________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૮ એકસો પાંચમું પર્વ
પદ્મપુરાણ તૈજસ કોઈ મુનિને પ્રગટ થાય છે. તેના બે ભેદ છે-એક શુભ તૈજસ, એક અશુભ તૈજસ. શુભ તૈજસ લોકોને દુઃખી જોઈ જમણી ભુજામાંથી નીકળી લોકોનું દુઃખ દૂર કરે છે અને અશુભ તૈજસ ક્રોધના યોગથી ડાબી ભુજામાંથી નીકળી પ્રજાને ભસ્મ કરે છે અને મુનિને પણ ભસ્મ કરે છે. કોઈ મુનિને વિક્રિયાઋદ્ધિ પ્રગટ થાય છે ત્યારે તે શરીરને સૂક્ષ્મ તથા સ્થૂળ કરે છે તે મુનિને ચાર શરીર કોઈ સમયે હોય છે, એકસાથે પાંચે શરીર કોઈ જીવને હોતાં નથી.
મધ્યલોકમાં જંબૂઢીપ આદિ અસંખ્ય દ્વીપ અને લવણ સમુદ્ર આદિ અસંખ્ય સમુદ્ર છે. શુભ નામવાળા તે બમણા બમણા વિસ્તારથી વલયાકારે રહેલા છે. બધાની વચ્ચે જંબૂદ્વીપ છે. તેની વચમાં સુમેરુ પર્વત રહેલો છે તે લાખ યોજન ઊંચો છે અને તેનો પરિઘ ત્રણ ગુણાથી કાંઈક અધિક છે. જંબૂદ્વીપમાં દવારણ્ય અને ભૂતારણ્ય બે વન છે. તેમાં દેવોનો નિવાસ છે. છ કુલાચલ છે, તે પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી લાંબા પડ્યા છે. તેમનાં નામ-હીમવાન, મહાહિમવાન, નિષેધ, નીલ, રુકિમ, શિખરી. સમુદ્રના જળને તે સ્પર્શે છે. તેમાં સરોવરો છે અને સરોવરોમાં કમળ છે, તેમાં છ કુમારિકા દેવીઓ રહે છે. શ્રી, ટ્વી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી. આ જંબૂઢીપમાં સાત ક્ષેત્ર છે-ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત. છ કુલાચલોમાંથી ગંગાદિક ચૌદ નદી નીકળી છે. પહેલામાંથી ત્રણ, છેલ્લામાંથી ત્રણ અને વચ્ચેના ચારમાંથી બળે એમ ચૌદ છે. બીજા દ્વિીપ ધાતકીખંડ તે લવણસમુદ્રથી બમણો છે તેમાં મેરુ પર્વત છે અને બાર કુલાચલ અને ચૌદ ક્ષેત્ર. અહીં એક ભરત ત્યાં બે, અહીં એક હિમયાન ત્યાં છે. એ જ પ્રમાણે બધું બમણું જાણવું. ત્રીજો પુષ્કરદ્વીપ છે તેના અર્ધ ભાગમાં માનુષોત્તર પર્વત છે તે અઢીદ્વીપમાં જ મનુષ્યો હોય છે, આગળ નહિ. અર્ધા પુષ્કરમાં બબ્બે મેરુ, બાર કુલાચલ, ચૌદ ક્ષેત્ર, ધાતકીખંડ દ્વીપ સમાન ત્યાં જાણવા. અઢીદ્વીપમાં પાંચ સુમેરુ, ત્રીસ કુલાચલ, પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ વિદેહ, તેમાં એકસો સાઠ વિજય, સમસ્ત કર્મભૂમિના ક્ષેત્ર એકસો સિત્તેર, એક એક ક્ષેત્રમાં છ છ ખંડ, તેમાં પાંચ પાંચ સ્વેચ્છખંડ, એક એક આર્યખંડ, આર્યખંડમાં ધર્મની પ્રવૃત્તિ, વિદેહક્ષેત્ર અને ભરત ઐરાવતમાં કર્મભૂમિ. તેમાં વિદેહમાં તો શાશ્વતી કર્મભૂમિ અને ભરત, ઐરાવતમાં અઢાર ક્રોડાકોડી સાગર ભોગભૂમિ અને બે ક્રોડાકોડી સાગર કર્મભૂમિ અને દેવકુર, ઉત્તરકુરુ એ શાશ્વતી ઉત્કૃષ્ટ ભોગભૂમિ. તેમાં ત્રણ ત્રણ પલ્યનું આયુષ્ય, ત્રણ ત્રણ કોશની કાયા, ત્રણ ત્રણ દિવસ પછી અલ્પ આહાર, તે પાંચ મેરુ સંબંધી પાંચ દેવકુ, પાંચ ઉત્તરકુરુ છે. હરિ અને રમ્યક એ મધ્યમ ભોગભૂમિ તેમાં બબ્બે પલ્યનું આયુષ્ય બબ્બે કોશની કાયા, બબ્બે દિવસે આહાર અને તે પાંચ મેરૂ સંબંધી પાંચ હરિ પાંચ રમ્યક એ દશ મધ્યમ ભોગભૂમિ અને હૈમવત હૈરણ્યવત એ જઘન્ય ભોગભૂમિ, તેમાં એકપલ્યનું આયુષ્ય, એક કોશની કાયા. એક દિવસના અંતરે આહાર તે પાંચ મેરુ સંબંધી પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, જઘન્ય ભોગભૂમિ દસ. આ પ્રમાણે ત્રીસ ભોગભૂમિ અઢીદ્વીપમાં જાણવી. પાંચ મહાવિદેહ, પાંચ ભરત, પાંચ ઐરાવત એ પંદર કર્મભૂમિ છે તેમાં મોક્ષમાર્ગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com