________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
અઢા૨મું ૫ર્વ
૧૯૭
કારણ છે. આમ જાણીને ત્રણ પ્રદક્ષિણા ફરીને હાથ જોડી, મસ્તક નમાવી, પોતાની સ્ત્રીઓ સહિત બાળકને નમસ્કાર કરવા લાગ્યા. આ બાળક મંદ મંદ મલતો, રમણીક લાગતો સૌ નરનારીઓનાં મનહરતો હતો. રાજા પ્રતિસૂર્ય પુત્ર સહિત અંજના-ભાણેજને વિમાનમાં બેસાડી પોતાના સ્થાનકે લઈ આવ્યો. તેનું નગર ધજા–તોરણોથી શોભાયમાન છે, રાજાને આવેલા સાંભળીને નગરનાં સર્વ લોક નાના પ્રકારનાં મંગળ દ્રવ્યો સહિત સામે આવ્યાં. રાજા પ્રતિસૂર્ય નગરમાં પ્રવેશ કર્યો, વાજિંત્રોના નાદથી દશે દિશાઓ વ્યાપ્ત થઈ, વિદ્યાધરે બાળકના જન્મનો મોટો ઉત્સવ કર્યો, જેમ સ્વર્ગમાં ઇન્દ્રની ઉત્પત્તિનો ઉત્સવ દેવો કરે છે તેમ. બાળકનો જન્મ પર્વત ૫૨ થયો હતો અને વિમાનમાંથી પડીને પર્વતના ચૂરા કરી નાખ્યા હતા તેથી તેનું નામ માતા અને રાજા પ્રતિસૂર્યે શ્રીશૈલ પાડયું અને તેનો જન્મોત્સવ નૂરુ દ્વીપમાં થયો તેથી હનુમાન એ નામ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. તે શ્રીશૈલ ( હનુમાન ) નૂરુ દ્વીપમાં ૨મતા. દેવની પ્રભા જેવી કાંતિવાળા, જેની શરીરની ક્રિયા મહા ઉત્સવરૂપ હતી, સર્વ લોકોનાં મન અને નેત્રને હરનાર હનુમાન પ્રતિસૂર્યના નગરમાં બિરાજે છે.
પછી ગણધરદેવ રાજા શ્રેણિકને કહે છે કે હું નૃપ ! પ્રાણીઓના પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી પર્વતોના ચૂરા કરનાર મહાકઠોર વજ્ર પણ પુષ્પ સમાન કોમળ થઈને પરિણમે છે અને મહા આતાપ ઉપજાવનાર અગ્નિ ચંદ્રમાનાં કિરણ સમાન અને વિસ્તીર્ણ કમલિનીના વન સમાન શીતળ થાય છે અને મહાતીક્ષ્ણ ખડ્ગની ધારા મહામનોહર કોમળ લતા સમાન થાય છે. આમ જાણીને જે વિવેકી જીવ છે તે પાપથી વિરક્ત થાય છે. પાપ દુ:ખ દેવામાં પ્રવીણ છે. તમે જિનરાજના ચિરત્રમાં અનુરાગી થાવ. જિનરાજનું ચરિત્ર સારભૂત મોક્ષનું સુખ આપવામાં ચતુર છે, આ સમસ્ત જગત નિરંતર જન્મ-જરામરણરૂપ સૂર્યના આતાપથી તપેલું છે, તેમાં હજારો વ્યાધિ છે તે સૂર્યનાં કિરણોનો સમૂહ છે.
એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દોલતરામજી કૃત ભાષા વનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનના જન્મની કથા કહેનાર સત્તરમું પર્વ પૂર્ણ થયું.
***
અઢા૨મું પર્વ
(પવનંજયનું યુદ્ધમાંથી પ્રત્યાગમન અને અંજનાની શોધ )
પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હૈ મગધદેશના મંડન! આ શ્રી હનુમાનજીના જન્મનું વૃત્તાંત તો તને કહ્યું, હવે હનુમાનના પિતા પવનંજયનું વૃત્તાંત સાંભળ. પવનંજય પવનની પેઠે શીઘ્ર રાવણ પાસે આવ્યા અને રાવણની આજ્ઞા લઈ વરુણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણા લાંબા સમય સુધી જાતજાતનાં શસ્ત્રોથી વરુણ અને પવનંજય વચ્ચે યુદ્ધ થયું. તે યુદ્ધમાં પવનંજયે વરુણને બાંધી લીધો. તેણે જે ખરદૂષણને બાંધ્યો હતો તેને છોડાવ્યો અને વરુણને રાવણની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com