SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેંતાળીસમું પર્વ ૩પ૭ સમય સુધીમાં અનેક હજારો રાજા પ્રશંસા કરવા યોગ્ય થઈ ગયા. કેટલાક તેમાંથી સિદ્ધ થયા, કેટલાક સર્વાર્થસિદ્ધિમાં ગયા. કેટલાક સ્વર્ગમાં દેવ થયા અને કેટલાક પાપી નરકે ગયા. અત્યારે તે વંશમાં ત્રણ ખંડનો અધિપતિ રાવણ રાજ્ય કરે છે. તેની બહેન ચંદ્રનખા રૂપમાં અનુપમ છે. તે મહાપરાક્રમી ખરદૂષણને પરણી છે. તે ચૌદ હજાર રાજાઓનો શિરોમણિ છે, રાવણની સેનામાં મુખ્ય દિગ્ધાળ સમાન તે પાતાળલંકામાં થાણું સ્થાપીને રહે છે. તેના શબૂક અને સુંદ આ બે પુત્ર, રાવણના ભાણેજ પૃથ્વી પર ખૂબ પ્રસિદ્ધ છે. શબૂકને તેના માતાપિતાએ ખૂબ ના પાડવા છતાં તે કાળથી પ્રેરાઈને સૂર્યહાસ નામનું ખગ સાધવા માટે મહાભયાનક વનમાં પ્રવેશ્યો અને શાસ્ત્રોક્ત આચરણ કરતો સૂર્યહાસ ખગ સાધવાનો ઉદ્યમ કરવા લાગ્યો. એક જ અન્નનો આહાર કરનાર, બ્રહ્મચારી, જિતેન્દ્રિય, વિદ્યા સાધવા માટે વાંસના પોલાણમાં એમ કહીને બેઠો છે કે જ્યારે મારી સાધના પૂર્ણ થશે ત્યારે જ હું બહાર આવીશ, તે પહેલાં કોઈ આ વાંસમાં આવશે અને મારી નજરે પડશે તેને હું મારીશ. એમ કહીને તે એકાંતમાં બેઠો. તે ક્યાં બેઠો? દંડકવનમાં કચરવા નદીના ઉત્તર કિનારે વાંસના વનમાં બેઠો, બાર વર્ષ સાધના કરી અને ખગ પ્રકટ થયું. જો સાત દિવસમાં એ ન લે અને તે ખગ બીજાના હાથમાં જાય તો એ માર્યો જાય. ચંદ્રનના નિરંતર પુત્રની પાસે ભોજન લઈને આવતી. તેણે ખગ જોયું. પ્રસન્ન થઈને પતિને જઈને કહ્યું કે શંબૂકને સૂર્યહાસ ખગ સિદ્ધ થયું છે. હવે મારો પુત્ર મેરુની પ્રદક્ષિણા કરીને ત્રણ દિવસમાં આવશે. તે આવા મનોરથ કરે છે ત્યાં તે વનમાં ફરતા ફરતા લક્ષ્મણ આવ્યા. હજારો દેવોથી રક્ષિત ખડ્ઝ સ્વભાવે સુગંધી અદ્ભુત રત્ન છે. જે સર્વ લોકની ચેષ્ટા જાણે અને પાપરૂપ રજને ઉડાડવામાં પવન છે એવા ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! તે દેવોપુનિત ખગ્ર મહાસુગંધમય, દિવ્યગંધાદિથી લિપ્ત, કલ્પવૃક્ષોનાં ફૂલોથી યુક્ત સૂર્યહાસ ખગની સુગંધ લક્ષ્મણને આવી હતી અને લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા. બીજું કામ મૂકીને તરત જ સીધા વાંસ તરફ આવ્યા અને સિંહ સમાન નિર્ભયતાથી જોવા લાગ્યા. વૃક્ષોથી આચ્છાદિત અત્યંત વિષમ સ્થળ હતું, જ્યાં વેલોનો સમૂહ જાળની જેમ ગોઠવાયો હતો. ચારે તરફ ઊંચા પાષાણની મધ્યમાં સમતળ ભૂમિ અને સુંદર ક્ષેત્ર હતું, શ્રી વિચિત્રરથ મુનિનું તે નિવાર્યક્ષેત્ર, સુવર્ણનાં કમળોથી પૂરિત, તેની મધ્યમાં એક વાંસનું વૃક્ષ હતું. તેની ઉપર ખગ આવી રહ્યું છે, તેનાં કિરણના સમૂહુથી વાંસનું બીડ પ્રકાશિત થઈ રહ્યું છે. લક્ષ્મણે આશ્ચર્ય પામી નિઃશંક થઈને તે ખડ ડગ લીધું અને તેની તીક્ષ્ણતા જાણવા માટે વાંસના બીડા પર પ્રહાર કર્યો એટલે શબૂક સહિત વાંસનું વૃક્ષ કપાઈ ગયું અને ખગ્નના રક્ષક હજારો દેવ લક્ષ્મણના હાથમાં ખગ આવેલું જોઈને કહેવા લાગ્યા કે તમે અમારા સ્વામી છો, આમ કહીને નમસ્કાર કરીને પૂજા કરી. પછી લક્ષ્મણને ઘણો સમય લાગ્યો જાણીને રામચંદ્ર સીતાને કહેવા લાગ્યા કે લક્ષ્મણ ક્યાં ગયો? હે ભદ્ર જટાયુ! તું ઊડીને લક્ષ્મણને જોઈ આવ. ત્યાં સીતા બોલ્યાં કે હે નાથ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy