________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સોળમું પર્વ
૧૭૯ પર ચડી ચડીને દશે દિશાઓમાં જુએ છે, પણ પ્રીતમને ન જોતાં અતિ શીધ્ર ભૂમિ પર આવીને પડે છે, પાંખ હુલાવીને કમલિનીની જે રજ શરીર પર ચોંટી છે તેને દૂર કરે છે. પવનકુમારે ઘણા લાંબા સમય સુધી દષ્ટિ માંડીને ચકવીની દશા જોઈ. જેનું ચિત્ત દયાથી ભીંજાઈ ગયું છે એવા તે વિચારે છે કે પ્રીતમના વિયોગથી આ શોકરૂપ અગ્નિમાં જલે છે. આ મનોજ્ઞ માનસરોવર અને ચંદ્રમાની ચંદન સમાન શીતળ ચાંદની આ વિયોગિની ચકવીને દાવાનળ સમાન છે, પતિ વિના આને કોમળ પલ્લવ પણ ખડુગ સમાન ભાસે છે, ચંદ્રમાનાં કિરણ પણ વજ સમાન ભાસે છે, સ્વર્ગ પણ નરકરૂપ થઈને આચરે છે. આમ વિચાર કરતાં એનું મન પ્રિયા તરફ ગયું. આ માનસરોવર પર જ લગ્ન થયાં હતાં તે સ્થળ નજરે પડ્યાં અને તેને તે અતિ શોકનાં કારણે થયાં, મર્મને ભેદનારી તીક્ષ્ણ
ચારવા લાગ્યા; હાય ! હાય ! હું કૂર, પાપી તે સાવ નિર્દોષ, તેનો નકામો ત્યાગ કર્યો, ચકવી એક રાત્રિનો વિયોગ સહન કરી શકતી નથી તો તે મહાસુંદરી બાવીસ વર્ષનો વિયોગ કેવી રીતે સહન કરે ? તેની સખીએ કડવાં વચન કહ્યાં હતાં, તેણે તો નહોતા કહ્યાને? બીજાના દોષથી મેં તેનો કેમ પરિત્યાગ કર્યો? ધિક્કાર છે મારા જેવા મૂર્ણને, જે વિના વિચાર્યું કામ કરે છે આવા નિષ્કપટ જીવને મેં વિના કારણે દુઃખી કર્યો, મારું ચિત્ત પાપી છે. મારું હૃદય વજ સમાન છે કે મેં આટલાં વર્ષ આવી પ્રાણવલ્લભાને વિયોગ આપ્યો. હવે હું શું કરું? પિતા પાસેથી વિદાય લઈને ઘરમાંથી નીકળ્યો છું, હવે પાછો કેવી રીતે જાઉં? મોટી આફત આવી. જો હું એને મળ્યા વિના યુદ્ધમાં જઈશ તો તે જીવશે નહિ અને તેના અભાવમાં મારો પણ નાશ થશે. જગતમાં જીવન જેવો બીજો કોઈ પદાર્થ નથી તેથી સર્વ સંદેહને દૂર કરનાર મારો પરમ મિત્ર પ્રહસ્ત વિદ્યમાન છે તેને જ બધો ભેદ કહ્યું. તે પ્રીતિની બધી રીતમાં પ્રવીણ છે. જે પ્રાણી વિચારપૂર્વક કાર્ય કરે છે તે સુખ પામે છે. પવનકુમાર આમ વિચાર કરી રહ્યો છે ત્યારે તેના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવો તેનો મિત્ર પ્રહસ્ત તેને ચિંતાતુર જોઈને પૂછવા લાગ્યો કે હું મિત્ર! તું રાવણને મદદ કરવા વરુણ જેવા યોદ્ધા સાથે લડવા જાય છે તો તને અત્યંત પ્રસન્નતા હોવી જોઈએ, તો જ કાર્યની સિદ્ધિ થાય. આજે તારું મુખકમળ કરમાઈ ગયેલું કેમ દેખાય છે? શરમ છોડીને મને કહે. તને ચિંતાતુર જોઈને મને પણ વ્યાકુળતા થાય છે. ત્યારે પવનંજયે કહ્યું: હે મિત્ર! આ વાત કોઈને કહેતો નહિ. તું મારું બધું રહસ્ય જાણે છે તેથી તારાથી જુદાઈ નથી. આ વાત કરતાં મને અત્યંત
ન થાય છે. ત્યારે પ્રસ્તે કહ્યું કે જે તારા ચિત્તમાં હોય તે કહું. તું જે આજ્ઞા કરીશ તે બીજું કોઈ જાણશે નહિ. જેમ ગરમ લોઢા પર પડેલ પાણીનું ટીપું શોષાઈ જાય તેમ મને કરેલી વાત પ્રગટ નહિ થાય. ત્યારે પવનકુમારે કહ્યું: હે મિત્ર! સાંભળ, મેં કદી પણ અંજનાસુંદરી પ્રત્યે પ્રેમ બતાવ્યો નથી, તેથી હવે મારું મન અત્યંત વ્યાકુળ થયું છે, મારી કૂરતા જો. અમને પરણ્યાં આટલાં વર્ષ થયાં, પણ હજી સુધી અમારો વિયોગ રહ્યો છે. વિના કારણે મેં તેના તરફ અપ્રીતિ કરી છે. તે સદાય શોકમાં રહી, તેની આંખમાંથી આંસુ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com