________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચુમોતેરમું પર્વ
૪૭૩ અને નિકટ આવતી તેમ શિયાળિયા નખ-દાંતથી ચિહ્ન કરે છે અને સમીપ આવે છે, વળી, શ્વાસના પ્રકાશથી તેમને જીવતા જાણી તે ડરી જાય છે, જેમ ડાકણ મંત્રવાદીથી દૂર રહે છે. સામંતોને જીવતા જાણી યક્ષિણી ઊડી જાય છે, જેમ દુખ નારી, ચંચળ આંખોને ચિત્તવાળી પતિની સમીપેથી જતી રહે છે. જીવોના શુભાશુભ પ્રકૃતિનો ઉદય યુદ્ધમાં દેખાય છે; બન્ને બરાબર હોય ને છતાં કોઈની હાર અને કોઈની જીત થાય છે. કોઈ વાર અલ્પ સેનાનો સ્વામી મોટી સેનાના સ્વામીને જીવે છે અને કોઈ સુકૃતના સામર્થ્યથી ઘણાને જીતે અને કોઈ ઘણા પણ પાપના ઉદયથી હારી જાય. જે જીવોએ પૂર્વભવમાં તપ કર્યું હોય તે રાજ્યના અધિકારી થાય છે, વિજય પામે છે અને જેણે તપ ન કર્યું હોય અથવા તપનો ભંગ કર્યો હોય તેની હાર થાય છે. ગૌતમ સ્વામી કહે છે હું શ્રેણિક! આ ધર્મ મર્મની રક્ષા કરે છે અને દુર્જયને જીતે છે, ધર્મ જ મહાન સહાયક છે, મોટો પક્ષ ધર્મનો છે, ધર્મ બધે રક્ષણ કરે છે. ઘોડા સહિતના રથ, પર્વત, સમાન હાથી, પવન સમાન તુરંગ અસુરકુમાર જેવાં પ્યાદાં ઇત્યાદિ સામગ્રી પૂર્ણ હોય પરંતુ પૂર્વપુણ્યના ઉદય વિના કોઈ રાખવા સમર્થ નથી, એક પુણ્યાધિકારી જ શત્રુઓને જીતે છે. આ પ્રમાણે રામ-રાવણના યુદ્ધની પ્રવૃત્તિમાં યોદ્ધાઓ વડ યોદ્ધાઓ હણાયા, તેમનાથી રણક્ષેત્ર ભરાઈ ગયું, ખાલી જગા ન રહી. આયુધો સાથે યોદ્ધા ઊછળે છે, પડે છે તેથી આકાશ એવું લાગતું હતું જાણે કે ઉત્પાતનાં વાદળોથી મંડિત છે.
પછી મારીચ, ચંદ્ર, વજાક્ષ, શુક સારણ અને બીજા પણ રાક્ષસોના અધીશોએ રામનું કટક દબાવ્યું. ત્યારે હનુમાન, ચંદ્ર, મારીચ, નીલ, મુકુંદ, ભૂતસ્વન ઇત્યાદિ રામ પક્ષના યોદ્ધાઓએ રાક્ષસોની સેનાને દબાવી. રાવણના યોદ્ધા કુંદ, કુંભ, નિકુંભ, વિક્રમ, કમાણ, જંબુમાલી, કાકબલી, સૂર્યાર, મકરધ્વજ, અશનિથ ઇત્યાદિ રાક્ષસોના મોટા મોટા રાજાઓ તરત જ યુદ્ધ માટે ઊભા થયા અને તેમની સાથે ભૂધર, અચલ, સમ્મદ, નિકાલ, કુટિલ, અંગદ, સુષેણ, કાલચંદ્ર, ઊર્મિતરંગ ઈત્યાદિ વાનરવંશી યોદ્ધા આવ્યા, બન્ને પક્ષના યોદ્ધા પરસ્પર મહાન યુદ્ધ કરવા લાગ્યા. અંજનાનો પુત્ર હાથીઓના રથ પર ચઢી રણમાં કીડા કરવા લાગ્યો, જેમ કમળોથી ભરેલા સરોવરમાં મહાગજ ક્રીડા કરે. ગૌતમ ગણધર કહે છે કે હું શ્રેણિક ! શૂરવીર હનુમાને રાક્ષસોને ખૂબ ચલિત કરી દીધા, એને જે ગમ્યું તે કર્યું. એટલે મંદોદરીનો બાપ રાજા મય વિધાધર દૈત્યવંશી ક્રોધથી લાલ આંખો કરી હનુમાનની સન્મુખ આવ્યો. કમળનયન હનુમાને બાણવૃષ્ટિ કરી અને મયના રથના ચૂરા કરી નાખ્યા. મય બીજા રથ પર ચડી યુદ્ધ કરવા લાગ્યો એટલે હનુમાને તે રથ પણ તોડી નાખ્યો. મને વિહ્વળ જોઈ રાવણે બહુરૂપિણી વિધાથી પ્રજ્વલિત ઉત્તમ રથ શીધ્રા મોકલ્યો. રાજા મયે તે રથ પર ચડીને હનુમાનનો રથ તોડ્યો. હુનુમાનને દબાતો જોઈને ભામંડળ મદદ માટે આવ્યો. મયે બાણવર્ષા કરી ભામંડળનો પણ રથ તોડી નાખ્યો. ત્યારે રાજા સુગ્રીવ તેની મદદે આવ્યો, મયે તેને શસ્ત્રરહિત કર્યો અને ધરતી પર પાડ્યો. હવે એની મદદ વિભીષણ આવ્યો. વિભીષણ અને મય વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરસ્પર બાણ છોડ્યાં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com