________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૨ અઠોતેરમું પર્વ
પદ્મપુરાણ અને મહેલને ખૂબ શણગારેલો જોઈને પૂછ્યું, તને મારા આગમનની કેવી રીતે ખબર પડી? ત્યારે રાણીએ કહ્યું કે આજે કીર્તિધર નામના અવધિજ્ઞાની મુનિ આહાર માટે આવ્યા હતા તેમને મેં પૂછયું હતું કે રાજા ક્યારે આવશે? તેમણે કહ્યું કે રાજા આજ અચાનક આવશે. આ વાત સાંભળી રાજા મુનિ પાસે ગયો અને તેમને ઈર્ષાથી પૂછયું, હું મુનિ! તમને જ્ઞાન હોય તો કહો કે મારા મનમાં ક્યો વિચાર છે? ત્યારે મુનિએ કહ્યું કે તારા મનમાં એમ વિચાર ચાલે છે કે હું ક્યારે મરણ પામીશ? તું આજથી સાતમા દિવસે વજપાતથી મરીશ અને વિષ્ટામાં કીડો થઈશ. મુનિનું આ વચન સાંભળી રાજા અરિંદમે ઘેર જઈને પોતાના પુત્ર પ્રીતિંકરને કહ્યું કે હું મરીને વિષ્ટામાં સ્થૂળ કીટ થઈશ, મારાં રૂપરંગ આવાં હશે તેથી તું એને તત્કાળ મારી નાખજે. પુત્રને આમ કહીને સાતમા દિવસે મરીને તે વિષ્ટામાં કીડો થયો પ્રીતિંકર કીટને મારવા ગયો તો કીટ મરવાની બીકે વિટામાં પેસી ગયો. ત્યારે પ્રીતિકર મુનિ પાસે જઈને પૂછવા લાગ્યો કે હે પ્રભો ! મારા પિતાએ કહ્યું હતું કે હું મળમાં કીડો થઈશ અને તું મને મારી નાખજે. હવે તે કીડો મરવાથી ડરે છે અને ભાગે છે. તો મુનિએ કહ્યું કે તું વિષાદ ન કર. આ જીવ જે ગતિમાં જાય છે ત્યાં જ રમવા લાગી જાય છે. તેથી તું આત્મકલ્યાણ કર કે જેથી પાપથી છુટાય. અને આ બધા જીવો પોતપોતાના કર્મોનું ફળ ભોગવે છે, કોઈ કોઈનું નથી. આ સંસારનું સ્વરૂપ અત્યંત દુ:ખરૂપ છે એમ જાણીને પ્રીતિંકર મુનિ થયા અને સર્વ વાંછાનો ત્યાગ કર્યો. માટે હે વિભીષણ! શું તમે આ જગતની નાના પ્રકારની અવસ્થા જાણતા નથી? તમારા શૂરવીર ભાઈ દૈવયોગથી નારાયણ દ્વારા હણાયા છે. યુદ્ધમાં હણાયેલા મહાન પુરુષનો શોક શો? તમે તમારું મન હિતમાં લગાડો અને આ દુઃખના કારણ શોકને ત્યજો. વિભીષણે ભામંડળના મુખે પ્રીતિંકર મુનિની કથા સાંભળી, જે પ્રતિબોધ કરવામાં પ્રવીણ, નાના પ્રકારના સ્વભાવ સંયુક્ત તથા ઉત્તમ પુરુષો વડે કહેવા યોગ્ય હતી. તે સાંભળી લોકોત્તર આચારના જાણનાર વિભીષણરૂપ સૂર્ય શોકરૂપ મેઘપટલથી રહિત થયા અને બધા વિધાધરોએ તેમની પ્રશંસા કરી.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિભીષણના શોકનિવારણનું વર્ણન કરનાર સત્તોતેરમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
અઠોતેરમું પર્વ (અનંતવીર્ય કેવળીની સમીપમાં ઇન્દ્રજિત, મેઘનાદ તથા મંદોદરી આદિનું દીક્ષા ગ્રહણ)
પછી શ્રી રામચંદ્ર, ભામંડળ, સુગ્રવાદિએ બધાને કહ્યું કે પંડિતોનું વેર વેરીના મરણ સુધી જ હોય છે. હવે લંકેશ્વરનું મરણ થયું છે, એ મહાન નર હતા, એમના ઉત્તમ શરીરનો અગ્નિસંસ્કાર કરીએ. એટલે બધાએ એ વાત માન્ય કરી. પછી રામ-લક્ષ્મણ વિભીષણ સાથે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com