અભાવમાં ઉપાર્જન કરેલાં જ્ઞાનાવરણાદિ શુભાશુભ કર્મના નિમિત્તે વ્યવહારનયથી નર નારકાદિ રૂપે ઉત્પન્ન થાય છે. તથા નાશ પામે છે તથા અજ્ઞાની આત્માઓ કર્મો ઉત્પન્ન પણ કરે છે. તોપણ શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે સ્વયં શુદ્ધ છે. નર નારકાદિરૂપે ઉત્પન્ન થતો નથી તથા પોતે કર્મ નોકર્મને ઉત્પન્ન પણ કરતો નથી. દ્રવ્યાર્થિકનયથી આત્મા નિત્ય છે, પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. મુક્તાત્માઓમાં ઉત્પાદ-વ્યય કેવી રીતે ઘટે છે? તેનું સમાધાન-આગમમાં કહેલા એવા અગુરુલઘુગુણની હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ મુક્તાત્માઓમાં ઉત્પાદ-વ્યય ઘટે છે. અગુરુલઘુગુણની પરિણતિરૂપ અર્થ પર્યાય છે, તે સમયે સમયે આવિર્ભાવતિરોભાવરૂપ થાય છે. અર્થ પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય છે પણ સંસારી જીવોની સમાન ત્યાં ઉત્પાદ-વ્યય નથી. પગુણી હાનિ–વૃદ્ધિનું સ્વરૂપ જ્ઞાનીગમ્ય છે અથવા સમસ્ત જ્ઞેય પદાર્થો ઉત્પાદ-વ્યય તથા ધ્રૌવ્યરૂપે પરિણમે છે. તે સર્વ પદાર્થો સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં દેખાય છે. શૈયાકારે જ્ઞાનની પરિણતિ હોય છે તેથી શેયમાં જ ઉત્પાદ-વ્યય થાય છે તે જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. માટે જ્ઞાનની પરિણતિની અપેક્ષાએ ત્યાં ઉત્પાદ-વ્યય છે, એમ જાણવું. સિદ્ધ થયા ત્યારે સંસા૨૫ર્યાય નાશ પામ્યો, સિદ્ધપર્યાયની ઉત્પત્તિ થઈ તથા દ્રવ્ય ( જીવ ) સ્વભાવથી સદા ધ્રુવ છે. આવી રીતે પરમાત્માઓમાં ઉત્પાદ વ્યય ઘટે છે. ૫૬
દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ કહે છે
तं परियाणहि दव्वु तुहुँ जं गुण-पज्जय जुत्तु । सह-भुव जाणहि ताहँ गुण कम-भुव पज्जउ वुत्तु ।। ५७ ।।
तत् परिजानीहि द्रव्यं त्वं यत् गुणपर्यायसंयुक्तम् । સમુવ: નાનાદિ તેષામ્ મુળા: મમુવ: પર્યાયા: ૩વત્તા // છ।। ગુણ પર્યાય સહિત જે, ગણ તે દ્રવ્ય સદાય; નિત્ય રહે ગુણ દ્રવ્ય સહ, ક્રમે ફરે પર્યાય. ૫૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com