________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૧ :
મોકાર મંત્રને સંપૂર્ણ દ્વાદશાંગનું ટૂંકું સંસ્કરણ કહેવાય છે.
પણ આ અપેક્ષા જિનાગમમાં અત્યંત ગૌણ છે, કેમ કે જૈન ધર્મ આત્માનો ધર્મ છે, એમાં ભાવોની પ્રધાનતા છે, તત્ત્વજ્ઞાનની મુખ્યતા છે. આત્માનો યોગ તેમજ ઉપયોગ સ્વભાવ સન્મુખ થયા વગર, તત્ત્વજ્ઞાન થયા વગર કેવળ માંત્રોચારણ વધારે કાર્યકારી નથી. એટલે ણમોકાર મંત્રના માધ્યમથી પંચપરમેષ્ઠીના સ્વરૂપનું અવલંબન લઇને જે વ્યક્તિ પોતે આત્મામાં પોતાનો ઉપયોગ સ્થિર કરે છે, એ જ આ મંત્રના યોગ્ય લાભથી લાભાવિત થાય છે. - આ મૂળ વાતને ક્યારેય ન ભૂલવી જોઇએ.
*
*
*
-: જો પરમાતમ સો હી મૈ :
જિન સુમરો ચિત્તવો, જિન ધ્યાવો મન શુદ્ધ; લહો પરમ પદ ક્ષણિક મેં, હોકર કે પ્રતિબદ્ધ. જિનવર અરુ શુદ્ધાત્મ મેં, કિચિત ભેદ ન જાન; મોક્ષ અર્થ હૈ યોગિજન, નિશ્ચય સે યહુ માન. જો જિન સો આતમ લખો, નિશ્ચય ભેદ ન રંગ; યહી સાર સિદ્ધાંત કા, છોડો સર્વ પ્રપંચ. જો પરમાતમ સો હી મેં, મૈ જો વહી પરમાતમ; ઐસા જાન જુયોગિજન, કરિએ કછુ ન વિકલ્પ.
-યોગસાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com